AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: હેરિટેજ સ્મારકોમાં 62 એકરમાં પથરાયેલ ઉપરકોટનું 74 કરોડના ખર્ચે રીસ્ટોરેશન કામ પૂર્ણ: જુઓ Photos

Junagadh: જુનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લાનું 75 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યુ છે. આ કિલ્લાના રિસ્ટોરેશન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 44.63 કરોડ હતો. પરંતુ 32 મહિના સુધી ચાલેલુ કામ 31 માર્ચ 2023ના રોજ બે ફેજમાં પૂર્ણ કરવામાં આવ્યુ છે. જેમા પ્રથમ ફેઝમાં 51.04 કરોડનો ખર્ત મળીને કુલ 73.82 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Sep 29, 2023 | 11:58 PM
Share
Junagadh: જુનાગઢમાં આવેલા  ઉપરકોટના કિલ્લોનું ઐતિહાસિક મહત્વ છે. આ પ્રાચીન કિલ્લો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ૧૩૧૯ માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો 20 મીટરની ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર હીર તરફના શહેર અને પૂર્વ તરફના દૃશ્યો શાનદાર છે.

Junagadh: જુનાગઢમાં આવેલા ઉપરકોટના કિલ્લોનું ઐતિહાસિક મહત્વ છે. આ પ્રાચીન કિલ્લો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ૧૩૧૯ માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો 20 મીટરની ઊંચી દીવાલોથી ઘેરાયેલો છે. કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર હીર તરફના શહેર અને પૂર્વ તરફના દૃશ્યો શાનદાર છે.

1 / 6
કિલ્લાની અંદર હજારો વર્ષ જૂનીગુફાઓનો સમૂહ અને બે ઉત્તમ પ્રકારની વાવ તથા કુવા આવેલા છે. જુનાગઢ ખાતે આવતા પ્રવાસીઓ કિલ્લાની મુલાકાત લે અને ટુરીઝમની સારી સર્કિટ બને તે હેતુથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઉપરકોટ કિલ્લાનું 62 એકર વિસ્તારમાં  રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે.

કિલ્લાની અંદર હજારો વર્ષ જૂનીગુફાઓનો સમૂહ અને બે ઉત્તમ પ્રકારની વાવ તથા કુવા આવેલા છે. જુનાગઢ ખાતે આવતા પ્રવાસીઓ કિલ્લાની મુલાકાત લે અને ટુરીઝમની સારી સર્કિટ બને તે હેતુથી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઉપરકોટ કિલ્લાનું 62 એકર વિસ્તારમાં રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે.

2 / 6
પ્રવાસન નગરી એવી જુનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લાનું તારીખ 16 જુલાઈ 2020 થી રિસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ કિલ્લાનું રિસ્ટોરેશન કામનો પ્રોજેક્ટ 44.63 કરોડનો તો પરંતુ આશરે 32 મહિના સુધી ચાલેલું આ કામ તારીખ 31 માર્ચ 2023ના બે ફેજમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રવાસન નગરી એવી જુનાગઢ શહેરમાં ઉપરકોટ કિલ્લાનું તારીખ 16 જુલાઈ 2020 થી રિસ્ટોરેશન કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ કિલ્લાનું રિસ્ટોરેશન કામનો પ્રોજેક્ટ 44.63 કરોડનો તો પરંતુ આશરે 32 મહિના સુધી ચાલેલું આ કામ તારીખ 31 માર્ચ 2023ના બે ફેજમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

3 / 6
  પ્રથમ ફેજમાં 51.04 કરોડના ખર્ચે મળીને કુલ 73.82 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉપરકોટ કિલ્લો સંપૂર્ણ રીતે નવા રૂપ રંગ સાથે તૈયાર થયાના છ મહિના પછી આગામી તારીખ 28 સપ્ટેમ્બરને ગુરૂવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યટકો માટે ખુલ્લો મુકવાયો.

પ્રથમ ફેજમાં 51.04 કરોડના ખર્ચે મળીને કુલ 73.82 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉપરકોટ કિલ્લો સંપૂર્ણ રીતે નવા રૂપ રંગ સાથે તૈયાર થયાના છ મહિના પછી આગામી તારીખ 28 સપ્ટેમ્બરને ગુરૂવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યટકો માટે ખુલ્લો મુકવાયો.

4 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરકોટનું નિરીક્ષણ હતું. જેમાં ઉપરકોટ પરની અડી કડી વાવ, નવઘણ કુવો અને નીલમ તોપ સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ તકે પ્રવાસન વિભાગના અધિકારીઓ પાસેથી ઉપરકોટ અંગે જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરકોટનું નિરીક્ષણ હતું. જેમાં ઉપરકોટ પરની અડી કડી વાવ, નવઘણ કુવો અને નીલમ તોપ સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ તકે પ્રવાસન વિભાગના અધિકારીઓ પાસેથી ઉપરકોટ અંગે જાણકારી મેળવી હતી.

5 / 6
ઉપરકોટ ખુલ્લો મુકાયા બાદ દરરોજ 800 થી હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે આગામી દિવસોમાં આ સંખ્યા 5000 ને પાર કરે તેવી તંત્રને ધારણા છે. ઉપરકોટ માં શું શું નિહાળી શકાશે  1 અડીવાવ, 2 અનાજ ભંડાર, 3 ગાર્ડન એરીયા, 4 વોચ ટાવર, 5 પાર્થ વે, 6 ફિલ્ટરેશન ટાવર, 7 ગન પાવડર એરીયા, 8 એન્ટ્રન્સ ટાવર, 9 ઇનલેટ ટાવર,10 નવઘણ કુવો, 11 રાણક મહેલ,  12 કેનોન એરીયા, 13  બારૂદ ખાન, 14 એન્ટ્રી એક્ઝિટ ગેટ, 15 લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો

ઉપરકોટ ખુલ્લો મુકાયા બાદ દરરોજ 800 થી હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે આગામી દિવસોમાં આ સંખ્યા 5000 ને પાર કરે તેવી તંત્રને ધારણા છે. ઉપરકોટ માં શું શું નિહાળી શકાશે 1 અડીવાવ, 2 અનાજ ભંડાર, 3 ગાર્ડન એરીયા, 4 વોચ ટાવર, 5 પાર્થ વે, 6 ફિલ્ટરેશન ટાવર, 7 ગન પાવડર એરીયા, 8 એન્ટ્રન્સ ટાવર, 9 ઇનલેટ ટાવર,10 નવઘણ કુવો, 11 રાણક મહેલ, 12 કેનોન એરીયા, 13 બારૂદ ખાન, 14 એન્ટ્રી એક્ઝિટ ગેટ, 15 લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો

6 / 6

 

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">