Gold Silver Rate : ચાંદીનું લેવલ ‘સપાટ’ પણ સોનાની ચાલથી રોકાણકારોની સ્થિતિ કેવી ? જાણો આજનો ભાવ
એકબાજુ સ્ટોક માર્કેટમાં થતી હલચલને લઈને રોકાણકારો પહેલેથી જ ચિંતિત છે. બીજીબાજુ ચાંદીનો ભાવ સ્થિર રહેતા રોકાણકારો મૂંઝવણમાં છે કે, હવે આગળ શું કરવું? એવામાં ચાલો જાણીએ કે, આજના દિવસે સોનાની શાન ઘટી કે વધી...

શુક્રવાર, 25 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોનાનો ભાવ 500 રૂપિયા ઘટ્યો છે અને 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું હવે 99,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.

આ સતત બીજો દિવસ છે, જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગુરુવારે, સોનું 99,620 રૂપિયા પર બંધ થયું. 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ 500 રૂપિયા સસ્તું થઈને 98,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જે પાછલા દિવસે 99,250 રૂપિયા પર બંધ થયું હતું.

HDFC સિક્યોરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ સુમિત ગાંધીના મતે, યુએસ ડોલરની મજબૂતાઈ, મજબૂત યુએસ જોબ ડેટા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ઓછી શક્યતાઓને કારણે સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.

આ ઉપરાંત, યુએસ અને જાપાન વચ્ચે વેપાર કરાર થયો છે તેમજ યુરોપિયન યુનિયન સાથે પણ સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે. બીજું કે, ભારત, મેક્સિકો અને બ્રાઝિલ સાથે પણ વેપાર કરારની અપેક્ષા છે, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. હાજર સોનાના ભાવ $20.72 ઘટીને $3,347.94 પ્રતિ ઔંસ થયા, જે 0.62 ટકાનો ઘટાડો દર્શાવે છે.

ચાંદીના ભાવ લગભગ સ્થિર એટલે કે રૂ. 1,15,000 પ્રતિ કિલોગ્રામ રહ્યા. વૈશ્વિક બજારમાં હાજર ચાંદી 0.35 ટકા ઘટીને $38.92 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર, "વેપાર સોદાની શક્યતાને કારણે સોનાની માંગ ઘટી ગઈ છે. આગામી સપ્તાહમાં વ્યાજ દરો અંગે ફેડરલ રિઝર્વનો નિર્ણય સોનાના ભાવની દિશા નક્કી કરશે."
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
