Photos: રક્ષામંત્રી રાજનાથ સિંહ અને તેલંગણાના રાજ્યપાલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 11:38 PM
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી પી.કે.લેહરી, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તામિલ સંગમનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર તામિલ સંગમના પ્રારંભિક કાર્યક્રમમાં જોડાવા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટી પી.કે.લેહરી, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

1 / 5
સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

સૌરાષ્ટ્ર તામિલ સંગમના શુભ અવસર પર સોમનાથ આવેલા તેલંગણાના રાજ્યપાલ મહામહિમ તમિલીસાઈ સૌંદરરાજન, ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, વન મંત્રી મુળુ બેરા પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા.

2 / 5
રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ તેમજ તેલંગણાના મહામહિમ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન દ્વારા સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી.

3 / 5
આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવના સ્મૃતિચિન્હ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

4 / 5
આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

આ અવસર પર તમામ મહાનુભાવોએ સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળ્યો હતો. (ઈનપુટ ક્રેડિટ- યોગેશ જોષી, ગીર-સોમનાથ)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">