India’s Gold Rush : ઇકોનોમીને બુસ્ટ કરશે તમારા ઘરોમાં રહેલું સોનું, દેશ ફરી એકવાર બનશે સોનાની ચીડિયા !
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ભારતીય મહિલાઓ પાસે કુલ 24,000 થી 25,000 ટન સોનુ છે, જે વિશ્વના કુલ ગોલ્ડ રિઝર્વના લગભગ 11% જેટલું છે. બીજી તરફ, દેશના મંદિરોમાં 5,000 ટનથી વધુ સોનુ છે. આનો અર્થ એ થયો કે ભારતના 30,000 ટનથી વધુ સોનુ હજી પણ અર્થતંત્રના પ્રવાહમાં નથી.

ભારતમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. દેશના સ્પોટ માર્કેટમાં સોનાનો દર ₹86,000 પ્રતિ 10 ગ્રામથી વધુ પહોંચી ગયો છે, જ્યારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) માં પણ તે ₹85,000 ના પાર ગયો છે. ફિઝિકલ અને ડિજિટલ બંને રૂપમાં ભારતીયો માટે સોનુ હંમેશા લોકપ્રિય રોકાણ રહ્યું છે.

વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતના લોકો પાસે વધુ સોનુ છે. એક્સપર્ટ્સ કહે છે કે, જે માત્રામાં સોનુ ભારતીય ઘરોમાં છે, તે કદાચ વિશ્વના અન્ય કોઈ પણ દેશના ગોલ્ડ રિઝર્વ કરતાં વધુ હશે. યુએસએ પાસે 8,100 ટન, જર્મની પાસે 3,300 ટન, ઇટાલી પાસે 2,450 ટન, ફ્રાન્સ પાસે 2,400 ટન અને રશિયા પાસે 1,900 ટન સોનુ છે. જો કે, આ દેશોની કુલ સંપત્તિ ભેગી કરીએ, તો પણ તે ભારતીય ઘરોમાં રહેલા સોનાથી ઓછી છે.

ભારતમાં મંદિરોમાં પણ વિશાળ માત્રામાં સોનુ સંગ્રહિત છે. 2024 ની એક રિપોર્ટ અનુસાર, ભારતીય મંદિરોમાં 5,000 ટનથી વધુ સોનુ છે, જે આગામી વર્ષોમાં 10,000 ટન સુધી પહોંચી શકે છે. આ રીતે, જો મંદિરનો ગોલ્ડ રિઝર્વ વધતો જશે, તો તે સંભાવના છે કે ભારત અમેરિકા કરતાં પણ મોટું ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ બની શકે.

પી.સી. જ્વેલર્સ એન્ડ ડાયમંડ પ્રાઈવેટ લિમિટેડના સી.એમ.ડી. રાહુલ ગુપ્તાએ જણાવ્યુ કે, "ભારત હાલમાં પણ 'સોનાની ચીડિયા' છે, પણ તેનો મુખ્ય હિસ્સો ભારતીય ઘરોમાં સંગ્રહિત છે. જો એ સોનાને અર્થતંત્રમાં સામેલ કરી શકાય, તો દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ' દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપી શકે છે. જો લોકો પોતાનું સોનુ બેંકોમાં જમા કરાવે, તો ભારત એક મોટા ગોલ્ડ ઈમ્પોર્ટરથી ગોલ્ડ એક્સપોર્ટર બની શકે છે."

દિલ્હીમાં સોનાના ભાવ હાલમાં રેકોર્ડ સ્તરે છે. શુક્રવારે, 99.9% શુદ્ધતા ધરાવતું સોનુ ₹86,070 પ્રતિ 10 ગ્રામના ઊંચા દરે પહોંચ્યું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ છે. ચાંદીના ભાવ પણ ₹96,500 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર રહ્યા.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
