Breaking News: ભારત-આયર્લેન્ડ મેચમાં વરસાદ પડે તો વિજેતા કેવી રીતે નક્કી થશે? જાણો ICC નો નિયમ
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બેલફાસ્ટમાં વરસાદની આગાહી વચ્ચે ચાહકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો મેચ ધોવાઈ જાય તો પરિણામ કેવી રીતે જાહેર થશે? જાણો શું છે ICCના નિયમો.

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની બે મેચની T20 શ્રેણીની શરૂઆત આજે બેલફાસ્ટમાં થઈ. જોકે મેચ પહેલા હવામાન વિભાગે મેચ દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.

Accuweather અનુસાર સ્થાનિક સમય મુજબ બપોરે 1 થી 4 વાગ્યાની વચ્ચે વરસાદની શક્યતા વધારે છે. જેના કારણે મેચમાં વરસાદ વિક્ષેપ ઊભો કરી શકે છે.

જો વરસાદ લાંબા સમય સુધી ચાલુ રહે તો અમ્પાયરો ઓવરોમાં ઘટાડો કરી શકે છે. ICCના નિયમો મુજબ પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ રમાવાનો પ્રયાસ કરવામાં આવશે.

જો પાંચ ઓવરની મેચ પણ શક્ય નહીં બને તો મેચ રદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં કોઈ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે નહીં અને બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે નહીં, કારણ કે આ દ્વિપક્ષીય શ્રેણીની મેચ છે.

તમામની નજર બેલફાસ્ટના હવામાન પર છે. જો વરસાદ વિક્ષેપ નહીં પાડે તો બંને ટીમો વચ્ચે મજેદાર મુકાબલો જોવા મળશે, પરંતુ વરસાદ લાંબો ચાલે તો ચાહકોને નિરાશ થવું પડી શકે છે. (PC:PTI/X)
Breaking News: ભારતીય મૂળના યુવકે ભારત સામે કર્યું ડેબ્યૂ, રાજસ્થાનથી આયર્લેન્ડ સુધીની અનોખી સફર
