કાનુની સવાલ : પતિએ પત્નીના સંબંધીઓ સામે 80 કેસ દાખલ કર્યા, 16 વર્ષ જુના કેસમાં કલમ 142નો ઉપયોગ કરાયો
સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના કેસને પૂર્ણ કરવા માટે આર્ટિકલ 142નો ઉપયોગ કર્યો હતો.સુપ્રીમ કોર્ટે આ વિવાદને મહાભારત જેવો યુદ્ધ ગણાવ્યો છે. તો ચાલો જાણીએ સુપ્રીમ કોર્ટના 16 વર્ષના જુના કેસ વિશે.

સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જુના કેસ પર નિર્ણય સંભળાવતા બુધવારે લગ્નને પૂર્ણ કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ કેસ માટે તેમણે બંધારણની કલમ 142 હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો છે. તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

આ કેસ સંબંધિત પતિએ પોતાની પત્ની તેમજ તેના સગા સંબંધીઓ અને વકિલ વિરુદ્ધ 80થી વધારે કેસ દાખલ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસને મહાભારતની વૈવાહિક લડાઈ ગણાવી છે.

આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે, પ્રતિવાદી પતિ, જે વ્યવસાયે વકીલ છે, તેના વર્તનની આકરી ટીકા કરી. કોર્ટે જણાવ્યું હતું કે, તેણે કાનૂની કુશળતાના અભાવને કારણે જાણી જોઈને ટ્રાયલ વિલંબિત કરી હતી.સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તેણે તેની પત્નીના વકીલ વિરુદ્ધ વિવિધ સ્થળોએ નવ કેસ દાખલ કરીને હેરાન પણ કર્યો હતો.પ્રતિવાદી-પતિ, એક કાનૂની વ્યાવસાયિક હોવાને કારણે, ન્યાયિક પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માટે પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરી રહ્યા હતા અને અપીલકર્તા પત્ની વતી હાજર રહેલા વકીલોને ધમકી આપી રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં વકીલ પતિ દ્વારા દલીલ કરવામાં આવી હતી. કે, તેની પત્ની ભણેલી ગણેલી છે. તે ભરણ પોણષણની રકમ એટલે કે, એલિમનીની રકમ આપવાની સ્થિતિમાં નથી. પરંતુ તમામ વસ્તુઓને જોઈ સુપ્રીમ કોર્ટે અપીલ કરનારી પત્નીને 5 કરોડ રુપિયા એલિમની તરીકે આપવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આ કેસ સંબંધિત તમામ પાર્ટી તેમજ તેના સંબંધીઓ અને મહિલાના વકીલ પર નોંઘાયેલા કેસને રદ કર્યો હતો.જાણો શું છે સમગ્ર મામલો. આ કપલના લગ્ન 2010માં થયા હતા. બંન્નેને લગ્નથી 2 દીકરા છે. વર્ષો બાદ બંન્ને વચ્ચે વિવાદ શરુ થયો હતો. 2016માં બંન્ને અલગ રહેવા લાગ્યા હતા. ત્યારથી કાનુની લડાઈ ચાલી રહી હતી. પત્નીનો આરોપ હતો કે, પતિ તેને અને બંન્ને બાળકોને લઈ તમામ જવાબદારીઓ નિભાવવાની છોડી દીધી હતી.

મહિલાના વકીલોનું કહેવું છે કે, મેન્ટેનસને લઈ ફેમિલી કોર્ટે અને હાઈકોર્ટ સુધીના આદેશનું પતિ પાલન કરવા માટે તૈયાર ન હતા. જ્યારે તે અનેક કંપનીમાં ડાયરેક્ટરની ભૂમિકામાં હતા પરંતુ રાજીનામું આપી દીધું.આ મહિલા તેના બે પુત્રોને ઉછેરવા માટે કોલકાતામાં કામ કરતી હતી અને હવે તેમના શિક્ષણ માટે મુંબઈ ગઈ છે.

એવું પ્રકાશમાં આવ્યું છે કે પ્રતિવાદી પતિ, જે ઘણી કંપનીઓમાં ડિરેક્ટર હતા, તેમણે તેમની નાણાકીય જવાબદારી ટાળવાના એકમાત્ર હેતુથી તે હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ લગ્નને 'અપરિવર્તનીય ભંગાણ' ના આધાર પર સમાપ્ત કર્યા છે. જેના માટે તેને સંવિધાનના વિશેષાધિકાર આર્ટિકલ 142નો ઉપયોગ કર્યો છે.

છુટાછેડા પછી શું થશે. બંન્ને દીકરાની કસ્ટડી તેની માતા પાસે રહેશે. પિતાની પાસે બંન્ને દીકરાને મળવાનો અધિકાર રહેશે. પિતાને એક વર્ષની અંદર 5 કરોડ રુપિયાની રકમ પત્નીને આપવી પડશે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
