AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો સાધુ-સંતો કેમ વર્ષોથી ‘ચાખડી’ પહેરવાની પરંપરા છોડતા નથી અને તેના પાછળ છુપાયેલા ચમત્કારી ફાયદા

રામાયણ કાળથી ચાલી આવતી આ પરંપરા પાછળ માત્ર આધ્યાત્મિક જ નહીં પણ ગજબનું વિજ્ઞાન છુપાયેલું છે. જાણો ઘરે થોડો સમય ચાખડી પહેરવાથી કઈ રેખાઓ પ્રબળ બને છે.

| Updated on: Apr 15, 2026 | 8:23 PM
Share
આજના આધુનિક યુગમાં આપણે મોંઘા બૂટ-ચંપલ પાછળ દોડી રહ્યા છીએ, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ સદીઓ પહેલા જે લાકડાની ખડાઉં (ચાખડી) પહેરવાની પરંપરા શરૂ કરી હતી, તે સ્વાસ્થ્ય અને વિજ્ઞાનનો અદભૂત સંગમ છે. સાધુ-સંતોથી લઈને યોગીઓ સુધી, ચાખડી પહેરવાનું મહત્વ આજે પણ અકબંધ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં માત્ર થોડો સમય ચાખડી પહેરવાથી તમારા શરીર અને મન પર કેવી અસર થાય છે?

આજના આધુનિક યુગમાં આપણે મોંઘા બૂટ-ચંપલ પાછળ દોડી રહ્યા છીએ, પરંતુ આપણા ઋષિ-મુનિઓએ સદીઓ પહેલા જે લાકડાની ખડાઉં (ચાખડી) પહેરવાની પરંપરા શરૂ કરી હતી, તે સ્વાસ્થ્ય અને વિજ્ઞાનનો અદભૂત સંગમ છે. સાધુ-સંતોથી લઈને યોગીઓ સુધી, ચાખડી પહેરવાનું મહત્વ આજે પણ અકબંધ છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં માત્ર થોડો સમય ચાખડી પહેરવાથી તમારા શરીર અને મન પર કેવી અસર થાય છે?

1 / 6
શરીર અને મન પર થતી જાદુઈ અસર: નિષ્ણાતો અને આધ્યાત્મિક ગુરુઓના મતે, ચાખડી પહેરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) સુધરે છે. તે માનસિક અને શારીરિક થાકને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લાકડાની આ ચાખડી પર ચાલવાથી પાચનક્રિયા તેજ બને છે અને કરોડરજ્જુ (સ્પાઈનલ કોર્ડ) સીધી રહે છે, જે શરીરના સંતુલન માટે અત્યંત જરૂરી છે. લાકડું વીજળીનું અવાહક હોવાથી, તે શરીરની સકારાત્મક ઉર્જાને જમીનમાં જતા અટકાવે છે અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

શરીર અને મન પર થતી જાદુઈ અસર: નિષ્ણાતો અને આધ્યાત્મિક ગુરુઓના મતે, ચાખડી પહેરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ (બ્લડ સર્ક્યુલેશન) સુધરે છે. તે માનસિક અને શારીરિક થાકને દૂર કરવામાં મદદરૂપ થાય છે. લાકડાની આ ચાખડી પર ચાલવાથી પાચનક્રિયા તેજ બને છે અને કરોડરજ્જુ (સ્પાઈનલ કોર્ડ) સીધી રહે છે, જે શરીરના સંતુલન માટે અત્યંત જરૂરી છે. લાકડું વીજળીનું અવાહક હોવાથી, તે શરીરની સકારાત્મક ઉર્જાને જમીનમાં જતા અટકાવે છે અને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

2 / 6
હસ્તરેખા અને ચાખડીનો સંબંધ: ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિ અંગૂઠાવાળી ચાખડી ધારણ કરે છે, તેના હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા પ્રબળ બને છે. પાવડીના અંગૂઠા પર આવતા દબાણને કારણે એક્યુપ્રેશરની જેમ શરીરના આંતરિક અંગો સક્રિય થાય છે. આ પરંપરા ભગવાન શ્રી રામના કાળથી પ્રચલિત છે, જ્યારે ભરતજીએ 14 વર્ષ સુધી ચરણ પાદુકાને સિંહાસન પર રાખીને રાજ્ય કર્યું હતું.

હસ્તરેખા અને ચાખડીનો સંબંધ: ચોંકાવનારી વાત એ છે કે જે વ્યક્તિ અંગૂઠાવાળી ચાખડી ધારણ કરે છે, તેના હૃદય રેખા, મસ્તિષ્ક રેખા અને ભાગ્ય રેખા પ્રબળ બને છે. પાવડીના અંગૂઠા પર આવતા દબાણને કારણે એક્યુપ્રેશરની જેમ શરીરના આંતરિક અંગો સક્રિય થાય છે. આ પરંપરા ભગવાન શ્રી રામના કાળથી પ્રચલિત છે, જ્યારે ભરતજીએ 14 વર્ષ સુધી ચરણ પાદુકાને સિંહાસન પર રાખીને રાજ્ય કર્યું હતું.

3 / 6
ચાખડીના પ્રકાર અને તેની ઊંચાઈનું મહત્વ: ચાખડી કે પાવડી માત્ર એક પ્રકારની નથી હોતી, તેના કદ અને ઊંચાઈનું પણ વિશેષ મહત્વ છે: 1 ઈંચની પાવડી: સામાન્ય પુરુષો કે ગૃહસ્થો ધારણ કરી શકે છે. 2 ઈંચની ચાખડી: સન્યાસીઓ માટે નિર્ધારિત છે. 3 ઈંચની પાવડી: બ્રહ્મચારીઓ ધારણ કરે છે.

ચાખડીના પ્રકાર અને તેની ઊંચાઈનું મહત્વ: ચાખડી કે પાવડી માત્ર એક પ્રકારની નથી હોતી, તેના કદ અને ઊંચાઈનું પણ વિશેષ મહત્વ છે: 1 ઈંચની પાવડી: સામાન્ય પુરુષો કે ગૃહસ્થો ધારણ કરી શકે છે. 2 ઈંચની ચાખડી: સન્યાસીઓ માટે નિર્ધારિત છે. 3 ઈંચની પાવડી: બ્રહ્મચારીઓ ધારણ કરે છે.

4 / 6
કેવી રીતે ઉપયોગ કરવો?: જો તમે આખો દિવસ ચાખડી ન પહેરી શકો, તો પૂજાના સમયે અથવા સવારે થોડીવાર ઘરમાં પાવડી પહેરવાની આદત પાડો. તે શરીરની અનેક આફતોને દૂર કરે છે અને બ્રહ્મચર્યના પાલનમાં પણ સહાયક બને છે. આજકાલ પટ્ટીવાળી અને રબરવાળી પાવડી પણ બજારમાં ઉપલબ્ધ છે જે પહેરવામાં વધુ આરામદાયક હોય છે.

કેવી રીતે ઉપયોગ કરવો?: જો તમે આખો દિવસ ચાખડી ન પહેરી શકો, તો પૂજાના સમયે અથવા સવારે થોડીવાર ઘરમાં પાવડી પહેરવાની આદત પાડો. તે શરીરની અનેક આફતોને દૂર કરે છે અને બ્રહ્મચર્યના પાલનમાં પણ સહાયક બને છે. આજકાલ પટ્ટીવાળી અને રબરવાળી પાવડી પણ બજારમાં ઉપલબ્ધ છે જે પહેરવામાં વધુ આરામદાયક હોય છે.

5 / 6
સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો આ સમન્વય જો તમે પણ તમારા જીવનમાં ઉતારો, તો અનેક શારીરિક મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો આ સમન્વય જો તમે પણ તમારા જીવનમાં ઉતારો, તો અનેક શારીરિક મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

6 / 6

શું ઉનાળાની ગરમી તમને પણ બેભાન કરી શકે છે? જાણો શું છે ‘હીટ સ્ટ્રોક’

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">