AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતને T20 વર્લ્ડ કપ જીતાડનાર હાર્દિક પંડ્યાને T20 ટીમમાંથી બહાર કરવામાં આવશે? જાણો કારણ

IPL 2026 માં હાર્દિકનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જે બાદ તે આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સમાં નહીં રમે તેવી ચર્ચા છે. IPL 2026 બાદ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે વનડે શ્રેણીમાં રમતો જોવા મળશે. જોકે આ સિઝન પહેલા ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડનાર ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 ટીમમાંથી બહાર થશે તેવા સમાચાર સામે આવ્યા છે.

| Updated on: Jun 04, 2026 | 5:22 PM
Share
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 6 જૂને થવાની શક્યતા છે. જોકે, આ પ્રવાસો માટે હાર્દિક પંડ્યાની પસંદગી અશક્ય લાગે છે. એટલે કે, તેને ભારતની T20 ટીમમાંથી બહાર કરી શકાય છે. હાર્દિકને T20 ટીમમાંથી બહાર કરવા પાછળ ભારતીય પસંદગીકારોનો હેતુ ODI વર્લ્ડ કપ સાથે સંબંધિત છે.

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 6 જૂને થવાની શક્યતા છે. જોકે, આ પ્રવાસો માટે હાર્દિક પંડ્યાની પસંદગી અશક્ય લાગે છે. એટલે કે, તેને ભારતની T20 ટીમમાંથી બહાર કરી શકાય છે. હાર્દિકને T20 ટીમમાંથી બહાર કરવા પાછળ ભારતીય પસંદગીકારોનો હેતુ ODI વર્લ્ડ કપ સાથે સંબંધિત છે.

1 / 6
ભારત આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ODI વર્લ્ડ કપ રમવાનું છે, જ્યાં અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઝડપી અને ઉછાળવાળી પિચો પર મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી, પસંદગીકારો શક્ય તેટલી વધુ ODI મેચોમાં પંડ્યાને રમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

ભારત આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં ODI વર્લ્ડ કપ રમવાનું છે, જ્યાં અનુભવી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઝડપી અને ઉછાળવાળી પિચો પર મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. તેથી, પસંદગીકારો શક્ય તેટલી વધુ ODI મેચોમાં પંડ્યાને રમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

2 / 6
હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ODI શ્રેણીમાં હાર્દિકના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. તે 10 ઓવર ફેંકી શકે છે કે નહીં તેના પર ખાસ ફોકસ છે. ભારતીય પસંદગીકારો તેને ઈજાથી બચાવીને 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

હાર્દિક પંડ્યાને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ODI શ્રેણીમાં હાર્દિકના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. તે 10 ઓવર ફેંકી શકે છે કે નહીં તેના પર ખાસ ફોકસ છે. ભારતીય પસંદગીકારો તેને ઈજાથી બચાવીને 2027 ODI વર્લ્ડ કપ માટે તૈયાર કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

3 / 6
હાર્દિક પંડ્યા માટે ઈજાઓ માથાનો દુખાવો બની રહી છે. IPL 2026 દરમિયાન તેને કમરના દુખાવાની સમસ્યા થઈ હતી, જેના કારણે તે ચારથી પાંચ મેચો રમી શક્યો નહીં. ઈજાને કારણે તેને એશિયા કપ 2025માંથી ખસી જવાની ફરજ પડી હતી. જે બાદ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ચૂકી ગયો હતો.

હાર્દિક પંડ્યા માટે ઈજાઓ માથાનો દુખાવો બની રહી છે. IPL 2026 દરમિયાન તેને કમરના દુખાવાની સમસ્યા થઈ હતી, જેના કારણે તે ચારથી પાંચ મેચો રમી શક્યો નહીં. ઈજાને કારણે તેને એશિયા કપ 2025માંથી ખસી જવાની ફરજ પડી હતી. જે બાદ તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ચૂકી ગયો હતો.

4 / 6
જોકે, એશિયા કપ 2025 માં થયેલી ઈજામાંથી સજા થઈ ટીમમાં પાછા ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપ 2026 ની નવ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ 160.74 ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. તેણે નવ વિકેટ પણ લીધી હતી.

જોકે, એશિયા કપ 2025 માં થયેલી ઈજામાંથી સજા થઈ ટીમમાં પાછા ફર્યા બાદ હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ 2026 માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડ કપ 2026 ની નવ ઈનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ 160.74 ના સ્ટ્રાઈક રેટથી 217 રન બનાવ્યા હતા. તેણે નવ વિકેટ પણ લીધી હતી.

5 / 6
2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યા બાદ હાર્દિક પંડ્યાને IPL 2026 દરમિયાન બીજી ઈજા થઈ હતી, અને હાલમાં તે રિકવરી મોડમાં છે. 2027 ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો હાર્દિકને T20 ક્રિકેટથી દૂર રાખવા માંગે છે. આ જ કારણ છે કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેના રમવાની શક્યતા ઓછી છે. (PC:PTI/X)

2026 ના T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવ્યા બાદ હાર્દિક પંડ્યાને IPL 2026 દરમિયાન બીજી ઈજા થઈ હતી, અને હાલમાં તે રિકવરી મોડમાં છે. 2027 ના ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો હાર્દિકને T20 ક્રિકેટથી દૂર રાખવા માંગે છે. આ જ કારણ છે કે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેના રમવાની શક્યતા ઓછી છે. (PC:PTI/X)

6 / 6

Breaking News: વિરાટ કોહલીની જગ્યાએ કોણ રમશે ? અફઘાનિસ્તાન સામે ODI માં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

Follow Us
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો ! ઝડપાયું રેકેટ
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
રાજકોટની 'જસદણ પટારી'ને મળી વૈશ્વિક ઓળખ!GI ટેગ સાથે વિશ્વભરમાં ઓળખાશે
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર થશે એન્ટ્રી, અંબાલાલ પટેલની આગાહી
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
વિદેશ જવાની લાલચમાં પુત્ર બન્યો લૂંટારો! Watch Video
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા જળસપાટીમાં વધારો
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
સુરતમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, ગરમી અને બફારાથી મળી રાહત
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
અમદાવાદમાં કુરિયર મારફતે MD ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, જુઓ વીડિયો
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
સાવલીમાં કેનાલમાં કેમિકલયુક્ત પાણી ઠલવાતા ખેડૂતોમાં ભારે રોષ
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
જામનગરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, બહારથી વેચાતુ લેવા મજબુર
g clip-path="url(#clip0_868_265)">