AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો લારીવાળા ભાઈની એ ‘સિક્રેટ હેક’, જેનાથી એક જ નારિયેળમાંથી નીકળશે 3 ગ્લાસ પાણી

ઉનાળામાં મોંઘા ભાવનું નારિયેળ ખરીદ્યા પછી જો અંદરથી પાણી ઓછું નીકળે તો મૂડ બગડી જાય છે. પણ હવે નહીં! નારિયેળ વેચતા વેપારીએ પોતે એવા રહસ્યો ખોલ્યા છે કે જેનાથી તમે માત્ર જોઈને જ ખબર પાડી દેશો કે કયા નારિયેળમાં સૌથી વધુ પાણી છે. જાણો શું છે '3-સાઇડ' અને અવાજનું ગણિત.

| Updated on: Apr 15, 2026 | 9:06 PM
Share
અતિશય ગરમી અને અસહ્ય ઉનાળામાં નારિયેળ પાણી શરીર માટે કોઈ અમૃતથી ઓછું નથી. તે માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરને તરત જ એનર્જી આપે છે. પરંતુ, વારંવાર લોકો મોટું નારિયેળ જોઈને તેને ખરીદી લે છે અને ઘરે આવીને ખબર પડે છે કે તેમાં પાણી તો માત્ર અડધો ગ્લાસ જ હતું. તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક નારિયેળ વેચતા અનુભવી ભાઈએ કેટલીક એવી ટિપ્સ શેર કરી છે જે તમને દરેક વખતે પરફેક્ટ નારિયેળ અપાવશે.

અતિશય ગરમી અને અસહ્ય ઉનાળામાં નારિયેળ પાણી શરીર માટે કોઈ અમૃતથી ઓછું નથી. તે માત્ર તરસ જ નથી છિપાવતું પણ શરીરને તરત જ એનર્જી આપે છે. પરંતુ, વારંવાર લોકો મોટું નારિયેળ જોઈને તેને ખરીદી લે છે અને ઘરે આવીને ખબર પડે છે કે તેમાં પાણી તો માત્ર અડધો ગ્લાસ જ હતું. તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે એક નારિયેળ વેચતા અનુભવી ભાઈએ કેટલીક એવી ટિપ્સ શેર કરી છે જે તમને દરેક વખતે પરફેક્ટ નારિયેળ અપાવશે.

1 / 7
સાઈઝનું સાચું ગણિત: મોટાભાગના લોકો એવું માને છે કે મોટું નારિયેળ એટલે વધુ પાણી, પણ આ વાત તદ્દન ખોટી છે. વેપારીના મતે, હંમેશા મધ્યમ (મીડિયમ) સાઈઝનું નારિયેળ જ પસંદ કરવું જોઈએ. બહુ મોટા નારિયેળમાં ઘણીવાર મલાઈ બની ગઈ હોય છે જેના કારણે પાણીની માત્રા ઘટી જાય છે.

સાઈઝનું સાચું ગણિત: મોટાભાગના લોકો એવું માને છે કે મોટું નારિયેળ એટલે વધુ પાણી, પણ આ વાત તદ્દન ખોટી છે. વેપારીના મતે, હંમેશા મધ્યમ (મીડિયમ) સાઈઝનું નારિયેળ જ પસંદ કરવું જોઈએ. બહુ મોટા નારિયેળમાં ઘણીવાર મલાઈ બની ગઈ હોય છે જેના કારણે પાણીની માત્રા ઘટી જાય છે.

2 / 7
જો અવાજ આવે તો સમજો પાણી ઓછું છે: ઘણા લોકો નારિયેળને કાન પાસે હલાવીને ચેક કરે છે, પણ શું ચેક કરવું તે નથી જાણતા. જો નારિયેળ હલાવતી વખતે પાણી છલકવાનો જોરદાર અવાજ આવે, તો તેને બિલકુલ ન લેવું. તેનો અર્થ એ છે કે અંદર હવા વધુ છે અને પાણી ઓછું. જે નારિયેળ પાણીથી છલોછલ ભરેલું હોય તેમાં જગ્યા ઓછી હોવાથી અવાજ આવતો નથી અથવા બહુ ધીમો આવે છે.

જો અવાજ આવે તો સમજો પાણી ઓછું છે: ઘણા લોકો નારિયેળને કાન પાસે હલાવીને ચેક કરે છે, પણ શું ચેક કરવું તે નથી જાણતા. જો નારિયેળ હલાવતી વખતે પાણી છલકવાનો જોરદાર અવાજ આવે, તો તેને બિલકુલ ન લેવું. તેનો અર્થ એ છે કે અંદર હવા વધુ છે અને પાણી ઓછું. જે નારિયેળ પાણીથી છલોછલ ભરેલું હોય તેમાં જગ્યા ઓછી હોવાથી અવાજ આવતો નથી અથવા બહુ ધીમો આવે છે.

3 / 7
'3-સાઈડ' વાળા નારિયેળથી સાવધાન: નારિયેળની બનાવટ પર ખાસ ધ્યાન આપો. જો નારિયેળનો આકાર ઉપરથી ત્રિકોણો એટલે કે ત્રણ ખૂણા વાળો દેખાતો હોય તો તેને ન ખરીદો. આવા નારિયેળ અંદરથી ખાલી હોવાની શક્યતા વધુ હોય છે. તેના બદલે જે નારિયેળ ગોળ અથવા લંબગોળ હોય તે પસંદ કરો, કારણ કે તેમાં પાણીનો સંગ્રહ વધુ થાય છે.

'3-સાઈડ' વાળા નારિયેળથી સાવધાન: નારિયેળની બનાવટ પર ખાસ ધ્યાન આપો. જો નારિયેળનો આકાર ઉપરથી ત્રિકોણો એટલે કે ત્રણ ખૂણા વાળો દેખાતો હોય તો તેને ન ખરીદો. આવા નારિયેળ અંદરથી ખાલી હોવાની શક્યતા વધુ હોય છે. તેના બદલે જે નારિયેળ ગોળ અથવા લંબગોળ હોય તે પસંદ કરો, કારણ કે તેમાં પાણીનો સંગ્રહ વધુ થાય છે.

4 / 7
રંગ અને વજનની પરખ: માત્ર લીલુંછમ નારિયેળ જોઈને ન લલચાવું. ઘણીવાર જેનું બહારનું પડ થોડું સુકાયેલું કે ભૂરા રંગનું હોય તેમાં પાણી સૌથી વધુ પાકેલું અને મીઠું હોય છે. આ ઉપરાંત, બે સરખા દેખાતા નારિયેળમાં જે હાથમાં પકડતા વધુ વજનદાર લાગે તેને જ ખરીદવું. ભારેપણું એ સીધો સંકેત છે કે તેમાં પાણી ભરપૂર છે.

રંગ અને વજનની પરખ: માત્ર લીલુંછમ નારિયેળ જોઈને ન લલચાવું. ઘણીવાર જેનું બહારનું પડ થોડું સુકાયેલું કે ભૂરા રંગનું હોય તેમાં પાણી સૌથી વધુ પાકેલું અને મીઠું હોય છે. આ ઉપરાંત, બે સરખા દેખાતા નારિયેળમાં જે હાથમાં પકડતા વધુ વજનદાર લાગે તેને જ ખરીદવું. ભારેપણું એ સીધો સંકેત છે કે તેમાં પાણી ભરપૂર છે.

5 / 7
ડંઠલ અને તાજગી: નારિયેળના ઉપરના ભાગે જ્યાં ડંઠલ હોય ત્યાં જો ઊંડો ખાડો દેખાય અને આસપાસનો ભાગ લીલો હોય તો તે તાજું છે. જો ત્યાં કોઈ કાણું કે કાળાશ દેખાય તો તે અંદરથી સડેલું હોઈ શકે છે.

ડંઠલ અને તાજગી: નારિયેળના ઉપરના ભાગે જ્યાં ડંઠલ હોય ત્યાં જો ઊંડો ખાડો દેખાય અને આસપાસનો ભાગ લીલો હોય તો તે તાજું છે. જો ત્યાં કોઈ કાણું કે કાળાશ દેખાય તો તે અંદરથી સડેલું હોઈ શકે છે.

6 / 7
હવે જ્યારે પણ નારિયેળ પાણી પીવાનું મન થાય ત્યારે વેપારીની આ ટિપ્સ જરૂર યાદ રાખજો, તમારા પૈસા વસૂલ થઈ જશે!

હવે જ્યારે પણ નારિયેળ પાણી પીવાનું મન થાય ત્યારે વેપારીની આ ટિપ્સ જરૂર યાદ રાખજો, તમારા પૈસા વસૂલ થઈ જશે!

7 / 7

જાણો સાધુ-સંતો કેમ વર્ષોથી ‘ચાખડી’ પહેરવાની પરંપરા છોડતા નથી અને તેના પાછળ છુપાયેલા ચમત્કારી ફાયદા

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">