CSK vs PBKS : યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લેતાની સાથે જ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી બહાર કરી દીધો, અચાનક લીધો આ નિર્ણય
યુઝવેન્દ્ર ચહલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હતી. જોકે, આ શાનદાર પ્રદર્શન બાદ પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી જ બહાર કરી દીધો હતો. એવું શું થયું કે પંજાબે ચહલને ટીમની બહાર કર્યો, જાણો આ આર્ટીકલમાં.

યુઝવેન્દ્ર ચહલે ફરી એકવાર પોતાના કરિશ્માઈ પ્રદર્શનનું પુનરાવર્તન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચાર વિકેટ લીધી. ચહલે હેટ્રિક પણ લીધી હતી, પરંતુ આ પછી પંજાબ કિંગ્સે તેને ટીમમાંથી જ બહાર કરી દીધો હતો.

હવે તમે વિચારતા હશો કે પંજાબ કિંગ્સે આ નિર્ણય કેમ લીધો? આખરે ચહલ સાથે આવું કેમ થયું? વાસ્તવમાં આ પાછળનું કારણ પંજાબની બેટિંગને મજબૂત બનાવવાનું હતું. પંજાબે યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ પ્રભસિમરન સિંહનો ટીમમાં સમાવેશ કર્યો હતો. પ્રભસિમરન ઈમ્પેકસ પ્લેયર તરીકે પંજાબ તરફથી ઓપનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો.

પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ પર 18 કરોડ રૂપિયાનો દાવ કેમ લગાવ્યો હતો, તેનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ચહલે આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલને બોલ આપવામાં આવ્યો અને આ ખેલાડીએ કમાલ કરી હતી. ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લીધી, સાથે જ 6 બોલમાં 4 વિકેટ પણ ઝડપી હતી.

પંજાબ કિંગ્સે યુઝવેન્દ્ર ચહલ પર 18 કરોડ રૂપિયાનો દાવ કેમ લગાવ્યો હતો, તેનો જવાબ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ચહલે આપ્યો હતો. 19મી ઓવરમાં ચહલને બોલ આપવામાં આવ્યો અને આ ખેલાડીએ કમાલ કરી હતી. ચહલે ચેન્નાઈ સામે હેટ્રિક લીધી, સાથે જ 6 બોલમાં 4 વિકેટ પણ ઝડપી હતી.

ચહલે પોતાના IPL કરિયરમાં બીજી વખત હેટ્રિક લીધી હતી. ચહલની હેટ્રિકના દમ પર પંજાબે ચેન્નાઈને 20 ઓવર પણ રમવા દીધી ન હતી અને ટીમ 190 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. (All Photo Credit : PTI)
IPL 2025માં શ્રેયસ અય્યરની કપ્તાનીમાં પંજાબ કિંગ્સ સારું પ્રદર્શન કરી રહી છે. આ વર્ષે પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચશે એવી શક્યતા છે. પંજાબ કિંગ્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































