AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેટલી ‘EMI’ મિસ થવાથી ‘બેંક’ તમારું ‘ઘર’ લિલામ કરી દે ? હોમ લોન લેનારા દરેક વ્યક્તિએ RBI નો આ નિયમ જાણવો જોઈએ

આજના મોંઘવારીના સમયમાં હોમ લોન લેવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ તેની સાથે જ દર મહિને સમયસર EMI ચૂકવવાની ચિંતા પણ જોડાયેલી રહે છે. ઘણીવાર આર્થિક સમસ્યાના કારણે જો EMI સમયસર ન ભરાય, તો મકાન હરાજી (લિલામી) થવાનો ડર દરેક લોન લેનારને સતાવે છે.

| Updated on: Jun 12, 2026 | 3:13 PM
Share
આજના જમાનામાં મોટાભાગના લોકોએ હોમ લોન લીધેલી છે. EMI ભરવામાં જ આખી જિંદગી પસાર થઈ રહી છે. EMI ચૂકવતા દરેક વ્યક્તિની હાલત એવી છે કે, જિંદગીની કોઈ પણ જરૂરી વસ્તુ ભલે છૂટી જાય પણ EMI ન છૂટવી જોઈએ. એવામાં હોમ લોનની EMI સમયસર ન ચૂકવવા પર મકાન હરાજી થવાનો ડર દરેક વ્યક્તિને સતાવે છે.

આજના જમાનામાં મોટાભાગના લોકોએ હોમ લોન લીધેલી છે. EMI ભરવામાં જ આખી જિંદગી પસાર થઈ રહી છે. EMI ચૂકવતા દરેક વ્યક્તિની હાલત એવી છે કે, જિંદગીની કોઈ પણ જરૂરી વસ્તુ ભલે છૂટી જાય પણ EMI ન છૂટવી જોઈએ. એવામાં હોમ લોનની EMI સમયસર ન ચૂકવવા પર મકાન હરાજી થવાનો ડર દરેક વ્યક્તિને સતાવે છે.

1 / 6
હોમ લોનની EMI ચુકી (Miss) જવા પર મકાન હરાજી કરવાની કાનૂની પ્રક્રિયા તરત જ શરૂ થતી નથી. બેંક પહેલા ચેતવણી અને એક સુધારાની તક આપે છે, જેથી સ્થિતિ બગડતા પહેલા ઉકેલ લાવી શકાય.

હોમ લોનની EMI ચુકી (Miss) જવા પર મકાન હરાજી કરવાની કાનૂની પ્રક્રિયા તરત જ શરૂ થતી નથી. બેંક પહેલા ચેતવણી અને એક સુધારાની તક આપે છે, જેથી સ્થિતિ બગડતા પહેલા ઉકેલ લાવી શકાય.

2 / 6
RBIના આવક-માન્યતા, અસ્કયામતોનું વર્ગીકરણ અને જોગવાઈ સંબંધિત માર્ગદર્શિકા (IRAC Norms -  Income Recognition and Asset Classification) અનુસાર, જો કોઈ લોન લેનાર સતત ત્રણ માસિક EMI એટલે કે લગભગ 90 દિવસ સુધી બાકી રકમ નથી ચૂકવતો, તો લોન ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવે છે. NPA બન્યા પછી બેંક SARFAESI Act 2002ની કલમ 13(2) હેઠળ લોન લેનારને 60 દિવસની લેખિત નોટિસ મોકલે છે, જેમાં પૂરી બાકી રકમ ચૂકવવાની અથવા કોઈ સંતોષકારક વ્યવસ્થા કરવાની તક આપવામાં આવે છે.

RBIના આવક-માન્યતા, અસ્કયામતોનું વર્ગીકરણ અને જોગવાઈ સંબંધિત માર્ગદર્શિકા (IRAC Norms - Income Recognition and Asset Classification) અનુસાર, જો કોઈ લોન લેનાર સતત ત્રણ માસિક EMI એટલે કે લગભગ 90 દિવસ સુધી બાકી રકમ નથી ચૂકવતો, તો લોન ખાતાને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવે છે. NPA બન્યા પછી બેંક SARFAESI Act 2002ની કલમ 13(2) હેઠળ લોન લેનારને 60 દિવસની લેખિત નોટિસ મોકલે છે, જેમાં પૂરી બાકી રકમ ચૂકવવાની અથવા કોઈ સંતોષકારક વ્યવસ્થા કરવાની તક આપવામાં આવે છે.

3 / 6
જો 60 દિવસનો સમયગાળો વીતી ગયા પછી પણ ચૂકવણી કરવામાં ન આવે, તો બેંક મિલકતનો કબજો લેવાની, તેનું સંચાલન કરવાની અથવા હરાજીની કાર્યવાહી શરૂ કરી શકે છે. હરાજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા બેંક માટે SARFAESI નિયમ 2002ના નિયમ 8 અનુસાર 30 દિવસની 'સેલ નોટિસ' જાહેર કરવી અનિવાર્ય છે, જેમાં મિલકતની કિંમત અને હરાજીની તારીખ જણાવવામાં આવે છે.

જો 60 દિવસનો સમયગાળો વીતી ગયા પછી પણ ચૂકવણી કરવામાં ન આવે, તો બેંક મિલકતનો કબજો લેવાની, તેનું સંચાલન કરવાની અથવા હરાજીની કાર્યવાહી શરૂ કરી શકે છે. હરાજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા બેંક માટે SARFAESI નિયમ 2002ના નિયમ 8 અનુસાર 30 દિવસની 'સેલ નોટિસ' જાહેર કરવી અનિવાર્ય છે, જેમાં મિલકતની કિંમત અને હરાજીની તારીખ જણાવવામાં આવે છે.

4 / 6
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NPA જાહેર થયા પછી બેંકને હરાજી શરૂ કરતા પહેલા ઓછામાં ઓછી 105 દિવસની રાહ જોવી પડે છે, જેમાં 60 દિવસની ડિમાન્ડ નોટિસ, લોન લેનારના જવાબ માટે 15 દિવસ અને 30 દિવસની સેલ નોટિસ જોડાયેલ હોય છે. કુલ મળીને પહેલી EMI મિસ થવાથી લઈને હરાજી સુધીની પૂરી પ્રક્રિયામાં સામાન્ય રીતે 8 થી 12 મહિનાનો સમય લાગી શકે છે, જે દરમિયાન લોન લેનાર પોતાના અધિકારો (Rights) નો ઉપયોગ કરીને સ્થિતિ સુધારી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NPA જાહેર થયા પછી બેંકને હરાજી શરૂ કરતા પહેલા ઓછામાં ઓછી 105 દિવસની રાહ જોવી પડે છે, જેમાં 60 દિવસની ડિમાન્ડ નોટિસ, લોન લેનારના જવાબ માટે 15 દિવસ અને 30 દિવસની સેલ નોટિસ જોડાયેલ હોય છે. કુલ મળીને પહેલી EMI મિસ થવાથી લઈને હરાજી સુધીની પૂરી પ્રક્રિયામાં સામાન્ય રીતે 8 થી 12 મહિનાનો સમય લાગી શકે છે, જે દરમિયાન લોન લેનાર પોતાના અધિકારો (Rights) નો ઉપયોગ કરીને સ્થિતિ સુધારી શકે છે.

5 / 6
લોન લેનારાઓને સલાહ આપવામાં આવે છે કે, EMI મિસ થવા પર તરત જ બેંકનો સંપર્ક કરે, લોન પુનર્ગઠન (Restructuring) નો વિકલ્પ પસંદ કરે અને CIBIL સ્કોરનું રક્ષણ કરે, કારણ કે NPAની અસર ભવિષ્યની લોન પર પણ પડે છે. આ નિયમો વર્ષ 2026 સુધી લાગુ છે. કોઈ ફેરફાર થવા પર RBIની સત્તાવાર વેબસાઈટ અથવા બેંક પાસેથી પુષ્ટિ કરી લેવી.

લોન લેનારાઓને સલાહ આપવામાં આવે છે કે, EMI મિસ થવા પર તરત જ બેંકનો સંપર્ક કરે, લોન પુનર્ગઠન (Restructuring) નો વિકલ્પ પસંદ કરે અને CIBIL સ્કોરનું રક્ષણ કરે, કારણ કે NPAની અસર ભવિષ્યની લોન પર પણ પડે છે. આ નિયમો વર્ષ 2026 સુધી લાગુ છે. કોઈ ફેરફાર થવા પર RBIની સત્તાવાર વેબસાઈટ અથવા બેંક પાસેથી પુષ્ટિ કરી લેવી.

6 / 6

Fact Check: શું 30 જૂનથી ખરેખર બંધ થઈ જશે કાગળની ચલણી નોટો ? વાયરલ દાવા પર PIBએ જણાવી હકીકત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">