AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravichandran Ashwin Birthday: આજે છે એકલા હાથે અનેક મેચ જીતાડનાર રવિચંદ્રન અશ્વિનનો જન્મદિવસ

ભારતના મહાન બોલરોમાં જેની ગણતરી થાય છે તે ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનનો આજે જન્મદિવસ (Ravichandran Ashwin Birthday) છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો. 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં ડેબ્યૂ કરીને તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને અત્યાર સુધી 113 વનડે મેચમાં 151 અને 94 ટેસ્ટમાં 489 વિકેટ ઝડપી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 10:29 AM
Share
એકલા હાથે અનેક મેચ જીતનાર ભારતીય ક્રિકેટ સ્ટાર અને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin Birthday)ના નામે ઘણા રેકોર્ડ છે. અશ્વિન 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો 37મો જન્મદિવસ ઉજવશે. બહુ ઓછા લોકો જાણે છે કે અશ્વિને પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઓપનિંગ અને પછી મીડિયમ પેસ બોલિંગ કરી હતી. તેના પિતા ક્લબ ક્રિકેટર હતા અને ફાસ્ટ બોલિંગ કરતા હતા.

એકલા હાથે અનેક મેચ જીતનાર ભારતીય ક્રિકેટ સ્ટાર અને ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin Birthday)ના નામે ઘણા રેકોર્ડ છે. અશ્વિન 17 સપ્ટેમ્બર 2023ના રોજ તેનો 37મો જન્મદિવસ ઉજવશે. બહુ ઓછા લોકો જાણે છે કે અશ્વિને પોતાની કારકિર્દીની શરૂઆતમાં ઓપનિંગ અને પછી મીડિયમ પેસ બોલિંગ કરી હતી. તેના પિતા ક્લબ ક્રિકેટર હતા અને ફાસ્ટ બોલિંગ કરતા હતા.

1 / 6
રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયણના લગ્ન 13 નવેમ્બર 2011ના રોજ તમિલ રિવાજ મુજબ થયા હતા. મોટાભાગના બધા જાણે છે કે અશ્વિન અને પ્રીતિની લવ સ્ટોરી તેમની શાળાના દિવસો દરમિયાન શરૂ થઈ હતી. પ્રીતિએ જ જણાવ્યું હતું કે અશ્વિન સાતમા ધોરણથી તેના પર ક્રશ હતો અને આખી સ્કૂલ આ વાત જાણતી હતી.

રવિચંદ્રન અશ્વિન અને પ્રીતિ નારાયણના લગ્ન 13 નવેમ્બર 2011ના રોજ તમિલ રિવાજ મુજબ થયા હતા. મોટાભાગના બધા જાણે છે કે અશ્વિન અને પ્રીતિની લવ સ્ટોરી તેમની શાળાના દિવસો દરમિયાન શરૂ થઈ હતી. પ્રીતિએ જ જણાવ્યું હતું કે અશ્વિન સાતમા ધોરણથી તેના પર ક્રશ હતો અને આખી સ્કૂલ આ વાત જાણતી હતી.

2 / 6
 અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈના માયલાપુર પ્રાંતમાં થયો હતો. તેમના પિતા રવિચંદ્રન ક્લબ ક્રિકેટર હતા અને ફાસ્ટ બોલિંગ કરતા હતા. અશ્વિન અભ્યાસમાં હોશિયાર હતો. ચેન્નાઈથી સ્કૂલિંગ કર્યા પછી, તેણે SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT)માં ગ્રેજ્યુએશન કર્યું છે. જોકે, બાદમાં તેણે એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં કરિયર બનાવવાનું વિચાર્યું અને વિશ્વ ક્રિકેટમાં પ્રખ્યાત થઈ ગયો.

અશ્વિનનો જન્મ 17 સપ્ટેમ્બર 1986ના રોજ ચેન્નાઈના માયલાપુર પ્રાંતમાં થયો હતો. તેમના પિતા રવિચંદ્રન ક્લબ ક્રિકેટર હતા અને ફાસ્ટ બોલિંગ કરતા હતા. અશ્વિન અભ્યાસમાં હોશિયાર હતો. ચેન્નાઈથી સ્કૂલિંગ કર્યા પછી, તેણે SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT)માં ગ્રેજ્યુએશન કર્યું છે. જોકે, બાદમાં તેણે એન્જિનિયરિંગ છોડીને ક્રિકેટમાં કરિયર બનાવવાનું વિચાર્યું અને વિશ્વ ક્રિકેટમાં પ્રખ્યાત થઈ ગયો.

3 / 6
 અશ્વિને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઓપનિંગ કર્યું હતું. ઓપનર અને મીડિયમ પેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અશ્વિનના બાળપણના કોચ સીકે ​​વિજયે તેને ઓફ સ્પિનર ​​બનવાની સલાહ આપી હતી. અશ્વિનની ઊંચાઈ 6 ફૂટ 2 ઈંચ છે અને તેને ધ્યાનમાં રાખીને વિજયે તેને ઓફ સ્પિન કરવાની સલાહ આપી હતી. બીજું કારણ એ છે કે અશ્વિન અંડર-16 ક્રિકેટના દિવસોમાં એક મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પછી તેને સ્પિન બોલિંગમાં હાથ અજમાવવાનું સૂચન કરવામાં આવ્યું કારણ કે તેને દોડવામાં તકલીફ પડતી હતી.

અશ્વિને તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઓપનિંગ કર્યું હતું. ઓપનર અને મીડિયમ પેસર તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અશ્વિનના બાળપણના કોચ સીકે ​​વિજયે તેને ઓફ સ્પિનર ​​બનવાની સલાહ આપી હતી. અશ્વિનની ઊંચાઈ 6 ફૂટ 2 ઈંચ છે અને તેને ધ્યાનમાં રાખીને વિજયે તેને ઓફ સ્પિન કરવાની સલાહ આપી હતી. બીજું કારણ એ છે કે અશ્વિન અંડર-16 ક્રિકેટના દિવસોમાં એક મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પછી તેને સ્પિન બોલિંગમાં હાથ અજમાવવાનું સૂચન કરવામાં આવ્યું કારણ કે તેને દોડવામાં તકલીફ પડતી હતી.

4 / 6
અશ્વિને 2006માં હરિયાણા સામે તેની કરિયરની પ્રથમ હોમ મેચ રમી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને તે મેચમાં 6 વિકેટ લીધી હતી અને તેની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં ડેબ્યૂ કરીને તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને અત્યાર સુધી 113 વનડે મેચમાં 151 અને 94 ટેસ્ટમાં 489 વિકેટ ઝડપી છે. આ સિવાય 65 T20 ઇન્ટરનેશનલ મેચમાં તેના નામે 72 વિકેટ છે.

અશ્વિને 2006માં હરિયાણા સામે તેની કરિયરની પ્રથમ હોમ મેચ રમી હતી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને તે મેચમાં 6 વિકેટ લીધી હતી અને તેની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં ડેબ્યૂ કરીને તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને અત્યાર સુધી 113 વનડે મેચમાં 151 અને 94 ટેસ્ટમાં 489 વિકેટ ઝડપી છે. આ સિવાય 65 T20 ઇન્ટરનેશનલ મેચમાં તેના નામે 72 વિકેટ છે.

5 / 6
 રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 3 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.ચેન્નાઈનો રહેવાસી રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અને સદી ફટકારનાર ત્રીજા ભારતીય ખેલાડી છે. તેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ત્રીજી ટેસ્ટ મેચમાં 5 વિકેટ લઈને 103 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિને ટેસ્ટમાં 34 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે ટેસ્ટમાં કોઈપણ ભારતીય દ્વારા બીજી સર્વશ્રેષ્ઠ છે.

રવિચંદ્રન અશ્વિને વર્ષ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 3 અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તે 2011માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતો.ચેન્નાઈનો રહેવાસી રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 5 વિકેટ લેનાર અને સદી ફટકારનાર ત્રીજા ભારતીય ખેલાડી છે. તેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ત્રીજી ટેસ્ટ મેચમાં 5 વિકેટ લઈને 103 રન બનાવીને આ સિદ્ધિ મેળવી હતી. અશ્વિને ટેસ્ટમાં 34 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે, જે ટેસ્ટમાં કોઈપણ ભારતીય દ્વારા બીજી સર્વશ્રેષ્ઠ છે.

6 / 6
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">