AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવાર, સાંજ કે રાત? દૂધ પીવાનો ‘સાચો સમય’ કયો? ખોટા સમયે પીશો તો ગેસ અને કફ થવાનું નક્કી

શું તમે પણ એવું માનો છો કે, દિવસમાં ગમે ત્યારે દૂધ પી લેવાથી શરીરને તાકાત જ મળશે? જો હા, તો આયુર્વેદનો આ નિયમ તમારો વિચાર બદલી નાખશે. વાત એમ છે કે, જે દૂધને આપણે સ્વાસ્થ્ય માટે અમૃત માનીએ છીએ, તે જ દૂધ જો ખોટા સમયે કે ખોટી રીતે પીવામાં આવે તો ફાયદાને બદલે શરીરમાં ગેસ, કફ અને નબળા પાચન જેવી મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. હવે સવાલ એ છે કે, દૂધ પીવાનો સાચો સમય કયો?

| Updated on: Sep 08, 2026 | 2:13 PM
Share
દૂધને આયુર્વેદમાં પોષણ આપનારો આહાર માનવામાં આવ્યો છે. તે શરીરને શક્તિ આપે છે અને વાયુ-પિત્તને શાંત કરવામાં મદદ કરી શકે છે. જો કે, દરેક વ્યક્તિ માટે એક જ સમયે દૂધ પીવું લાભદાયી નથી હોતું. 'સાચો સમય' તમારી ઉંમર, પાચનશક્તિ, દિનચર્યા અને શરીરની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. તેથી, સવાર કે રાતમાંથી કોઈ એક સમયને બધા માટે યોગ્ય માનવો ઠીક નથી.

દૂધને આયુર્વેદમાં પોષણ આપનારો આહાર માનવામાં આવ્યો છે. તે શરીરને શક્તિ આપે છે અને વાયુ-પિત્તને શાંત કરવામાં મદદ કરી શકે છે. જો કે, દરેક વ્યક્તિ માટે એક જ સમયે દૂધ પીવું લાભદાયી નથી હોતું. 'સાચો સમય' તમારી ઉંમર, પાચનશક્તિ, દિનચર્યા અને શરીરની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. તેથી, સવાર કે રાતમાંથી કોઈ એક સમયને બધા માટે યોગ્ય માનવો ઠીક નથી.

1 / 7
બાળકો, કિશોરો અને દિવસભર શારીરિક મહેનત કરનારાઓ માટે સવારે દૂધ પીવું ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી શરીરને ઊર્જા અને પોષણ મળી શકે છે. જો કે, નબળી પાચનશક્તિવાળા લોકોને સવારે ખાલી પેટ દૂધ પીવાથી ભારેપણું, ગેસ કે સુસ્તી અનુભવાઈ શકે છે. આવા લોકોએ નાસ્તાથી અલગ નવશેકું (હળવું ગરમ) દૂધ લેવું. દૂધ પીધા પછી તરત જ ખારું કે ખાટું ભોજન લેવાથી પણ બચવું.

બાળકો, કિશોરો અને દિવસભર શારીરિક મહેનત કરનારાઓ માટે સવારે દૂધ પીવું ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી શરીરને ઊર્જા અને પોષણ મળી શકે છે. જો કે, નબળી પાચનશક્તિવાળા લોકોને સવારે ખાલી પેટ દૂધ પીવાથી ભારેપણું, ગેસ કે સુસ્તી અનુભવાઈ શકે છે. આવા લોકોએ નાસ્તાથી અલગ નવશેકું (હળવું ગરમ) દૂધ લેવું. દૂધ પીધા પછી તરત જ ખારું કે ખાટું ભોજન લેવાથી પણ બચવું.

2 / 7
સાંજે દૂધ પીવાની મનાઈ નથી પરંતુ આ સમય દરેક માટે અનુકૂળ નથી હોતો. આયુર્વેદ અનુસાર, દૂધ સ્વભાવથી ભારે હોય છે. સાંજે પાચનક્રિયા ધીમી પડવા લાગે ત્યારે આનાથી પેટ ભરેલું લાગી શકે છે. જો સાંજે દૂધ પીવું જ હોય તો, તેને હળવું ગરમ કરીને અને ઓછી માત્રામાં લેવું. દૂધ પીધા પછી તરત જ ભારે રાત્રિભોજન લેવાથી બચવું વધુ સારું રહેશે.

સાંજે દૂધ પીવાની મનાઈ નથી પરંતુ આ સમય દરેક માટે અનુકૂળ નથી હોતો. આયુર્વેદ અનુસાર, દૂધ સ્વભાવથી ભારે હોય છે. સાંજે પાચનક્રિયા ધીમી પડવા લાગે ત્યારે આનાથી પેટ ભરેલું લાગી શકે છે. જો સાંજે દૂધ પીવું જ હોય તો, તેને હળવું ગરમ કરીને અને ઓછી માત્રામાં લેવું. દૂધ પીધા પછી તરત જ ભારે રાત્રિભોજન લેવાથી બચવું વધુ સારું રહેશે.

3 / 7
આયુર્વેદિક માન્યતામાં રાતનો સમય દૂધ પીવા માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. નવશેકું દૂધ શરીરને આરામ આપવા અને મનને શાંત કરવા વાળી દિનચર્યાનો હિસ્સો બની શકે છે. તેને રાતના ભોજન પછી તરત જ ન પીવું. ભોજન અને દૂધ વચ્ચે લગભગ દોઢથી બે કલાકનો તફાવત રાખવો. ઊંઘવાના 30 થી 60 મિનિટ પહેલાં થોડી માત્રામાં દૂધ લઈ શકાય છે.

આયુર્વેદિક માન્યતામાં રાતનો સમય દૂધ પીવા માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. નવશેકું દૂધ શરીરને આરામ આપવા અને મનને શાંત કરવા વાળી દિનચર્યાનો હિસ્સો બની શકે છે. તેને રાતના ભોજન પછી તરત જ ન પીવું. ભોજન અને દૂધ વચ્ચે લગભગ દોઢથી બે કલાકનો તફાવત રાખવો. ઊંઘવાના 30 થી 60 મિનિટ પહેલાં થોડી માત્રામાં દૂધ લઈ શકાય છે.

4 / 7
આયુર્વેદમાં સામાન્ય રીતે ઉકાળેલું અને હળવું નવશેકું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. ફ્રિજમાંથી કાઢેલું ખૂબ ઠંડું દૂધ કેટલાક લોકો માટે પચાવવું મુશ્કેલ હોઈ શકે છે. આનાથી પેટ ફૂલવું કે કફ જેવું અનુભવાઈ શકે છે. દૂધને ઉકાળીને હળવું ઠંડું થવા દો. તેને વારંવાર ગરમ કરવાથી બચવું. સ્વાદ માટે થોડી ઈલાયચી ઉમેરી શકાય છે પરંતુ સલાહ વગર ઘણી બધી જડીબુટ્ટીઓ ન ભેળવવી.

આયુર્વેદમાં સામાન્ય રીતે ઉકાળેલું અને હળવું નવશેકું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. ફ્રિજમાંથી કાઢેલું ખૂબ ઠંડું દૂધ કેટલાક લોકો માટે પચાવવું મુશ્કેલ હોઈ શકે છે. આનાથી પેટ ફૂલવું કે કફ જેવું અનુભવાઈ શકે છે. દૂધને ઉકાળીને હળવું ઠંડું થવા દો. તેને વારંવાર ગરમ કરવાથી બચવું. સ્વાદ માટે થોડી ઈલાયચી ઉમેરી શકાય છે પરંતુ સલાહ વગર ઘણી બધી જડીબુટ્ટીઓ ન ભેળવવી.

5 / 7
દૂધને પોતાનામાં જ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આથી, તેની સાથે ઘણી બધી વસ્તુઓ ઉમેરવાની જરૂર નથી. આયુર્વેદ દૂધ સાથે મીઠું (નમક), ખાટી વસ્તુઓ અને ખાટાં ફળોનું સેવન યોગ્ય નથી માનતું. દૂધ પીતી વખતે અથાણું, નમકીન, લીંબુ અને ખાટાં ફળો ન લેવાં. ભોજન સાથે ગ્લાસ ભરીને દૂધ પીવાને બદલે તેને અલગ સમયે લેવું પાચન માટે વધુ સરળ બની શકે છે.

દૂધને પોતાનામાં જ એક સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. આથી, તેની સાથે ઘણી બધી વસ્તુઓ ઉમેરવાની જરૂર નથી. આયુર્વેદ દૂધ સાથે મીઠું (નમક), ખાટી વસ્તુઓ અને ખાટાં ફળોનું સેવન યોગ્ય નથી માનતું. દૂધ પીતી વખતે અથાણું, નમકીન, લીંબુ અને ખાટાં ફળો ન લેવાં. ભોજન સાથે ગ્લાસ ભરીને દૂધ પીવાને બદલે તેને અલગ સમયે લેવું પાચન માટે વધુ સરળ બની શકે છે.

6 / 7
જો તમારું પાચન સારું છે અને દિવસભર ઊર્જા જોઈએ છે, તો સવારે દૂધ લઈ શકાય છે. સાંજે લેવાથી ભારેપણું લાગે તો સમય બદલી નાખો. સારી ઊંઘ અને આરામદાયક દિનચર્યા માટે રાત્રે નવશેકું દૂધ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. શરૂઆત અડધો કપ અથવા તમારી સામાન્ય સહનશીલ માત્રાથી કરો. દૂધથી ગેસ, ઝાડા, પેટમાં દુખાવો કે ખંજવાળ આવે તો જબરદસ્તી ન પીવું. લેક્ટોઝ ઇન્ટોલરન્સ, દૂધની એલર્જી, કિડનીના રોગ કે કોઈ ખાસ બીમારીમાં ડોક્ટર અથવા યોગ્ય આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

જો તમારું પાચન સારું છે અને દિવસભર ઊર્જા જોઈએ છે, તો સવારે દૂધ લઈ શકાય છે. સાંજે લેવાથી ભારેપણું લાગે તો સમય બદલી નાખો. સારી ઊંઘ અને આરામદાયક દિનચર્યા માટે રાત્રે નવશેકું દૂધ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. શરૂઆત અડધો કપ અથવા તમારી સામાન્ય સહનશીલ માત્રાથી કરો. દૂધથી ગેસ, ઝાડા, પેટમાં દુખાવો કે ખંજવાળ આવે તો જબરદસ્તી ન પીવું. લેક્ટોઝ ઇન્ટોલરન્સ, દૂધની એલર્જી, કિડનીના રોગ કે કોઈ ખાસ બીમારીમાં ડોક્ટર અથવા યોગ્ય આયુર્વેદ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

7 / 7
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને હેલ્થ એક્સપર્ટ્સના સૂચનો પર આધારિત છે. કોઈપણ આહાર કે ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

રોટલી બદલો, હેલ્થ બદલાશે! બ્લડ સુગર, વજન અને કબજિયાતમાં જુવારનો લોટ કેમ છે ‘બેસ્ટ’? જાણો તેના ‘અદ્ભુત ફાયદા’

Follow Us
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વડોદરાની પ્રખ્યાત 'દાસ પેંડા'ની કાજુ કતરીમાંથી નીકળી ફૂગ! Video
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, પોલીસની ચાંપતી નજર
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
આજનું રાશિફળ : કુંભને અણધારી આવક, વૃશ્ચિકે સાવધાન રહેવું
"ભારતીયો હાથથી કેમ ખાય છે?" અમેરિકન યુઝરે કેમ પૂછ્યો આવો સવાલ?
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
સિંગર કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં મોટો વળાંક
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની 'દાદાગીરી', પોલીસ કાર્યવાહીના આદેશ
g clip-path="url(#clip0_868_265)">