AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: માં લક્ષ્મીને ગમતી આ ‘5 વસ્તુ’ ઘરમાં રાખો, જીવન ધન્ય-ધન્ય થઈ જશે

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ ઇચ્છે છે. જો કે, આના માટે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે. એવામાં ચાલો જાણીએ કે, માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કઈ 5 વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ.

| Updated on: Jun 11, 2025 | 2:32 PM
Share
સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધન અને સૌભાગ્યની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કેટલીક ખાસ વસ્તુઓ એટલી પવિત્ર અને શુભ હોય છે કે તેની હાજરી જ સીધી માં લક્ષ્મીને તમારા ઘર તરફ ખેંચે છે. જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મીના પસંદની ખાસ વસ્તુઓ રાખો છો, તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ગરીબી દૂર થાય છે.

સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધન અને સૌભાગ્યની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, કેટલીક ખાસ વસ્તુઓ એટલી પવિત્ર અને શુભ હોય છે કે તેની હાજરી જ સીધી માં લક્ષ્મીને તમારા ઘર તરફ ખેંચે છે. જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મીના પસંદની ખાસ વસ્તુઓ રાખો છો, તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ગરીબી દૂર થાય છે.

1 / 6
પૂજા ઘંટડી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા સ્થાન પર એક નાની ઘંટડી રાખવી જોઈએ. પૂજા દરમિયાન દરરોજ સવારે અને સાંજે તે ઘંટડી વગાડો. ઘંટડીનો મધુર અવાજ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

પૂજા ઘંટડી: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા સ્થાન પર એક નાની ઘંટડી રાખવી જોઈએ. પૂજા દરમિયાન દરરોજ સવારે અને સાંજે તે ઘંટડી વગાડો. ઘંટડીનો મધુર અવાજ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

2 / 6
કુબેર યંત્ર : ઘરમાં કુબેર યંત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઘરમાં પૂજા સ્થાન પર કુબેર યંત્ર મૂકી રાખો. કુબેર યંત્રને ઉત્તર દિશામાં મૂકવામાં આવે છે. આનાથી તમારી આવકમાં વધારો થાય છે અને નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે.

કુબેર યંત્ર : ઘરમાં કુબેર યંત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઘરમાં પૂજા સ્થાન પર કુબેર યંત્ર મૂકી રાખો. કુબેર યંત્રને ઉત્તર દિશામાં મૂકવામાં આવે છે. આનાથી તમારી આવકમાં વધારો થાય છે અને નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે.

3 / 6
તુલસીનું ઝાડ : તુલસીના ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તુલસીના ઝાડમાં લક્ષ્મીનો વાસ હોય છે. પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ સંકેત છે. દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસી આગળ દીવો પ્રગટાવો.

તુલસીનું ઝાડ : તુલસીના ઝાડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તુલસીના ઝાડમાં લક્ષ્મીનો વાસ હોય છે. પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ સંકેત છે. દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસી આગળ દીવો પ્રગટાવો.

4 / 6
શંખ : પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શંખ છે. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી શંખમાં રહે છે. આથી, તમારે તમારા ઘરમાં શંખ ​​રાખવો જોઈએ. જણાવી દઈએ કે, શંખને પૂર્વ દિશામાં રાખવો જોઈએ. શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

શંખ : પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શંખ છે. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી શંખમાં રહે છે. આથી, તમારે તમારા ઘરમાં શંખ ​​રાખવો જોઈએ. જણાવી દઈએ કે, શંખને પૂર્વ દિશામાં રાખવો જોઈએ. શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

5 / 6
માં લક્ષ્મીની મૂર્તિ : જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મી રાખવા માંગતા હોવ, તો તમારે તેમનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મીની મૂર્તિ તમે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી છો, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.

માં લક્ષ્મીની મૂર્તિ : જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મી રાખવા માંગતા હોવ, તો તમારે તેમનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મીની મૂર્તિ તમે ઉત્તર-પૂર્વ દિશામાં રાખી છો, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે.

6 / 6

(Disclaimer: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">