ધનતેરસે ભૂલથી પણ ન કરતા આ કામ નહીંતો નહીં મળે માતા લક્ષ્મીના આશીર્વાદ
આજે દેશભરમાં ધનતેરસની ઉજવણી થઈ રહી છે ત્યારે ધનતેરસની સાંજે કેટલાક કામ કરવાનું વર્જ્ય માનવામાં આવે છે. ક્યાં કામો ધનતેરસની સાંજે ક્યાં કાર્યો ટાળવા જોઈએ અને જેનાથી અશુભ થતુ અટકાવી શકાય. આ રહી યાદી

ધનતેરસે મીઠાનું દાન ન કરો ધનતેરસના દિવસે મીઠુ અને ખાંડનું દાન ન કરવુ જોઈએ. સાંજે આ વસ્તુઓનુ દાન કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. ઘરમાં બરક્ત આવતી નથી અને નકારાત્મક ઊર્જા અને આર્થિક અસ્થિરતા આવે છે. ગરીબોને ભોજન, કપડા, દીવા અને ધનનું દાન કરવુ શુભ ગણાય છે.

કોઈને પૈસા ઉધાર ન આપો, કે લો ધનતેરસની સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો, તેમજ ઉધાર લો પણ નહીં. આમ કરવુ અશુભ ગણાય છે. આવુ કરવાથી આર્થિક સ્થિતિ કથળે છે અને નુકસાન કે અવરોધ આવી શકે છે.

સાંજે કચરો ન કાઢો ધનતેરસની સાંજે કચરો કાઢવો શુભ નથી ગણાતુ. સાવરણીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવે છે પરંતુ ધનતેરસે સાંજે કચરો કાઢવો અશુભ મનાય છે અને તેનાથી ઘરની બરક્ત જતી રહે છે.

આ દિવસે નવા વાસણો, સાવરણી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિ ખરીદવી શુભ છે, પરંતુ સાંજે અમુક કાર્યો ટાળવા જરૂરી છે. આ કાર્યો ટાળવાથી અશુભ પરિણામોથી બચી શકાય છે.

ઘરમાં ખાલી વાસણ ન લાવો ધનતેરસે ધાતુના વાસણો ખરીદવા શુભ મનાય છે, જે વર્ષભર સુખ-સમૃદ્ધિ જાળવી રાખે છે. જો કે ધનતેરસની સાંજે ખાલી વાસણો ન લાવવા જોઈએ તેમા પાણી, પતાશા, ગોળ કે ચોખા જેવી સમૃદ્ધિનું પ્રતિક ગણાતી વસ્તુઓ ભરીને લાવવી જોઈએ.

આ દિવસે ગરીબોને ખોરાક, કપડાં, દીવા અને પૈસાનું દાન કરી શકાય છે. જોકે, એવું માનવામાં આવે છે કે ધનતેરસની સાંજે કેટલીક વસ્તુઓનું દાન કરવું પ્રતિબંધિત છે, ખાસ કરીને મીઠું અને ખાંડ. સાંજે મીઠું કે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરની સમૃદ્ધિ ઓછી થાય છે.
