ફાટેલી એડીથી પરેશાન છો, આ 5 ઘરેલુ ઉપાય આવી શકે છે કામ !
ફાટેલી એડીઓની સમસ્યામાં રાહત મેળવવા માટે ત્વચાને યોગ્ય પોષણ અને ભેજ આપવો સૌથી જરૂરી હોય છે. અહીં કેટલાક સરળ ઘરેલુ ઉપાય જણાવવામાં આવ્યા છે. જેની મદદથી ફાટેલી એડીઓની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.

વેસેલિન અને લીંબુનો રસ: એક ચમચી વેસેલિન સાથે લીંબુના રસના 4થી 5 ટીપાં મિક્સ કરો. તેને તિરાડવાળી એડી પર લગાવો. લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરી શકે છે. (Image Source | AI Generated)

નારિયેળ અથવા સરસવનું તેલ: દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા પગને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને સુકાવો દો. પછી, તમારી એડી પર હૂંફાળું નારિયેળ અથવા સરસવનું તેલ લગાવો. હળવા હાથે માલિશ કરો અને પછી સૂતા પહેલા સુતરાઉ મોજા પહેરો. (Image Source | iStock)

કેળા અને મધનો પેક: એક પાકેલા કેળાને ક્રશ કરો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પેસ્ટને 15થી 20 મિનિટ માટે તમારી એડી પર લગાવો, પછી હુંફાળા પાણીથી ધોઈ લો. આ પેક ત્વચાને ઊંડે સુધી પોષણ આપી શકે છે. (Image Source | iStock)

સિંધવ મીઠું અને હૂંફાળું પાણી: એક ડોલ જેટલો પાણી ગરમ કરો. પછી તેને ટબમાં નાખો. પાણી હૂંફાળા હોય ત્યારબાદ તેમાં 2થી 3 ચમચી સિંધવ મીઠું ઉમેરો. તમારા પગને તેમાં 15 મિનિટ માટે પલાળી રાખો. પછી, ડેડ સ્કિન દૂર કરવા માટે પ્યુમિસ સ્ટોનથી હળવા હાથે સ્ક્રબ કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો. (Image Source | iStock)

એલોવેરા જેલ: એલોવેરામાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ હોય છે. તમારા પગ સાફ કર્યા પછી તમારી એડી પર તાજી એલોવેરા જેલ લગાવો. આ તિરાડને ઝડપથી મટાડવામાં મદદ કરી શકે છે અને બળતરા ઘટાડે છે. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, રસોડામાં વંદાઓનો ત્રાસ વધી ગયો છે? રાત્રે સુતાં પહેલાં કરો આ 1 દેશી ઉપાય, સવારે એક પણ વંદો જોવા નહીં મળે!
