Breaking News: રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી થશે બહાર ? આ ટ્રેન્ડ આપી રહ્યું છે મોટો સંકેત
કોલકાતા નાઈટ રાઈડર્સના વાઈસ કેપ્ટન રિંકુ સિંહનું IPL 2026માં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તેણે છેલ્લી બે સિઝનમાં પણ સારું પ્રદર્શન નથી કર્યું. છતાં KKR એ તેને IPL 2026માં ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો. જે બાદ હવે રીંકુની ટીમમાંથી છુટ્ટી થઈ જશે તેવા સંકેત મળી રહ્યા છે. રીંકુની હકાલપટ્ટી પાછળ ફક્ત તેનું ખરાબ પ્રદર્શન જ નહીં, પણ એક ટ્રેન્ડ પણ જવાબદાર બની શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2026માં ભારે મુશ્કેલીમાં છે. ટીમે અત્યાર સુધી પાંચ મેચ રમી છે અને હજુ સુધી જીત મેળવી નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હારથી આ સંકટ વધી ગયું છે.

દરમિયાન, ટીમના ફિનિશર, રિંકુ સિંહની ભૂમિકા અને પ્રદર્શન પર ચર્ચા શરૂ થઈ છે. રિંકુ સિંહ ટીમનો પોસ્ટર બોય છે, જેને ₹13 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. જોકે, તે તેની કિંમત પ્રમાણે રમી રહ્યો નથી.

રિંકુ સિંહને 2023 માં ગુજરાત ટાઈટન્સ સામેની તેની ઐતિહાસિક ઈનિંગ માટે હજુ પણ યાદ કરવામાં આવે છે, જ્યાં તેણે છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. જોકે, ત્યારથી તે ખાસ કંઈ કરી શક્યો નથી.

આ સિઝનમાં, રિંકુએ ચાર ઇનિંગમાં ફક્ત 78 રન બનાવ્યા છે, જેમાં 33 અણનમ, 35, 4 અને 6 રનનો સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, તેણે 2023 થી IPLમાં એક પણ અડધી સદી ફટકારી નથી.

આનો અર્થ એ થયો કે KKR એ રિંકુને 13 કરોડ રૂપિયામાં ખરીદીને ફિનિશરની ભૂમિકા આપી છે, પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. તે મેચ રમી રહ્યો છે, પરંતુ તેની ભૂમિકા નિભાવવામાં અસમર્થ રહ્યો છે. આવી સ્થિતિમાં, તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝન શરૂ થાય તે પહેલા રિંકુ સિંહને ટીમના વાઈસ-કેપ્ટન તરીકે પ્રમોટ કર્યો હતા. જોકે, KKRનો વાઈસ કેપ્ટન બનવું એ રિંકુ માટે ચેતવણીરૂપ સંકેત છે.

હકીકતમાં, છેલ્લા બે સિઝનમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે ખરાબ પ્રદર્શનને કારણે વાઈસ-કેપ્ટનને બહાર કર્યા છે. જો રિંકુ સિંહનું ખરાબ પ્રદર્શન ચાલુ રહેશે, તો તે પણ ટીમ મેનેજમેન્ટના નિશાના પર આવી શકે છે.

IPL 2024 માં, KKR એ નીતિશ રાણાને ટીમનો વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો. તેણે 2023 માં કેટલીક મેચોમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું. જોકે, 2024 માં તેણે ફક્ત બે મેચ રમી અને ત્યારબાદ ઈજાને કારણે તેને બહાર કરવામાં આવ્યો.

2025 માં KKR એ વેંકટેશ અય્યરને વાઈસ કેપ્ટન બનાવ્યો. જોકે, અય્યર પણ તે સિઝનમાં 11 મેચમાં ફક્ત 142 રન જ બનાવી શક્યો, જે બાદ તેને પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.

હવે રિંકુ સિંહ પાસે વાઈસ કેપ્ટનની જવાબદારી છે, અને તેનું સતત ખરાબ પ્રદર્શન મોટી ચિંતાનું કારણ બની ગયું છે. મોટો પ્રશ્ન એ છે કે શું અન્ય વાઈસ કેપ્ટનોની જેમ શું રીંકુની પર ટીમમાંથી છુટ્ટી થઈ જશે. (PC:PTI/X)
Breaking News: RCBની વધી મુશ્કેલી, વિરાટ કોહલીની ફિટનેસ પર સસ્પેન્સ, લખનૌ સામેની મેચમાં નહીં રમે?
