ભારતમાં 81 કરોડ લોકોને મફત રાશન મળી રહ્યું છે, શું તમે આ સરકારી યોજનાની ખાસિયત જાણો છો?
ભારતમાં કરોડો લોકો એક સરકારી યોજનાનો લાભ લઈને દર મહિને મફત રાશન મેળવે છે. જણાવી દઈએ કે, આ યોજના વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજનાઓમાંની એક છે.

દેશના 81 કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. યોજનાના અંતર્ગત પાત્ર રેશન કાર્ડ ધરાવતા દરેક સભ્યને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા મળે છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશના ગરીબ લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. કોરોના સમયગાળા દરમિયાન, જ્યારે લોકોને તેમના ઘરોમાં રહેવું પડતું હતું, તે સમયે કેન્દ્ર સરકારે ગરીબો માટે આ યોજના શરૂ કરી હતી.

જણાવી દઈએ કે, આ યોજના હજુ પણ ચાલુ છે અને આને વર્ષ 2029 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ, પાત્ર રેશનકાર્ડના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા ચોખા મળે છે.

આ યોજના થકી 81 કરોડથી વધુ લોકો લાભ મેળવી રહ્યા છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ, પાત્ર પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો મફત અનાજ (ઘઉં / ચોખા) મળે છે. આ યોજનાને દેશભરની 'સરકારી રાશન દુકાનો' દ્વારા ચલાવવામાં આવે છે.

બીજું કે, આ યોજના હેઠળ લાભાર્થીઓને રાશન કાર્ડની મદદથી 'સરકારી રાશન દુકાન'માંથી મફત અનાજ મળે છે. નોંધનીય છે કે, આના માટે ફક્ત રાશન કાર્ડ જ જરૂરી છે. કેટલાક રાજ્યોએ વધારાના પાત્રતા માપદંડ નક્કી કર્યા છે. આ યોજના હેઠળ, આર્થિક રીતે નબળા લોકોને ખાદ્ય પદાર્થો મફતમાં આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજનાઓમાંની એક છે. AAY અથવા PHH શ્રેણીનું રાશન કાર્ડ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. જો તમે PMGKAY નો લાભ લેવા માંગતા હોવ, તો પહેલા તમારા રાશન કાર્ડનું સ્ટેટસ ચકાસો. જો રાશન કાર્ડ નથી, તો તરત જ તમારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ (Food and Civil Supplies Department)નો સંપર્ક કરો. વધુ માહિતી માટે, સત્તાવાર વેબસાઇટ dfpd.gov.in અથવા સ્થાનિક રાશન ડીલરનો સંપર્ક કરો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકો લાભ મેળવી રહ્યા હતા. હાલમાં, લાભાર્થીઓની સંખ્યા વધીને લગભગ 81 કરોડ થઈ ગઈ છે. એકંદરે, આ યોજના શરૂ થઈ ત્યારથી લગભગ 1 કરોડનો વધારો થયો છે. જણાવી દઈએ કે, આ યોજના હજુ પણ ચાલુ છે.
હાલમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ વિવિધ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવે છે. સરકાર PM-કિસાન, PM જીવન જ્યોતિ વીમા યોજના, PM જીવન સુરક્ષા વીમા યોજના, PM શહેરી આવાસ યોજના પ્રદાન કરે છે. સરકારી યોજનાને લગતા અન્ય લેખ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
