Breaking News: વરસાદના કારણે RCB vs KKR મેચ રદ થાય, તો બેંગલુરુ અને કોલકાતામાંથી કોને થશે ફાયદો? જાણો નિયમ
IPL 2026માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. પરંતુ રાયપુરના હવામાનને કારણે મેચ પર વરસાદનું સંકટ ઊભું થયું છે. જો વરસાદના કારણે મેચ રદ થાય છે, તો કોને થશે ફાયદો.

રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ મેચ દરમિયાન ભારે પવન અને વરસાદ બંનેની સંભાવના છે. વરસાદના કારણે ટોસ પણ સમયસર થઈ શક્યો નહોતો, જેના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ હાલમાં પ્લેઓફમાં સ્થાન મજબૂત બનાવવા માટે 16 પોઈન્ટના આંક સુધી પહોંચવા માંગે છે. જો મેચ ધોવાઈ જાય તો RCBને એક પોઈન્ટ મળશે અને તેમના 12 મેચ બાદ કુલ 15 પોઈન્ટ થશે.

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ મુકાબલો ‘કરો યા મરો’ સમાન છે. જો મેચ રદ થાય છે, તો KKRના માત્ર 10 પોઈન્ટ થશે અને ટીમનું પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની જશે. કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે જો KKR બાકીની ત્રણેય મેચ જીતે તો પણ વધારેમાં વધારે 17 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.

RCB પાસે હજુ બે મેચ બાકી રહેશે. આવી સ્થિતિમાં જો RCB આગામી બેમાંથી એક મેચ પણ જીતી જાય, તો ટીમ 17 પોઈન્ટ સુધી પહોંચી પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્ચિત કરી શકે છે. બંને મેચ જીતે તો RCB 19 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.

વરસાદના કારણે મેચ રદ થવાની સ્થિતિમાં સૌથી મોટો ફાયદો RCB ને થશે, કારણ કે ટીમ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં રહેશે. જ્યારે KKR માટે દરેક મેચ હવે નિર્ણાયક બની ગઈ છે અને એક પણ પોઈન્ટ ગુમાવવો ટીમને ભારે પડી શકે છે. (PC:PTI/X/IPL)
Breaking News: પાકિસ્તાનની હારથી ભારતના ખેલાડીઓને ફાયદો, ICC રેન્કિંગમાં મોટો ફેરફાર
