Husband Wife : શું પતિ-પત્નીએ એક થાળીમાં સાથે બેસીને જમવું જોઈએ કે નહીં? ભિષ્મ પિતામહે પણ કહી છે આ વાત
Eating Food : આપણને ખોરાકમાંથી એનર્જી મળે છે. તેથી જ ધાર્મિક ગ્રંથોમાં ભોજન બનાવવા અને ખાવાના મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરની સુખ-શાંતિ માટે પતિ-પત્નીએ આ નિયમોનું પાલન કરવું જોઈએ.

Husband Wife : પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને આદરની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ ક્યારેક પ્રેમમાં પતિ-પત્ની કેટલાક એવા કામ કરે છે જે પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સારું ન ગણી શકાય. આવું જ એક કામ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું છે. ધર્મમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ભોજન લેવું સારું માનવામાં આવતું નથી. આવું કરવાથી પરિવારની સુખ-સમૃદ્ધિ પર નેગેટિવ ઈફેક્ટ પડે છે.

મહાભારતમાં જણાવવામાં આવ્યું છે તેનું કારણ : મહાભારતમાં પતિ-પત્નીએ એક જ થાળીમાંથી ન ખાવાનું કારણ પણ સમજાવ્યું છે. જ્યારે ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર હતા ત્યારે ભગવાન કૃષ્ણે પાંડવોને તેમની પાસે જ્ઞાન મેળવવા માટે મોકલ્યા હતા.

ભીષ્મ પિતામહે ધર્મ સાથે જોડાયેલી વિવિધ વાતો કહેવા ઉપરાંત પાંડવોને વ્યવહારિક જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો પણ કહી હતી. જેમાં પતિ-પત્નીને એક જ થાળીમાં ખાવું ન જોઈએ તેવું પણ જણાવ્યું હતું. આમ કરવાથી પરિવાર અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ શકે છે.

બીજા સંબંધો પાછળ રહી જાય છે : કહેવાય છે કે સાથે ખાવાથી પ્રેમ વધે છે. આ અર્થમાં પતિ-પત્ની માટે એક જ થાળીમાંથી ખાવાનું સારું છે પણ પરિવાર માટે સારું નથી. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે, પરંતુ પતિના મનમાં માત્ર પત્નીનો પ્રેમ જ સર્વોચ્ચ હોય છે, તે તેને પરિવારના અન્ય સભ્યોથી દૂર કરી દે છે.

આવી સ્થિતિમાં પતિ સાચા-ખોટાની સમજ ગુમાવી બેસે છે. તે દરેક બાબતમાં પત્નીને મહત્વ આપવા લાગે છે. જેના કારણે ઘરની સુખ-શાંતિ છીનવાઈ જાય છે. એટલા માટે ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આખા પરિવારે સાથે બેસીને ભોજન કરવું જોઈએ. તેનાથી ઘરના તમામ સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. (Disclaimer : આ જાણકારી મળતી માહિતી મુજબ આપવામાં આવી છે. Tv9 ગુજરાતી આ માહિતીની પુષ્ટી કરતું નથી.) (All Image Credit : Meta AI)
રિલેશનિપને લગતા વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
