AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3, 5 કે 7… હાથ પર નાડાછડી કે કાળો દોરો બાંધતી વખતે કેટલી ગાંઠ મારવી યોગ્ય છે ? જાણો આ પાછળની માન્યતા

સનાતન ધર્મમાં હાથ પર નાડાછડી કે કાળો દોરો બાંધવાની પરંપરા સદીઓ જૂની છે. મોટાભાગના લોકો તેને માત્ર સુરક્ષા કે પૂજાનો એક ભાગ માને છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ દોરો બાંધતી વખતે હંમેશા 3, 5 કે 7 જેવી એકી સંખ્યામાં જ ગાંઠો કેમ મારવામાં આવે છે?

| Updated on: Jun 05, 2026 | 7:18 PM
Share
સનાતન ધર્મમાં નાડાછડી, જેને માત્ર મૌલી પણ કહેવામાં આવે છે, તે એક સામાન્ય દોરો નથી પરંતુ આસ્થા અને શુભતાનું પ્રતીક છે. પૂજા-પાઠ, યજ્ઞ, વ્રત જેવા ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન તેને કાંડા પર બાંધવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઘણા લોકો ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો પણ પહેરે છે. અવારનવાર કાળા દોરા કે નાડાછડી બાંધતી વખતે તેમાં 3, 5 કે 7 ગાંઠો લગાવવામાં આવે છે. એવામાં એકી સંખ્યામાં (વિષમ સંખ્યામાં) ગાંઠો બાંધવા પાછળ શું માન્યતાઓ છે?

સનાતન ધર્મમાં નાડાછડી, જેને માત્ર મૌલી પણ કહેવામાં આવે છે, તે એક સામાન્ય દોરો નથી પરંતુ આસ્થા અને શુભતાનું પ્રતીક છે. પૂજા-પાઠ, યજ્ઞ, વ્રત જેવા ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન તેને કાંડા પર બાંધવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. ઘણા લોકો ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો પણ પહેરે છે. અવારનવાર કાળા દોરા કે નાડાછડી બાંધતી વખતે તેમાં 3, 5 કે 7 ગાંઠો લગાવવામાં આવે છે. એવામાં એકી સંખ્યામાં (વિષમ સંખ્યામાં) ગાંઠો બાંધવા પાછળ શું માન્યતાઓ છે?

1 / 6
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળો રંગ નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરની અસરને ઓછી કરે છે. આ જ કારણ છે કે, નાના બાળકોથી લઈને વડીલ વર્ગના લોકોને કાળો દોરો અથવા નાડાછડી પહેરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ વ્યક્તિ માટે સુરક્ષાનું એક આધ્યાત્મિક કવચ બનાવવામાં મદદરૂપ થાય છે અને નકારાત્મક અસરોથી બચાવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાળો રંગ નકારાત્મક શક્તિઓ અને ખરાબ નજરની અસરને ઓછી કરે છે. આ જ કારણ છે કે, નાના બાળકોથી લઈને વડીલ વર્ગના લોકોને કાળો દોરો અથવા નાડાછડી પહેરાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ વ્યક્તિ માટે સુરક્ષાનું એક આધ્યાત્મિક કવચ બનાવવામાં મદદરૂપ થાય છે અને નકારાત્મક અસરોથી બચાવે છે.

2 / 6
કાળા દોરા કે નાડાછડીમાં 3 ગાંઠ લગાવવાની પરંપરા સૌથી વધુ પ્રચલિત છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ ત્રણ ગાંઠો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. એવી માન્યતા છે કે, સૃષ્ટિના આ ત્રણ મુખ્ય દેવોના આશીર્વાદ વ્યક્તિના જીવનમાં સંતુલન અને સુખ-શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક પરંપરાઓમાં તેને મન, વચન અને કર્મની પવિત્રતા સાથે પણ જોડવામાં આવે છે.

કાળા દોરા કે નાડાછડીમાં 3 ગાંઠ લગાવવાની પરંપરા સૌથી વધુ પ્રચલિત છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ ત્રણ ગાંઠો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. એવી માન્યતા છે કે, સૃષ્ટિના આ ત્રણ મુખ્ય દેવોના આશીર્વાદ વ્યક્તિના જીવનમાં સંતુલન અને સુખ-શાંતિ જાળવી રાખવામાં મદદરૂપ બને છે. કેટલીક પરંપરાઓમાં તેને મન, વચન અને કર્મની પવિત્રતા સાથે પણ જોડવામાં આવે છે.

3 / 6
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પાંચ ગાંઠ પંચતત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. માનવ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. આવામાં 5 ગાંઠો વાળી નાડાછડી જીવનમાં સંતુલન, સકારાત્મકતા અને ઊર્જાનું પ્રતીક લાવે છે. ગ્રહ દોષ શાંતિ માટે પણ તેને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, પાંચ ગાંઠ પંચતત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશનો સમાવેશ થાય છે. માનવ શરીર પણ આ જ પાંચ તત્વોથી બનેલું છે. આવામાં 5 ગાંઠો વાળી નાડાછડી જીવનમાં સંતુલન, સકારાત્મકતા અને ઊર્જાનું પ્રતીક લાવે છે. ગ્રહ દોષ શાંતિ માટે પણ તેને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

4 / 6
સનાતન ધર્મમાં 7 ના અંકને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. ઘણી ધાર્મિક પરંપરાઓ જેમ કે સપ્તર્ષિ (સાત ઋષિ), સાત લોક, સાત સમુદ્ર, સાત ચક્ર અને લગ્નના સાત વચનો આના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ જ કારણ છે કે, સાત ગાંઠો વાળો કલાવા વિશેષ શુભતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તેને 7 ગ્રહની સકારાત્મક ઊર્જા સાથે પણ જોડવામાં આવે છે.

સનાતન ધર્મમાં 7 ના અંકને અત્યંત શુભ માનવામાં આવ્યો છે. ઘણી ધાર્મિક પરંપરાઓ જેમ કે સપ્તર્ષિ (સાત ઋષિ), સાત લોક, સાત સમુદ્ર, સાત ચક્ર અને લગ્નના સાત વચનો આના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ જ કારણ છે કે, સાત ગાંઠો વાળો કલાવા વિશેષ શુભતા અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. તેને 7 ગ્રહની સકારાત્મક ઊર્જા સાથે પણ જોડવામાં આવે છે.

5 / 6
ધાર્મિક પરંપરાઓમાં એકી સંખ્યાઓને (વિષમ સંખ્યાઓને) શુભતા અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવી છે. દીવો, પરિક્રમા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ એકી સંખ્યાઓનું વિશેષ મહત્વ છે. આ જ માન્યતાના કારણે નાડાછડી બાંધતી વખતે એકી સંખ્યામાં જ ગાંઠો લગાવવામાં આવે છે.

ધાર્મિક પરંપરાઓમાં એકી સંખ્યાઓને (વિષમ સંખ્યાઓને) શુભતા અને ઊર્જાનું પ્રતીક માનવામાં આવી છે. દીવો, પરિક્રમા અને ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ એકી સંખ્યાઓનું વિશેષ મહત્વ છે. આ જ માન્યતાના કારણે નાડાછડી બાંધતી વખતે એકી સંખ્યામાં જ ગાંઠો લગાવવામાં આવે છે.

6 / 6
ડિસ્ક્લેમર (Disclaimer): આ લેખ માત્ર તમારી જાણકારી માટે છે અને તે સંપૂર્ણપણે ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આ માહિતીની કોઈ પુષ્ટિ કરતું નથી.

કુળદેવી-દેવતા નારાજ છે કે નહીં? આ 4 સંકેતથી તરત ખબર પડી જશે, પ્રસન્ન કરવા માટે આટલું કામ અવશ્ય કરો

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">