AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચિંતાજનક સમાચાર, રાજ્યના 107 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી, જુઓ વીડિયો

ચોમાસા પહેલા જ ગુજરાતમાં એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યો છે. ચોમાસા પહેલા પાણીને લઇને ચિંતા વધી શકે છે. રાજ્યના 107 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી છે.જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો એમ બંને માટે ચિંતાજનક કહી શકાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2026 | 12:34 PM
Share

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને છેવાડાના ગામોમાં પાણીની કટોકટી વચ્ચે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. એક બાજુ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારેરાજ્યના કુલ 207 ડેમોમાં હાલ 52.06 ટકા પાણીનો જથ્થો છે.જે ગત વર્ષે આ સમયગાળામાં 46.1 ટકા હતો. જળસંપત્તિ વિભાગના 4 જૂનના રિપોર્ટ મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચાલુ વર્ષે 68.69 ટકા પાણીનો જથ્થો છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 55.57 ટકા હતો. પરંતુ નર્મદા ડેમ સિવાયના 206 ડેમો પૈકી 107 ડેમોમાં પાણીનો સંગ્રહ 25  ટકાથી પણ ઓછો છે. જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો એમ બંને માટે ચિંતાજનક કહી શકાય.

ગુજરાતના 17 ડેમોમાં 53.89 ટકા પાણીનો જથ્થો

ઝોન મુજબ ડેમની સ્થિતિ જોઇએ તો મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 53.89 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે કે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 44.01 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 41.99 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમોમાં ફક્ત 30.17 ટકા જેટલું જ પાણી વધ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સૌથી ઓછો પાણીનો સંગ્રહ 32.73 ટકા છે. ડેમોની શ્રેણી મુજબ જોઇએ તો 10 ડેમોમાં 70 થી 100 જથ્થો છે.જ્યારે કે 30 ડેમોમાં 50 થી 70 ટકા જથ્થો છે.તો 59 ડેમોમાં 25 થી 50 ટકા વચ્ચે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આમ ગત વર્ષની સરખામણીએ અત્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહની એકંદર સ્થિતિ સારી છે.પરંતુ જો ચોમાસામાં ધાર્યા મુજબનો વરસાદ ન થયો તો જ્યાં ઓછું પાણી છે ત્યાં સ્થિતિ વિકટ બની શકે છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">