સુંદર પિચાઈથી લઈને સચિન બંસલ સુધી, દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો રાખે છે આ IITians
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માંથી અભ્યાસ કરતા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે. આ લોકો દુનિયાભરમાં ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરી રહ્યા છે, પરંતુ તેઓ દુનિયાની મોટી મોટી કંપનીઓ અને ઈન્સ્ટીટ્યૂશનનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. પછી એન્જિનિયરિંગનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું ક્ષેત્ર, જ્યાં પણ આઈઆઈટીમાંથી ભણેલા લોકો પહોંચ્યા છે. તેમને પોતાના ટેલેન્ટથી બધાને હેરાન કરી દીધા છે. ચાલો જાણીએ આવા જ કેટલાક IITians વિશે.

સુંદર પિચાઈ: ગૂગલ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ આઈઆઈટી ખડગપુરમાંથી બીટેક કર્યું છે. આ પછી તેઓ એમએ કરવા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગયા. તેને પાછળથી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી એમબીઓ કર્યું. સુંદર પિચાઈની ગણતરી વિશ્વના સૌથી સફળ સીઈઓ તરીકે પણ થાય છે. (AP)

રઘુરામ રાજન: ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન દુનિયાના અગ્રણી અર્થશાસ્ત્રીઓમાંના એક છે. તેમને IIT, દિલ્હીમાંથી વર્ષ 1985માં બીટેક કર્યું હતું. બીટેક કર્યા બાદ આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીઓ કર્યું. રઘુરામ રાજન આઈઆઈટી અને આઈઆઈએમ બંનેમાં ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે. (PTI)

નારાયણ મૂર્તિઃ ઈન્ફોસિસના ફાઈન્ડર અને અબજોપતિ એનઆર નારાયણ મૂર્તિ પણ આઈઆઈટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ઈન્ફોસિસ દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક છે. મૂર્તિએ 1969માં આઈઆઈટી કાનપુરમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. (PTI)

ભાવિશ અગ્રવાલ: ઓલા કેબ્સના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ આઈઆઈટી બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેને આઈઆઈટી બોમ્બેમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું. 2018 માં ટાઇમ મેગેઝિને ભાવિશને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોની લિસ્ટમાં નામ આપ્યું હતું. (PTI)

ચેતન ભગતઃ ચેતન ભગતે 5 Point Someone, 3 Mistakes of My Life અને Half Girlfriend જેવા પુસ્તકો લખ્યા છે. ચેતને આઈઆઈટી દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ ઉપરાંત તેને આઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએ કર્યું છે. (PTI)

દીપેન્દ્ર ગોયલ: ફૂડ ડિલિવરી એપ ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલ પણ આઈઆઈટીયન છે. ગોયલે મેથ્સ અને કોમ્પ્યુટિંગમાં આઈઆઈટી દિલ્હીમાંથી વર્ષ 2005માં ઈન્ટીગ્રેટેડ એમટેક ડિગ્રી લીધી હતી. તેને તેના કરિયરની શરૂઆત Bain & Co સાથે કરી હતી. તેને વર્ષ 2008માં ઝોમેટોની સ્થાપના કરી હતી. (PTI)

સચિન બંસલઃ ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલે પણ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે. ઈ-કોમર્સ સેક્ટરની કંપની ફ્લિપકાર્ટ બનાવતા પહેલા સચિને આઈઆઈટી દિલ્હીથી બીટેક કર્યું હતું. તેને તેના મિત્ર બિન્ની બંસલ સાથે મળીને ફ્લિપકાર્ટ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં સચિન અને બિન્ની બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન માટે કામ કરતા હતા. અહીંથી ભારતમાં પણ આવું જ પ્લેટફોર્મ બનાવવાનો આઈડિયી તેમના મગજમાં આવ્યો. (File Photo)