AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Care : વાછરડુ અને નાના પશુઓના પેટના કીડા દૂર કરવા માટે 7 સરળ દેશી ઉપાયો જાણો !

બછડા અને પશુઓમાં પેટના કીડાની સમસ્યા સામાન્ય હોય છે. જો કે તે કીડા બછડા અને પશુઓના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. સમયસર યોગ્ય સારવારથી આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

| Updated on: Jun 27, 2026 | 1:54 PM
Share
ગુલમોહરના ફળનો ઉપયોગ : ગુલમોહરના 1થી 2 ફળને સારી રીતે કૂટી તેમાં થોડું પાણી ઉમેરી તેનો રસ કરવો. ત્યારબાદ આ રસ વાછરડુ અથવા નાના પશુને એક નાળ જેટલું પીવડાવવું. આ ઉપચારથી પેટના કીડા દસ્ત સાથે બહાર નીકળી જશે. ધ્યાન આપવું કે રસની માત્રા વધુ નહીં હોય. (Image Source | iStock)

ગુલમોહરના ફળનો ઉપયોગ : ગુલમોહરના 1થી 2 ફળને સારી રીતે કૂટી તેમાં થોડું પાણી ઉમેરી તેનો રસ કરવો. ત્યારબાદ આ રસ વાછરડુ અથવા નાના પશુને એક નાળ જેટલું પીવડાવવું. આ ઉપચારથી પેટના કીડા દસ્ત સાથે બહાર નીકળી જશે. ધ્યાન આપવું કે રસની માત્રા વધુ નહીં હોય. (Image Source | iStock)

1 / 8
લીમડો અને દાડમનાં પાનનો ઉપયોગ : 100 ગ્રામ લીમડાના પાન અને દાડમના પાન કૂટીને નાના ગ્લાસ પાણીમાં એક કલાક સુધી ભીંજવી રાખો. પછી તેને છાનીને વાછરડુને પિવડાવવું. આથી કીડા મરીને દસ્ત સાથે બહાર નીકળી જશે. આ ઉપચાર માત્ર દિવસમાં એક જ વાર કરવો જોઈએ. (Image Source | iStock)

લીમડો અને દાડમનાં પાનનો ઉપયોગ : 100 ગ્રામ લીમડાના પાન અને દાડમના પાન કૂટીને નાના ગ્લાસ પાણીમાં એક કલાક સુધી ભીંજવી રાખો. પછી તેને છાનીને વાછરડુને પિવડાવવું. આથી કીડા મરીને દસ્ત સાથે બહાર નીકળી જશે. આ ઉપચાર માત્ર દિવસમાં એક જ વાર કરવો જોઈએ. (Image Source | iStock)

2 / 8
મામેજવાનો ઉપયોગ : 150 ગ્રામ મામેજવા છોડના (Enicostemma littorale) પાન થોડા પાણી સાથે કૂટી તેનો રસ કાઢવો અને વાછરડુ તથા નાના પશુઓને ત્રણ દિવસ સુધી એક નાળ જેટલું પિવડાવવું. આથી કીડા દસ્ત સાથે બહાર નીકળી જાય છે. આ છોડ ખેતરની પાસે ઉગે છે. આશરે 1થી 1.5 ફૂટ ઊંચો હોય છે અને તેમાં સફેદ ફૂલ આવે છે. (Image Source | iStock)

મામેજવાનો ઉપયોગ : 150 ગ્રામ મામેજવા છોડના (Enicostemma littorale) પાન થોડા પાણી સાથે કૂટી તેનો રસ કાઢવો અને વાછરડુ તથા નાના પશુઓને ત્રણ દિવસ સુધી એક નાળ જેટલું પિવડાવવું. આથી કીડા દસ્ત સાથે બહાર નીકળી જાય છે. આ છોડ ખેતરની પાસે ઉગે છે. આશરે 1થી 1.5 ફૂટ ઊંચો હોય છે અને તેમાં સફેદ ફૂલ આવે છે. (Image Source | iStock)

3 / 8
કાળી જીરીનો ઉપયોગ : 50 ગ્રામ કાળી જીરી, 150 ગ્રામ ગોળ અને 500 ગ્રામ પાણી ભેળવી ઉકાળવું. ઠંડુ થયા પછી વાછરડુ અને નાના પશુઓને એક નાળ જેટલું આપવું. 2થી 3 દિવસ આપવાથી કીડા બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

કાળી જીરીનો ઉપયોગ : 50 ગ્રામ કાળી જીરી, 150 ગ્રામ ગોળ અને 500 ગ્રામ પાણી ભેળવી ઉકાળવું. ઠંડુ થયા પછી વાછરડુ અને નાના પશુઓને એક નાળ જેટલું આપવું. 2થી 3 દિવસ આપવાથી કીડા બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

4 / 8
લીમડાના પાન, છાસ અને મીઠું : 100 ગ્રામ લીમડાના પાન કૂટી તેનો રસ કાઢવો. એક ગ્લાસ છાસમાં મિક્સ કરીને તેમાં એક ચમચી મીઠું ઉમેરી વાછરડુ અને નાના પશુઓને પિવડાવવું. આ ઉપચાર ત્રણ દિવસ કરવો. આથી કીડા પેટમાથી બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

લીમડાના પાન, છાસ અને મીઠું : 100 ગ્રામ લીમડાના પાન કૂટી તેનો રસ કાઢવો. એક ગ્લાસ છાસમાં મિક્સ કરીને તેમાં એક ચમચી મીઠું ઉમેરી વાછરડુ અને નાના પશુઓને પિવડાવવું. આ ઉપચાર ત્રણ દિવસ કરવો. આથી કીડા પેટમાથી બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

5 / 8
કાળા મરી અને એરંડાનું તેલ : 500 ગ્રામ કાળા મરી કૂટી તેમાં 100 ગ્રામ એરંડાનું તેલ મિક્સ કરી વાછરડુ અને નાના પશુઓને નાળથી પિવડાવવું. આથી કીડા દસ્ત સાથે બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

કાળા મરી અને એરંડાનું તેલ : 500 ગ્રામ કાળા મરી કૂટી તેમાં 100 ગ્રામ એરંડાનું તેલ મિક્સ કરી વાછરડુ અને નાના પશુઓને નાળથી પિવડાવવું. આથી કીડા દસ્ત સાથે બહાર નીકળી જાય છે. (Image Source | iStock)

6 / 8
લસણ અને મીઠું : 3થી 4 લસણની કળી અને થોડું મીઠું બાજરીની રોટલી સાથે પશુને ખવડાવવું. દિવસમાં એક વાર ત્રણ દિવસ આપવાથી કીડા દૂર થાય છે. (Image Source | iStock)

લસણ અને મીઠું : 3થી 4 લસણની કળી અને થોડું મીઠું બાજરીની રોટલી સાથે પશુને ખવડાવવું. દિવસમાં એક વાર ત્રણ દિવસ આપવાથી કીડા દૂર થાય છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. યોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. યોગ્ય નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, Animal Care : ગાય-ભેંસ સહિત નાના-મોટા પશુઓમાં ઉધરસ અને તાવ માટે અસરકારક ઘરેલુ દેશી ઉપચાર જાણો. 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">