કાનુની સવાલ: કૂતરુ કરડે તો ફરિયાદ ક્યા કરવી, કોર્ટે આ માટે કેવા નિયમો બનાવેલા છે?
કાનુની સવાલ: કૂતરા કરડવાની ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય છે અને ભારતમાં તેના માટે રિપોર્ટિંગ અને વળતર સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને કોર્ટના નિર્ણયો છે. અમદાવાદની એક રહેણાંક સોસાયટીમાં પાલતુ રોટવીલર કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે કેસ નોંધ્યો છે.

સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવો: કૂતરા કરડવાની કોઈપણ ઘટનાની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. પોલીસે DDR (ડેઇલી ડાયરી રિપોર્ટ) દાખલ કરીને ઘટનાની તપાસ કરવી જોઈએ.

મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટીને જાણ કરો: તમે તમારા વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટી ઓફિસને પણ જાણ કરી શકો છો. જેથી તેઓ જરૂરી કાર્યવાહી કરી શકે. જેમ કે રખડતા કૂતરાઓને પકડવા અથવા પાલતુ કૂતરાના માલિકો સામે કાર્યવાહી કરવી. તબીબી સહાય મેળવો: કૂતરો કરડ્યા પછી, તાત્કાલિક તબીબી સહાય મેળવો અને જરૂરી રસીકરણ કરાવો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે નવેમ્બર 2023 માં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં કૂતરા કરડવાના કેસોમાં વળતર માટે આ નિર્દેશો આપવામાં આવ્યા હતા: દરેક દાંતના નિશાન માટે ₹10,000નું વળતર: જો કૂતરાના કરડવાથી શરીર પર દાંતના નિશાન હોય તો દરેક નિશાન માટે ₹10,000નું વળતર આપવામાં આવશે.

જો ચામડીમાંથી માંસ નીકળી ગયું હોય તો 0.2 સેમીના ઘા માટે ₹20,000: જો કૂતરાના બટકા ભરવાને લીધે ચામડીમાંથી માંસ નીકળી ગયું હોય તો દરેક 0.2 સેમીના ઘા માટે ₹20,000નું વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારની જવાબદારી: વળતરની ચુકવણી રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી રહેશે. જે પછીથી તેને સંબંધિત એજન્સીઓ અથવા વ્યક્તિઓ પાસેથી વસૂલ કરી શકે છે.

વળતર નક્કી કરવા માટે સમિતિઓની રચના: દરેક જિલ્લામાં ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓની રચના કરવામાં આવશે, જે ચાર મહિનામાં વળતર નક્કી કરશે. પોલીસને DDR નોંધવા સૂચનાઓ: કૂતરા કરડવાની કોઈપણ ઘટનાની માહિતી મળતાં, સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે કોઈપણ વિલંબ વિના DDR નોંધવું પડશે.

જાણો કાયદો શું કહે છે?: માલિક IPC ની કલમ 289 હેઠળ પાળતુ પ્રાણીના કૃત્યો માટે જવાબદાર છે. કલમ હેઠળ એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાની જેલ અથવા બંને સજા થઈ શકે છે. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
