History of Refrigerator : ફ્રિજની શોધ કોણે કરી ? ભારતમાં રેફ્રિજરેટર ક્યારે આવ્યું, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ
આજે ફ્રિજ આપણા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ઠંડુ પાણી, દૂધ, દાળ અને શાકભાજીને લાંબા સમય સુધી તાજાં રાખવામાં તે મદદ કરે છે. જો ફ્રિજ ન હોય તો ખાદ્ય વસ્તુઓ ઝડપથી બગડી શકે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્રિજની શોધ ક્યારે થઈ અને ભારતમાં તેનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો?

ફ્રિજની શોધ પહેલાં લોકો ખોરાક અને બરફને ઠંડું રાખવા માટે પરંપરાગત રીતો અપનાવતા હતા. ચીનમાં બરફને જમીનની અંદર સંગ્રહવામાં આવતો, ઈરાનમાં ખાસ માટીના ગુંબજવાળા માળખાં બનાવાતા અને યુરોપમાં બરફના ઘરોનો ઉપયોગ થતો. ભારતમાં પણ સદીઓથી માટીના વાસણો કુદરતી ઠંડક માટે વપરાતા હતા, જેના પુરાવા સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષોમાંથી મળ્યા છે.

કૃત્રિમ ઠંડકની ટેક્નોલોજીનો વિકાસ 18મી સદીમાં શરૂ થયો હતો. 1755માં સ્કોટિશ વૈજ્ઞાનિક વિલિયમ કુલેને ઠંડક ઉત્પન્ન કરતું પ્રાથમિક મશીન બનાવ્યું. ત્યારબાદ 1805માં અમેરિકન શોધક ઓલિવર ઇવાન્સે બરફ બનાવવાના મશીનની કલ્પના રજૂ કરી. પરંતુ 1834માં અમેરિકન એન્જિનિયર જેકબ પર્કિન્સે સફળ રેફ્રિજરેશન મશીન બનાવી તેનું પેટન્ટ મેળવ્યું, જેના કારણે તેમને રેફ્રિજરેટરના જનક તરીકે ઓળખવામાં આવે છે.

શરૂઆતના રેફ્રિજરેટર લાકડા અને ધાતુથી બનાવવામાં આવતા હતા અને તે સ્ટીમ એન્જિનથી ચાલતા હતા. તેમનું કદ ઘણું મોટું હતું, તેથી ઘર માટે યોગ્ય નહોતું. ઉપરાંત, તે મોંઘાં, વધુ ઊર્જા વાપરતા અને જાળવવામાં મુશ્કેલ હતા. તેમાં વપરાતા કેટલાક ગેસ જોખમી હોવાથી શરૂઆતમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોમાં જ થતો હતો.

19મી સદી દરમિયાન રેફ્રિજરેશન ટેક્નોલોજીમાં અનેક મહત્વપૂર્ણ સુધારા થયા. અમેરિકન ડૉક્ટર જોન ગોરીએ હોસ્પિટલના દર્દીઓ માટે ઠંડી હવા ઉપલબ્ધ કરાવવા બરફ બનાવતું મશીન તૈયાર કર્યું. ત્યારબાદ 1870ના દાયકામાં જર્મન ઇજનેર કાર્લ વોન લિન્ડેએ વધુ અસરકારક રેફ્રિજરેશન સિસ્ટમ વિકસાવી, જેના કારણે ખાદ્ય સંગ્રહ, માંસ અને પીણાં ઉદ્યોગમાં મોટો બદલાવ આવ્યો.

19મી સદી દરમિયાન રેફ્રિજરેશન ટેક્નોલોજીમાં અનેક મહત્વપૂર્ણ સુધારા થયા. અમેરિકન ડૉક્ટર જોન ગોરીએ હોસ્પિટલના દર્દીઓ માટે ઠંડી હવા ઉપલબ્ધ કરાવવા બરફ બનાવતું મશીન તૈયાર કર્યું. ત્યારબાદ 1870ના દાયકામાં જર્મન ઇજનેર કાર્લ વોન લિન્ડેએ વધુ અસરકારક રેફ્રિજરેશન સિસ્ટમ વિકસાવી, જેના કારણે ખાદ્ય સંગ્રહ, માંસ અને પીણાં ઉદ્યોગમાં મોટો બદલાવ આવ્યો.

ભારતમાં શરૂઆતમાં ફ્રિજ વિદેશથી આયાત કરવામાં આવતા અને તે માત્ર અમીર લોકો માટે જ ઉપલબ્ધ હતા. 1958માં Godrejએ દેશનું પ્રથમ સ્વદેશી રેફ્રિજરેટર રજૂ કર્યું. ત્યારબાદ સ્થાનિક બજાર ઝડપથી વિકસ્યું અને 1970-80ના દાયકામાં ફ્રિજ ભારતીય મધ્યમ વર્ગના ઘરોમાં પણ લોકપ્રિય ઘરગથ્થુ ઉપકરણ બની ગયો. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
