Holi 2025: હોળી ક્યારે છે, 14મી કે 15મી માર્ચ ? તારીખ અંગેની મૂંઝવણ કરો દૂર
Holi 2025:ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે, તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ.

હોળી, રંગોનો તહેવાર, દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટા તહેવારોમાંનો એક છે. તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે તેની તારીખને લઈને લોકોના મનમાં થોડી મૂંઝવણ છે, તો ચાલો જાણીએ તેની ચોક્કસ તારીખ.

હિંદુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ સવારે 10.35 કલાકે શરૂ થશે. અને 14 માર્ચે બપોરે 12:23 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, પંચાંગને ધ્યાનમાં રાખીને, હોલિકા દહન 13 માર્ચે થશે. અને 14 તારીખે ધુળેટી ઉજવવામાં આવશે.

વ્રજ પ્રદેશ, જેમાં મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, નંદગાંવ અને બરસાનાનો સમાવેશ થાય છે. હોળી અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. હોલિકા દહનએ અસત્ય પર સત્યની જીતના પ્રતીક તરીકે હોળી પ્રગટાવે છે. ત્યારબાદ બીજા દિવસે રંગોનો તહેવાર ધુળેટી ઉજવવામાં આવે છે. આ સાથે ઘરે બનાવેલી મીઠાઈઓનો આનંદ લેવામાં આવે છે.

હોલિકા દહન ક્યારે થશે? ,જ્યોતિષીઓએ જણાવ્યું છે કે હોલિકા દહન 13 માર્ચે મોડી રાત્રે થશે. હોલિકા દહનનો શુભ સમય બપોરે 11:26 થી 12:30 સુધીનો રહેશે.

હોળી શા માટે ઉજવવામાં આવે છે? દંતકથા અનુસાર, હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતા. પિતા હિરણ્યકશ્યપને પુત્રની આ ભક્તિ બિલકુલ પસંદ ન હતી. એકવાર હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને પ્રહલાદને મારવાનું કાવતરું ઘડ્યું. વાસ્તવમાં, હોલિકાને એવા કપડાથી વરદાન મળ્યું હતું જે પહેરીને તે અગ્નિમાં બેસી શકે. ખાસ વાત એ હતી કે આ કપડા પહેરવાથી આગ તેને બાળી શકતી નથી. આ જ કપડું પહેરીને હોલિકા પ્રહલાદ સાથે અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તે કપડું ભક્ત પ્રહલાદના શરીરની આસપાસ લપેટાઈ ગયું અને તેને કંઈ થયું નહીં. હોલિકા આગમાં બળી ગઈ. તેથી હોળીનો તહેવાર અનિષ્ટ પર સત્યની જીત તરીકે ઉજવવામાં આવે છે.(નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો)
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો






































































