Farming Tips : મર્યાદિત જમીન, બમણી કમાણી ! બાજરીને રોગમુક્ત રાખવા અને ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવવાની અસરકારક રીત જાણો
બાજરી આપણા દેશનું એક મહત્વપૂર્ણ અને પોષક અનાજ છે. ખાસ કરીને ગુજરાતમાં તેનો વ્યાપક રીતે ઉછેર થાય છે. યોગ્ય ઉત્પાદન માટે બિયારણની ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વાવણી કરતા પહેલા બિયારણની તપાસ માટે સરળ અને પરંપરાગત રીત અપનાવવામાં આવે છે.

બાજરીના બિયારણને થોડું મીઠું નાખેલા પાણીમાં પલાળી રાખો. સારા અને ભરાવદાર બિયારણ પાણીમાં નીચે બેસી જાય છે. જ્યારે નકલી બિયારણ ઉપર તરે છે. આ રીતે ખેડૂત સારા બિયારણનની પસંદ કરી શકે છે. (Image Source | iStock)

બાજરીમાં અંગમારી રોગ જોવા મળે છે, જે મુખ્યત્વે ફૂગ અથવા બેક્ટેરિયાના કારણે થતો ગંભીર અને નુકસાનકારક રોગ છે. આ રોગથી બચવા માટે વાવણી પહેલાં દર 1 કિલો બિયારણમાં 3 ગ્રામ ટ્રાઇકોડર્મા પાવડર અથવા સ્યુડોમોનાસ પાવડર સારી રીતે મિશ્રિત કરો. જો પાકમાં રોગના પ્રારંભિક લક્ષણો જોવા મળે, તો ટ્રાઇકોડર્મા અથવા સ્યુડોમોનાસનું દ્રાવણ તૈયાર કરીને તેનો છંટકાવ કરો. (Image Source | iStock)

બાજરીની ખેતીમાં આંતરપાક અપનાવવાથી બાજરીનો પાક સુરક્ષિત રહે છે. સાથે જમીનની ક્ષમતા પણ જળવાય છે. જીવાત અને રોગનું દબાણ ઘટે છે અને ખેડૂતોને વધારાની આવક પણ મળે છે. (Image Source | iStock)

બાજરી સાથે જીરું ઉગાડી શકાય છે. જીરું ઉગાડવાની પદ્ધતિ ખૂબ લાભદાયી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ જોવા મળે છે. (Image Source | iStock)

બાજરી વાવેલી જમીનમાં જીરું વાવવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. જમીનની રચના અને પોષક તત્ત્વો બાજરી બાદ જીરાને વધુ અનુકૂળ બનાવે છે. આ પદ્ધતિથી ખેડૂતોને એક જ જમીનમાંથી વધુ આવક મળી શકે છે. (Image Source | iStock)

યોગ્ય બિયારણનની પસંદગી, રોગ નિયંત્રણ અને આંતરપાક જેવી પદ્ધતિઓ અપનાવીને ખેડૂત ઉત્પાદન વધારી શકે છે. આવી પદ્ધતિઓ ખર્ચ ઓછો કરે છે. સાથે પર્યાવરણ માટે પણ અનુકૂળ રહે છે. (Image Source | iStock)
આ પણ વાંચો, Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય
