Rohit Sharma Captain : રોહિત શર્મા બન્યો કેપ્ટન, આ ટીમમાં મળ્યું સ્થાન
ભારતીય ટીમના પસંદગીકારોએ રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી દૂર કર્યો હશે, પરંતુ તેને શ્રેષ્ઠ T20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. વધુમાં, તેને કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે.

રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના કેપ્ટનપદેથી દૂર કરવામાં આવ્યો હોય, અને આ દિગ્ગજ ખેલાડીની કારકિર્દી તેના અંતિમ તબક્કામાં હોઈ શકે છે, પરંતુ તેમનો કરિશ્મા હજુ પણ અકબંધ છે. રોહિત શર્માને એક ખાસ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રઝાએ રોહિત શર્માને શ્રેષ્ઠ T20 ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. રઝાએ તેની શ્રેષ્ઠ T20 ટીમમાં 11 ખેલાડીઓનો સમાવેશ કર્યો, જેમાં વિરાટ કોહલી અને ધોની જેવા દિગ્ગજોને સામેલ કરવામાં આવ્યો નથી.

સિકંદર રઝાએ રોહિત શર્મા સાથે ઓપનર તરીકે ક્રિસ ગેલની પસંદગી કરી છે . તેણે વિકેટકીપર તરીકે નિકોલસ પૂરનની પસંદગી કરી છે. એબી ડી વિલિયર્સ, હેનરિક ક્લાસેન અને કિરોન પોલાર્ડનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સિકંદર રઝાએ જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે. રાશિદ ખાન મિશેલ સ્ટાર્ક અને શાહીન આફ્રિદીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

સિકંદર રઝાની બેસ્ટ T20 ઈલેવન : ક્રિસ ગેલ, રોહિત શર્મા (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકીપર), એબી ડી વિલિયર્સ, હેનરિક ક્લાસેન, કિરોન પોલાર્ડ, રવિન્દ્ર જાડેજા, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, શાહીન આફ્રિદી, મિચેલ સ્ટાર્ક.

રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે, અને હવે 2027ના વર્લ્ડ કપ સુધી રમવાની તેની શક્યતાઓ અનિશ્ચિત છે. એવામાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ચાહકોની નજર હવે રોહિત શર્માના પ્રદર્શન પર રહેશે.

અહેવાલો અનુસાર ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી શકે છે. જોકે, રોહિતે આને એક પડકાર તરીકે લીધો છે, કારણ કે તે પહેલા કરતા વધુ ફિટ થઈ ગયો છે. તેણે 15 કિલોગ્રામ વજન ઘટાડ્યું છે.

હવે, જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઘણા રન બનાવશે, તો તેને ટીમમાંથી બહાર કાઢવો મુશ્કેલ બનશે. (All Photo Credit : PTI / GETTY)
T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટેલિયા પ્રવાસમાં ખેલાડી તરીકે રમશે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
