AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Panchami 2026 : આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો

Rishi Panchami 2026 : પંચાગ અનુસાર આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓના જીવનમાં એક આધ્યાત્મિક મહત્વ રાખે છે. તો ચાલો જાણીએ આજના દિવસની ધાર્મિક માન્યતા શું છે.

Rishi Panchami 2026 :  આજે ઋષિ પંચમી છે, આ વ્રત મહિલાઓ માટે કેમ ખાસ માનવામાં આવે છે? જાણો
| Updated on: Sep 15, 2026 | 8:39 AM
Share

Rishi Panchami 2026 Date: આજે સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીનું વ્રત છે. ઋષિ પંચમીનું વ્રત ભાદ્રપદ શુકલ પંચમીના રોજ રાખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે સપ્તઋષિઓનું નમન કરવા અને મહિલાઓ દ્વારા કરવામાં આવનાર વિશેષ વ્રત સાથે જોડાયેલ છે. તો ચાલો જાણીએ રજસ્વલા દોષ શું હોય છે. આ વ્રત પીરિયડ્સ દરમિયાન થયેલી અજાણતા ભૂલોથી છુટકારો મેળવવામાં કેવી રીતે મદદ કરે છે, અને આજે પૂજા માટે સૌથી યોગ્ય અને શુભ સમય કયો રહેશે, જેથી તમે કોઈપણ ખચકાટ વિના તમારા ઉપવાસ પૂર્ણ કરી શકો.

ઋષિ પંચમી 2026 તિથિ અને શુભ મુહૂર્ત

આ વર્ષે ઋષિ પંચમીનું વ્રત 15 સપ્ટેમ્બર 2026ના મંગળવારના રોજ રાખવામાં આવે છે. પંચમી તિથિ 15 સપ્ટેમબરના સવારે 7:44 કલાકથી શરુ થશે. તેમજ 16 સપ્ટેમ્બર સવારે 8:59 કલાકે પૂર્ણ થશે. ઋષિ પંચમીની પુજા માટે શુભ સમય સવારે 11:02 કલાકથી બપોરના 1:30 કલાક સુધી રહેશે. પુજાનો કુલ સમય 2 કલાક 28 મિનિટ છે.

સપ્તઋષિને સમર્પિત છે ઋષિ પંચમી

ઋષિ પંચમીનું મુખ્ય રુપથી સપ્તઋષિયોની પુજા અને તેના પ્રતિ શ્રદ્ધા વ્ય્કત કરવાનો દિવસ મનાવવામાં આવે છે. ધાર્મિક પરંપરામાં કશ્યપ, અત્રિ, ભારદ્રાજ,વિશ્વમિત્ર, ગૌતમ,જમદગ્નિ અને વશિષ્ઠને સપ્તઋષિના રુપમાં પુજવામાં આવે છે. માન્યતા છે કે, ઋષિ પંચમીના આ દિવસે ઋષિયોનું સ્મરણ અને પુજા કરવાથી વ્યક્તિને પોતાના જીવનમાં થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરવાની તક મળે છે.આ કારણોસર, આ દિવસને ફક્ત પૂજાનો દિવસ જ નહીં, પણ આત્મશુદ્ધિ અને સંયમ સાથે પણ સંકળાયેલો છે.

મહિલાઓ માટે કેમ ખાસ છે આ વ્રત?

ઋષિ પંચમીનું વ્રત પારંપારિક રુપથી મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે. જુના ધાર્મિક ગ્રંથો અને પરંપરાઓમાં પીરિયડ્સ સાથે સંકળાયેલા કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન કરવાથી સંબંધિત ધાર્મિક માન્યતાઓના કારણ મહિલાઓ માટે ઋષિ પંચમીના વ્રતને પ્રાયશ્ચિત અને શુદ્ધિ સાથે જોડાયેલા છે. ધાર્મિક માન્યતા અનુસાર પીરિયડ્સ ધર્મ દરમિયાન અજાણતા કોઈ ધાર્મિક નિયમો તુટવા પર ઋષિ પંચમીનું વ્રત પ્રાર્યશ્ચિતના રુપમાં કરવામાં આવે છે. આ કારણ થી આ વ્રત મહિલાઓ માટે વિશેષ માનવામાં આવે છે.

ઋષિ પંચમી પર શું કરવામાં આવે ?

ઋષિ પંચમીના દિવસે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવાની પરંપરા છે. ત્યારબાદ સપ્તઋષિયોનું ધ્યાન અને પુજન કરવામાં આવે છે. કેટલાક સ્થાનો પર મહિલાઓ આ દિવસે વિશેષ નિયમનું પાલન કરે છે. તેમજ દિવસભર વ્રત રાખે છે. પુજા દરમિયાન સપ્તઋષિઓને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવે છે. તેમજ પરિવારની સુખ શાંતિની કામના કરવામાં આવે છે.

Disclaimer: આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

Ganesh Chaturthi 2026 : ભારતમાં જ નહી પરંતુ આ દેશમાં પણ ગણેશ ચતુર્થીની થાય છે ઉજવણી, જુઓ ફોટો અહી ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">