AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોનીને આપ્યો ચાન્સ, યુવરાજ-કૈફની બનાવી કારકિર્દી, ગાંગુલીની “દાદાગીરી”થી ભારતને મળ્યા વર્લ્ડ ચેમ્પિયન પ્લેયર્સ

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનમાં એક, ભારતના બેસ્ટ લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટના 'દાદા' સૌરવ ગાંગુલીના ભારતીય ક્રિકેટમાં યોગદાનને કોઈ પણ ફેન કયારેય નહીં ભૂલી શકે. આજે ભારતીય ક્રિકેટ જે સ્થાને છે, તેનો મોટો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. દાદાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે એવા નિર્ણયો લીધા હતા, જેણે ભારતીય ક્રિકેટની નિયતિ જ બદલી નાખી હતી.

| Updated on: Jul 09, 2024 | 12:05 AM
સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં આગમન બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

સૌરવ ગાંગુલીએ જ ભારતીય ક્રિકેટના સૌથી સફળ અને વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પહેલીવાર તક આપી હતી. ધોનીના ભારતીય ટીમમાં આગમન બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

1 / 5
વીરેન્દ્ર સેહવાગ પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય પણ ગાંગુલીનો જ હતો. તેમના આ નિર્ણય બાદ ભારતને વિશ્વનો સૌથી આક્રમક ઓપનર મળ્યો, જેણે ઓપનિંગ બેટિંગની પરિભાષા જ બદલી નાખી.

વીરેન્દ્ર સેહવાગ પાસે ઓપનિંગ કરાવવાનો નિર્ણય પણ ગાંગુલીનો જ હતો. તેમના આ નિર્ણય બાદ ભારતને વિશ્વનો સૌથી આક્રમક ઓપનર મળ્યો, જેણે ઓપનિંગ બેટિંગની પરિભાષા જ બદલી નાખી.

2 / 5
યુવરાજ અને કૈફને ફક્ત બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગના દમ પર ટીમમાં સ્થાન આપવું અને ટીમની ફિલ્ડિંગને જીતની અસલી તાકાત બનાવવાનો શ્રેય પણ દાદાને જ જાય છે.

યુવરાજ અને કૈફને ફક્ત બેટિંગ નહીં પરંતુ ફિલ્ડિંગના દમ પર ટીમમાં સ્થાન આપવું અને ટીમની ફિલ્ડિંગને જીતની અસલી તાકાત બનાવવાનો શ્રેય પણ દાદાને જ જાય છે.

3 / 5
2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

2003 વર્લ્ડ કપ દરમિયાન અને આખી ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડ પાસે વિકેટકીપિંગ કરાવવાનો નિર્ણય દાદાનો હતો, જે બાદ આ વર્લ્ડ કપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું હતું.

4 / 5
આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

આ સિવાય હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નહેરા, લક્ષ્મણ જેવા અનેક ખેલાડીઓની કારકિર્દી બનાવવામાં અને તેમને આ લેવલ પર લઈ જવામાં સૌરવ ગાંગુલીનો સૌથી મોટો હાથ રહ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">