Women’s health : શું વધુ પડતાં વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાંને નબળા પડે છે?
જો તમને પણ વજાઈનલ ડિસ્ચાર્જ અને ખંજવાળ આવે છે. તો આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, જેમાં અસ્વચ્છતાનો સમાવેશ થાય છે. વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ શરીરમાં વિવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે. ઘણી મહિલાઓ માને છે કે વધુ પડતું વજાઈનલ ડિસ્ચાર્જ તેમારા હાડકાંને નબળા પાડે છે. ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ.

વજાઈનલ ડિસ્ચાર્જ સાથે જોડાયેલી એક એવી વાત છે. જે મહિલાઓને ખબર હોવી જોઈએ પરંતુ મહિલાઓને આ વિશે યોગ્ય જાણકારી હોતી નથી. આ કારણે મહિલાઓ અનેક વખતે ઈન્ટિમેટ હેલ્થ અને વજાઈનલ ડિસ્ચાર્જ કે ઈન્ફેક્શન સાથે જોડાયેલ વાતો માની લે છે.

વજાઈનલ ડિસ્ચાર્જ લગભગ બધી મહિલઓમાં થાય છે, પરંતુ તેની માત્રા અને તેની સાથે દુખાવો કે બળતરા છે કે નહીં, તેમાંથી દુર્ગંધ આવે છે કે પછી અન્ય કોઈ સમસ્યાઓ છે કે નહીં તેના પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ઘણી મહિલાઓ માને છે કે,વજાઈનલ ડિસ્ચાર્જ તેમના હાડકાંને નબળા પાડે છે અથવા વજાઈનલ ડિસ્ચાર્જ હાડકાંના નુકશાનને કારણે થાય છે.

એક્સપર્ટનું કહેવું છે કે, વજાઈનલ ડિસ્ચાર્જથી હાડકાં નબળા પડે છે, અથવા હાડકાંનું નુકસાન કરે છે. આ એક અફવા છે. યોનિમાર્ગમાંથી સ્ત્રાવ એક વ્હાઈટ અથવા સહેજ પારદર્શક પ્રવાહી છે જે યોનિમાર્ગમાંથી નીકળે છે.

વજાઈના આપમેળે ક્લીન થઈ જાય છે. તેમજ ઈન્ફેક્શનથી બચાવવાની રીત છે. તેથી, તે સંપૂર્ણપણે સામાન્ય છે. વજાઈનલ ડિસ્ચાર્જથી વજાઈનામાં ડ્રાઈનેસ આવતી નથી અને શારીરિક સંબંધ બાંધતી વખતે લુબ્રિકન્ટ તરીકે પણ કામ કરે છે.

જો તમને વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને લાંબા સમય સુધી આ પરિસ્થિતિ રહે છે. કે પછી નબળાઈ અથવા કામ કરતી વખતે થાક લાગે છે. તો આના પર જરુર ધ્યાન આપવાની જરુર છે.

વજાઈનલ ડિસ્ચાર્જનું સીધું હાડકાં નબળા પડવા સાથે કોઈ સંબંધ નથી પરંતુ આ શરીરને નબળું જરુર પાડે છે. હોર્મોન ઈન્બેલેન્સ,વજાઈનલ ઈન્ફેક્શન, સ્વચ્છતા તેમજ શારીરિક સંબંધ દરમિયાન સાફ-સફાઈનું ધ્યાન નરાખવું સહિત અનેક કરાણોથી વધારે ડિસ્ચાર્જ થઈ શકે છે.

જો તમને પણ વજાઈનામાંથી વધારે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અને ડિસ્ચાર્જની સાથે સાથે દુર્ગંધ કે પછી બળતરા થઈ રહી છે. તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. જો વજાઈના સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા તમને છે. તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
