AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે રશિયાનો માસ્ટરપ્લાન! ઈરાનના ‘યુરેનિયમ’ પર પુતિને લીધો મોટો નિર્ણય; શું આ પગલું દુનિયાને બચાવશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ દરમિયાન રશિયાએ મોટું પત્તું ખેલ્યું છે. વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ચીનથી એવી જાહેરાત કરી છે જે પશ્ચિમ એશિયાના સમીકરણો બદલી શકે છે. જાણો, ઈરાનના ખતરનાક યુરેનિયમનો રશિયા શું નિકાલ કરશે?

Breaking News: પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે રશિયાનો માસ્ટરપ્લાન! ઈરાનના 'યુરેનિયમ' પર પુતિને લીધો મોટો નિર્ણય; શું આ પગલું દુનિયાને બચાવશે?
| Updated on: Apr 15, 2026 | 9:50 PM
Share

વિશ્વ અત્યારે પરમાણુ શક્તિઓના વિવાદ વચ્ચે શ્વાસ અધ્ધર કરીને બેઠું છે, ત્યારે રશિયાએ ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ (સંવર્ધિત યુરેનિયમ) મામલે મહત્વની જાહેરાત કરી છે. ચીનની મુલાકાતે ગયેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો આ જટિલ સમસ્યા ઉકેલવા માટે સીધી ભૂમિકા ભજવવા તૈયાર છે.

રશિયાનો ‘રીપ્રોસેસિંગ’ પ્લાન

લવરોવે બીજિંગમાં પત્રકારોને જણાવ્યું કે, રશિયા ઈરાન પાસે રહેલા અત્યંત સંવર્ધિત યુરેનિયમને ઈંધણ-ગ્રેડ યુરેનિયમમાં ફરીથી પ્રોસેસ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે યુરેનિયમ પરમાણુ બોમ્બ બનાવવામાં વપરાય છે, તેને રશિયા એવા સ્વરૂપમાં બદલી નાખશે જેનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ ઉર્જા કાર્યો માટે થઈ શકે. રશિયાએ તૈયારી બતાવી છે કે ઈરાનને જે રીતે સ્વીકાર્ય હોય તે રીતે તેઓ મદદ કરવા તૈયાર છે.

પુતિને સીધો વોશિંગ્ટન મોકલ્યો પ્રસ્તાવ

આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે તાજેતરમાં પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગઈ હતી. આ નિષ્ફળતા બાદ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ખુલાસો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ પ્રસ્તાવ સીધો અમેરિકા સુધી પહોંચાડ્યો છે. એટલું જ નહીં, પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાત કરી તેમને રાજદ્વારી સમર્થન આપવાની ખાતરી પણ આપી છે.

IAEA ની કડક નજર

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય, તો ઈરાનની પરમાણુ ગતિવિધિઓની અત્યંત ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ટ્રમ્પ પ્રશાસન પહેલેથી જ કહી ચૂક્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.

શું ઈતિહાસનું પુનરાવર્તન થશે?

ઉલ્લેખનીય છે કે 2015 માં પણ જ્યારે પરમાણુ કરાર થયો હતો, ત્યારે રશિયાએ ઈરાનમાંથી મોટી માત્રામાં યુરેનિયમ હટાવી લીધું હતું. હવે જ્યારે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે શું રશિયા ફરીથી મધ્યસ્થી બનીને દુનિયાને પરમાણુ જોખમમાંથી બહાર કાઢી શકશે? આ પ્રશ્ન અત્યારે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે.

H-1B વિઝા પર જેડી વેન્સનું મહત્વનું નિવેદન; સાસરીયાના ખભે બંદૂક મૂકીને કહી આ મોટી વાત

Follow Us
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
g clip-path="url(#clip0_868_265)">