AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming At Home : મરચાના પાકમાં જીવાત અને રોગ નિયંત્રણ માટે જાણો 11 અસરકારક દેશી ઉપાય

મરચાંની ખેતીમાં પાન મરોડાવા, ફૂલ ખરવા અને વિવિધ જીવાતો જેવી સમસ્યાઓ થવી સામાન્ય બાબ છે. આવા રોગો પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર કરે છે. આ માટે ખેડૂતો પરંપરાગત અને દેશી ઉપાયો અપનાવીને ઓછા ખર્ચે નિયંત્રણ મેળવી શકે છે.

| Updated on: Jun 26, 2026 | 1:08 PM
Share
ફટકડીથી મરોડિયા રોગનું નિયંત્રણ : મરોડિયા રોગ મુખ્યત્વે મરચામાં જોવા મળે છે. આ રોગ ચૂસિયા (સફેદ માખી) જીવાતથી થાય છે અને ખાસ કરીને શિયાળામાં વધુ જોવા મળે છે. ઉપાય તરીકે 5 ફૂટના અંતરે 2 ઇંચ ઊંડો ખાડો ખોદી તેમાં ફટકડી નાખી ઢાંકી દેવી. પાણી આપતા ફટકડી ઓગળી જાય છે અને છોડને રોગથી બચાવે છે. પરિણામે ઉત્પાદન સારું મળે છે.

ફટકડીથી મરોડિયા રોગનું નિયંત્રણ : મરોડિયા રોગ મુખ્યત્વે મરચામાં જોવા મળે છે. આ રોગ ચૂસિયા (સફેદ માખી) જીવાતથી થાય છે અને ખાસ કરીને શિયાળામાં વધુ જોવા મળે છે. ઉપાય તરીકે 5 ફૂટના અંતરે 2 ઇંચ ઊંડો ખાડો ખોદી તેમાં ફટકડી નાખી ઢાંકી દેવી. પાણી આપતા ફટકડી ઓગળી જાય છે અને છોડને રોગથી બચાવે છે. પરિણામે ઉત્પાદન સારું મળે છે.

1 / 12
બકરીના દૂધ : મરોડિયા રોગથી મરચાંના ફૂલ પડી જાય છે. સવારના સમયે 100 ગ્રામ તાજું બકરીનું દૂધ છોડ પર છાંટવાથી રોગમાં રાહત મળી શકે છે અને ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા રહે છે.

બકરીના દૂધ : મરોડિયા રોગથી મરચાંના ફૂલ પડી જાય છે. સવારના સમયે 100 ગ્રામ તાજું બકરીનું દૂધ છોડ પર છાંટવાથી રોગમાં રાહત મળી શકે છે અને ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા રહે છે.

2 / 12
ગૂગળનો ઉપયોગ : ગૂગળ વૃક્ષમાંથી નીકળતો સુગંધિત ગુંદર છે. એક વાસણમાં સળગતું કોળસો લઈ તેમાં ગૂગળ નાખી ખેતરમાં રાખવું. પવન દ્વારા ધુમાડો ખેતરમાં ફેલાય છે. આ પ્રક્રિયા વહેલી સવારે દર 2 દિવસ પછી ફરી કરવી. આથી પાકમાં સુધારો થાય છે.

ગૂગળનો ઉપયોગ : ગૂગળ વૃક્ષમાંથી નીકળતો સુગંધિત ગુંદર છે. એક વાસણમાં સળગતું કોળસો લઈ તેમાં ગૂગળ નાખી ખેતરમાં રાખવું. પવન દ્વારા ધુમાડો ખેતરમાં ફેલાય છે. આ પ્રક્રિયા વહેલી સવારે દર 2 દિવસ પછી ફરી કરવી. આથી પાકમાં સુધારો થાય છે.

3 / 12
બીજ વાવેતર પહેલાંની તૈયારી : મરચાં વાવતાં પહેલાં જમીનમાં પાણી આપી 3થી 4 દિવસ સુધી ભીની રાખવી. ત્યારબાદ જમીનને સારી રીતે નરમ બનાવી બીજ વાવવું. બીજ પર પલાશના પાન ઢાંકવાથી ભેજ જળવાઈ રહે છે. આ રીતે અંકુરણ ઝડપી થાય છે અને મરોડિયા રોગની શક્યતા ઘટે છે.

બીજ વાવેતર પહેલાંની તૈયારી : મરચાં વાવતાં પહેલાં જમીનમાં પાણી આપી 3થી 4 દિવસ સુધી ભીની રાખવી. ત્યારબાદ જમીનને સારી રીતે નરમ બનાવી બીજ વાવવું. બીજ પર પલાશના પાન ઢાંકવાથી ભેજ જળવાઈ રહે છે. આ રીતે અંકુરણ ઝડપી થાય છે અને મરોડિયા રોગની શક્યતા ઘટે છે.

4 / 12
ગોમૂત્ર અને છાશનો છંટકાવ : 5 લિટર ગોમૂત્ર અને 6 લિટર ખાટી છાશ મિક્સ કરી છોડ પર છાંટવું. 8થી 10 દિવસમાં મરોડિયા રોગમાં સુધારો જોવા મળે છે.

ગોમૂત્ર અને છાશનો છંટકાવ : 5 લિટર ગોમૂત્ર અને 6 લિટર ખાટી છાશ મિક્સ કરી છોડ પર છાંટવું. 8થી 10 દિવસમાં મરોડિયા રોગમાં સુધારો જોવા મળે છે.

5 / 12
પાન મરોડાવાનો નિયંત્રણ : મરચાં, રીંગણ અને ટમેટામાં પાન મરોડાવાની સમસ્યા જોવા મળે છે. સિંચાઈ દરમિયાન થોડું કેરોસિન પાણીમાં ટપકાવવું. ત્યારબાદ થોડું ચૂનો છાંટવું. 2થી 3 દિવસના અંતરે આ પ્રક્રિયા પુનરાવર્તન કરવાથી લાભ મળી શકે છે.

પાન મરોડાવાનો નિયંત્રણ : મરચાં, રીંગણ અને ટમેટામાં પાન મરોડાવાની સમસ્યા જોવા મળે છે. સિંચાઈ દરમિયાન થોડું કેરોસિન પાણીમાં ટપકાવવું. ત્યારબાદ થોડું ચૂનો છાંટવું. 2થી 3 દિવસના અંતરે આ પ્રક્રિયા પુનરાવર્તન કરવાથી લાભ મળી શકે છે.

6 / 12
કનેરથી નિયંત્રણ : સફેદ કનેરના 2 કિલો પાન પીસીને 5 લિટર પાણીમાં મિક્સ કરી છાંટવું. દર 15 દિવસે એક વખત કરવાથી જીવાત નિયંત્રિત થાય છે.

કનેરથી નિયંત્રણ : સફેદ કનેરના 2 કિલો પાન પીસીને 5 લિટર પાણીમાં મિક્સ કરી છાંટવું. દર 15 દિવસે એક વખત કરવાથી જીવાત નિયંત્રિત થાય છે.

7 / 12
ફૂલ ખરવાની સમસ્યા માટે ઉપાય : 50 ગ્રામ હીંગ અને 500 ગ્રામ જૂનો બાજરીનો લોટ મિક્સ કરો. આ મિશ્રણની પોટલી બનાવી પાણી આપતી વખતે ખેતરમાં રાખો. આ ઉપાયથી ફૂલ ખરવાની સમસ્યા ઘટે છે. સાથે જ મરોડિયા રોગ થવાની શક્યતા પણ ઓછી થાય છે.

ફૂલ ખરવાની સમસ્યા માટે ઉપાય : 50 ગ્રામ હીંગ અને 500 ગ્રામ જૂનો બાજરીનો લોટ મિક્સ કરો. આ મિશ્રણની પોટલી બનાવી પાણી આપતી વખતે ખેતરમાં રાખો. આ ઉપાયથી ફૂલ ખરવાની સમસ્યા ઘટે છે. સાથે જ મરોડિયા રોગ થવાની શક્યતા પણ ઓછી થાય છે.

8 / 12
બકરીના દૂધનો બીજો ઉપાય : 1 બીઘા માટે 250થી 300 ગ્રામ બકરીનું દૂધ અને એટલું જ પાણી મિક્સ કરી અઠવાડિયામાં બે વખત છાંટવું. આથી મરોડિયા રોગ નિયંત્રિત થાય છે.

બકરીના દૂધનો બીજો ઉપાય : 1 બીઘા માટે 250થી 300 ગ્રામ બકરીનું દૂધ અને એટલું જ પાણી મિક્સ કરી અઠવાડિયામાં બે વખત છાંટવું. આથી મરોડિયા રોગ નિયંત્રિત થાય છે.

9 / 12
ગાયનું દૂધ અને ચામડાનો ઉપયોગ : ગાયનું દૂધ અને ચામડાનો ધુમાડો આપવાથી વાયરસથી થતો મરોડિયા રોગ ઓછો થઈ શકે છે.

ગાયનું દૂધ અને ચામડાનો ઉપયોગ : ગાયનું દૂધ અને ચામડાનો ધુમાડો આપવાથી વાયરસથી થતો મરોડિયા રોગ ઓછો થઈ શકે છે.

10 / 12
તાડીના રસથી ચૂસિયા જીવાત નિયંત્રણ : 1.5 લિટર તાડીનો રસ 15 લિટર પાણીમાં મિક્સ કરી છાંટવો જોઈએ. જરૂર પડે તો 10 દિવસ પછી ફરી છાંટવું. આ ઉપાય વર્ષોથી અસરકારક છે.

તાડીના રસથી ચૂસિયા જીવાત નિયંત્રણ : 1.5 લિટર તાડીનો રસ 15 લિટર પાણીમાં મિક્સ કરી છાંટવો જોઈએ. જરૂર પડે તો 10 દિવસ પછી ફરી છાંટવું. આ ઉપાય વર્ષોથી અસરકારક છે.

11 / 12
નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

12 / 12

આ પણ વાંચો, Cotton Farming Tips : જૈવિક અને પરંપરાગત પદ્ધતિથી કપાસની ખેતી કરવાની 7 અસરકારક રીત !

Follow Us
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
g clip-path="url(#clip0_868_265)">