શિવલિંગ પર કાચા ચોખા ચઢાવવાથી જાણો શું ફાયદા થાય છે? પણ આ વાતનું ધ્યાન રાખજો
શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવા. આપણા ધાર્મિક ગ્રંથોમાં ચોખા અથવા અક્ષતનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને દરરોજ ચોખા અર્પણ કરવા જોઈએ. ત્યારે ચાલો જાણીએ કે શિવલિંગ પર ચોખા ચઢાવવાના શું ફાયદા છે.

ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. શિવજીની પૂજા મુખ્યત્વે લિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. ભગવાન શંકરને દુઃખોના સર્જનહાર અને દૂર કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવ સૃષ્ટિને સંચાલકની સાથે વિનાશનું રૂપ પણ ધારણ કરે છે. હવે શિવરાત્રી આવી રહી છે ત્યારે ભક્તો ભોળાનાથની ભક્તિભાવથી પૂજા કરતા હોય છે.

જલાભિષેક અને રુદ્રાભિષેક કરવા સાથે ભગવાન શિવને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમાંની એક વસ્તુ ચોખા છે. તો ચાલો જાણીએ શિવલિંગ પર ચોખા ચઢાવવાથી શું ફાયદા થાય છે?

શિવલિંગ પર કાચા ચોખા અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.એવું માનવામાં આવે છે કે જો તમારું ધન ક્યાંક ફસાઈ ગયું હોય તો શિવલિંગ પર ચોખા ચઢાવવાથી તમને તે પરત મળે છે.

ચોખાને શ્રેષ્ઠ ધાનનું સ્થાન મળ્યું છે, શિવલિંગ પર ચોખા ચઢાવવાથી માન સમ્માન વધે છે.ચોખાનો રંગ સફેદ છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી મનને શાંતિની અનુભૂતિ થાય છે.ચોખા અર્પણ કરતી વખતે કરવામાં આવેલી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે.

આપણી હિન્દુ સંસ્કૃતિમાં પણ કોઈપણ શુભ કાર્ય કરતી વખતે, જ્યારે આપણે કોઈને કપાળ પર તિલક લગાવીએ છીએ, ત્યારે તેની સાથે ચોખા લગાવવાની પરંપરા છે. આનો અર્થ એ છે કે તમારું માન-સન્માન વધતું રહે છે, તમને સંપત્તિ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તે વ્યક્તિ પર બની રહે છે.

ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શિવને ચોખા એટલે કે અક્ષત અર્પણ કર્યા વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એટલા માટે કહેવાય છે કે જો તમે કોઈ શિવ મંદિરમાં ગયા હોવ તો તમારે અક્ષત અર્પણ કરવું જોઈએ. મુઠ્ઠીભર અક્ષત હાથમાં લઈ લિંગ પર ચઢાવો. જો તમે મુઠ્ઠી ભરી શકતા નથી, તો તમે 5 અથવા 7 દાણા લઈ શકો છો.

અક્ષતને પૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે. અક્ષત એટલે જેનો ક્ષય થયો નથી. આથી ચોખા ચઢાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરુરી છે. એટલે કે તૂટેલા ચોખા શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. શિવની પૂજા કરતી વખતે માત્ર આખા ચોખા જ અર્પણ કરવા જોઈએ. એટલે કે ટુકડા થઈ ગયા હોય તેવા ચોખા શિવજીને અર્પણ ન કરવા જોઈએ
