અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List
આવતીકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેમના વરદ્દ હસ્તે "સાંસદ ખેલકૂદ સ્પર્ધા- ગાંધીનગર સાંસદ જન મહોત્સવ" અંતર્ગત યોજાનાર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ- GLPLનો શુભારંભ થવા જઇ રહ્યો છે. આ સાથે તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોની ભેટ આપશે.

અમદાવાદના આંગણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે અને અહીં વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તારીખ 12ના રોજ સવાર થી સમગ્ર સિડયુલ અનુસાર તેઓ અમદાવાદના આંગણે કાર્યક્રમોમાં હાજર રહેશે.

AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન સવારે 10:00 કલાકે કરશે. આ બાદ નવનિર્મિત વાડજ શાળા નંબર 1 નું ઉદ્ઘાટન સવારે 10:45 કલાકે લોકાર્પણ કરશે.

પુનર્વસન યોજ્ના હેઠળ નવનિર્મિત EWS આવાસોનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે કરવામાં આવશે. સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ'નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.
