ટ્રાફિક સિગ્નલ રાત્રે કેમ બંધ થઈ જાય છે ? શું આ સમયે ટ્રાફિક નિયમો લાગુ પડતા નથી ? જાણો
રાત્રે 10 કલાક પછી હંમેશા ટ્રાફિક સિગ્નલ બંધ થઈ જાય છે. માત્ર પીળ લાઈટ થાય છે. તો શું રાત્રેના સમયે પણ ટ્રાફિક નિયમો ફોલો કરવા જરુરી છે. તો તેનો જવાબ આજે આપણે વિસ્તારથી જાણીએ.

રાતે અંદાજે 10 વાગ્યા છે. દિવસભર ટ્રાફિકથી ભરેલો રસ્તો હવે ખાલી છે. તમે સિગ્નલ પર પહોંચો છો અને જુઓ છો કે લાલ અને લીલી લાઇટને બદલે, ફક્ત પીળી લાઇટ સતત ઝબકતી રહે છે. એ વિચારવું સ્વાભાવિક છે કે રાત્રે ટ્રાફિક સિગ્નલ આવું કેમ કરે છે?

શું આ સમયે ટ્રાફિક નિયમો બદલાય છે, કે પછી તમે અટક્યા વિના ચાર રસ્તા પાર કરી શકો છો? જો તમારા મગજમાં પણ આવા પ્રશ્નો આવી રહ્યા છે. તો આજે આપણે આના વિશે વિસ્તારથી જાણીશું.

શહેરના અનેક મુખ્ય રસ્તાઓ પર સાંજના સમયે ટ્રાફિક સિંગ્નલને ફ્લૈશિંગ મોડમાં રાખી દેવામાં આવે છે. સામાન્ય રીતે અંદાજે 10 કલાક સુધી ગ્રીન કે રેડ લાઈટ બ્લિંક લાઈટ જોઈ શકાય છે. જેનું મુખ્ય કારણ રાત્રે રસ્તા પર ઓછો થનારો ટ્રાફિક છે.આ સમયે વાહનોની સતત અવર-જવર રહે છે. મોડી રાત સુધી રસ્તાઓ પણ ખાલી થઈ જાય છે.

ઓછા ટ્રાફિકના સમયે સિગ્નલ ફ્લેશિંગ મોડ પર સેટ કરવામાં આવે છે. પીળો રંગ ઝબકતો હોય તો એ સૂચવે છે ટ્રાફિક નથી, પરંતુ ડ્રાઇવરોએ સાવધાની સાથે આગળ વધવું જોઈએ.

આ સૌથી મોટો ભ્રમ છે કે, સિગ્નલના ફ્લૈશિંગ મોડમાં જવાનો અર્થ એ નથી કે, રાતે ટ્રાફિક નિયમ લાગુ પડતા નથી. જો યેલો લાઈટ બ્લિંક થઈ રહી છે. તો વાહન ચાલકે પોતાના ગાડીની સ્પીડ ઓછી કરવાની રહેશે.

રાતે રસ્તાઓ ખાલી જોઈને સ્પીડથી ગાડી ચલાવવી પણ ભારે પડી શકે છે. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર લાગેલા કેમેરા સ્પીડ અને ટ્રાફિક નિયમોની દેખરેખ રાખે છે. જો કોઈ વાહન ચાલક ઓવરસ્પીડિંગ કરે છે. તો આ ખતરનાક સ્પીડ કેમેરામાં કેદ થઈ જાય છે. તેમાર ઈ ચલાણ ભરવાનો પણ વારો આવી શકે છે.

એટલા માટે ક્યારે પણ રાત્રે રસ્તાઓ ખાલી જોઈ સ્પીડમાં ગાડી ચલાવવાનું વિચારતા નહી.રાત્રે, રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી હોય છે, પરંતુ ઝડપ અને ઓછી તકેદારી અકસ્માતોનું જોખમ વધારી શકે છે.

તેથી, ઝબકતી પીળી લાઈટને સ્પષ્ટ રોડ સિગ્નલ સમજવાની ભૂલ ન કરો. રસ્તાની, બંને તરફ જુઓ, અને પછી જ આગળ વધો. યાદ રાખો, રાત્રે સિગ્નલ મોડ બદલાઈ શકે છે, પરંતુ તમારી જવાબદારી અને ટ્રાફિક નિયમો બદલાતા નથી. (all photo: canva)
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. અહી ક્લિક કરો
