શેર બજારના ધબડકા વચ્ચે SBIની બમ્પર ઓફર! માત્ર ₹1,00,000 જમા કરાવીને મેળવો ₹64,227 નું ફિક્સ વ્યાજ
શેર બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલથી રોકાણકારો ચિંતિત છે ત્યારે ભારતીય સ્ટેટ બેંકે ગેરંટીડ રિટર્ન આપતી એક શાનદાર એફડી સ્કીમ રજૂ કરી છે. આ યોજનામાં રોકાણકારોને કોઈ પણ જોખમ વગર મોટું વ્યાજ મળી રહ્યું છે.

પાછલા સપ્તાહે શેર બજારમાં જોવા મળેલી ભારે ગગડનથી રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં જે લોકો નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી. જો તમે પણ ગેરંટીડ અને સુરક્ષિત વળતર ઈચ્છો છો, તો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે ભારતીય સ્ટેટ બેંક (SBI) ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. એસબીઆઈની એક ખાસ એફડી સ્કીમમાં માત્ર 1 લાખ રૂપિયા જમા કરાવીને ગ્રાહકો ₹64,227 સુધીનું ફિક્સ વ્યાજ કમાઈ રહ્યા છે.

મેચ્યોરિટી પર ખાતામાં આવશે પૂરા ₹1,64,227: એસબીઆઈમાં સામાન્ય રીતે 7 દિવસથી લઈને મહત્તમ 10 વર્ષ સુધીની મુદત માટે એફડી ખાતું ખોલાવી શકાય છે, જેના પર બેંક 3.05 ટકાથી લઈને 7.15 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. ખાસ કરીને 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની લાંબી મુદતની એફડી પર બેંક સામાન્ય નાગરિકોને 6.05 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.05 ટકા અને અતિ વરિષ્ઠ નાગરિકોને 7.15 ટકા જેટલું બમ્પર વ્યાજ આપી રહી છે.

ત્રણ અલગ-અલગ કેટેગરી મુજબ વ્યાજનું ગણિત સમજો: જો કોઈ રોકાણકાર એસબીઆઈની 7 વર્ષની એફડી સ્કીમ ₹1 લાખની રકમ જમા કરાવે છે, તો તેને કેટેગરી પ્રમાણે નીચે મુજબ વળતર મળશે,

સામાન્ય નાગરિકો માટે: 1 લાખ રૂપિયાના રોકાણ પર 7 વર્ષની મેચ્યોરિટી પૂરી થતાં કુલ ₹1,52,246 મળશે, જેમાં ₹52,246 માત્ર વ્યાજના સામેલ છે.

વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે: વરિષ્ઠ નાગરિકોને આ જ સ્કીમમાં મેચ્યોરિટી પર કુલ ₹1,63,101 મળશે, જેમાં ₹63,101 નું ફિક્સ વ્યાજ મળશે.

અતિ વરિષ્ઠ નાગરિકો (Super Senior Citizens) માટે: બેંક સૌથી વધુ ફાયદો અતિ વરિષ્ઠ નાગરિકોને આપી રહી છે. તેમને 7 વર્ષ પૂરા થતાં કુલ ₹1,64,227 ની મોટી રકમ પાછી મળશે, જેમાં ₹64,227 નું ચોખ્ખું વ્યાજ ખાતામાં જમા થશે.

બજારના જોખમોથી દૂર રહીને પોતાની મૂડી સુરક્ષિત રાખવા માટે આ સરકારી સ્કીમ ખૂબ જ ઉપયોગી છે. હવે જોવાનું એ રહેશે કે શેર બજારના આ ઘટાડા વચ્ચે કેટલા લોકો પરંપરાગત અને સુરક્ષિત ગણાતી આ બેંક એફડી તરફ વળે છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.
સરકારી કર્મચારીઓ માટે લાઈફ ટાઈમનો નવો નિયમ! મેડિકલ લાભ માટે માતા-પિતા કે સાસુ-સસરામાંથી કોઈ એકને જ પસંદ કરવાની મળશે તક
