42 વર્ષની ઉંમરે લગ્ન કરી રહી છે આ અભિનેત્રી,બિઝનેસમેનની બનશે પત્ની
હાલમાં એક અભિનેત્રીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 42 વર્ષની ઉંમરે અભિનેત્રી બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેના માતા-પિતાએ પણ આ લગ્ન માટે હા પાડી દીધી છે.

સાઉથની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન હાલમાં પોતાની ફિલ્મોથી વધારે પોતાની પર્સનલ લાઈફને લઈ વધારે ચર્ચામાં છે. ત્રિશા કૃષ્ણનની પર્સનલ લાઈફ વિશે એક મોટી અપટેડ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી લગ્ન કરવા જઈ રહી છે.

અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તાજેતરના એક રિપોર્ટમાં તેના લગ્નને લઈને એક નવો વળાંક આવ્યો છે. રિપોર્ટ મુજબ, ત્રિશા કૃષ્ણનના માતા-પિતાએ તેના માટે ચંદીગઢના એક ઉદ્યોગપતિ છોકરાને પસંદ કર્યો છે. જ્યારે વરરાજા વિશે કોઈ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી,

એવું જાણવા મળ્યું છે કે બંને પરિવારો ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રિશા કૃષ્ણને તાજેતરમાં લગ્નની અફવાઓનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, "જો મને યોગ્ય વ્યક્તિ મળે, તો હું લગ્ન કરવા તૈયાર છું. પરંતુ હજુ સમય આવ્યો નથી." આ સમાચાર બાદ, ત્રિશા કૃષ્ણનના ચાહકો ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે,ત્રિશા પહેલા બિઝનેસમને વરુણ મણિયન સાથે સગાઈ કરી ચૂકી હતી. પરંતુ તેના સંબંધો સગાઈ બાદ સારા રહ્યા ન હતી. આ કારણે બંન્ને અલગ થયા હતા. બંન્ને વચ્ચે મતભેદ થયા હોવાનું સામે આવ્યું હતુ.

ત્રિશા કૃષ્ણનના વર્કફ્રન્ટની આપણે વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટારમાંથી રાજકારણી બનેલા વિજય સાથેની જોડી ઉદ્યોગમાં ખૂબ જ પ્રિય જોડી રહી ચૂકી છે.

બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. "ગિલ્લી" (2004), "થિરુપાચી" (2005), "આથી" (2006) અને "કુરુવી" (2008) જેવી હિટ ફિલ્મોમાં તેમની કેમિસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવી હતી.
દક્ષિણ ભારતનું સિનેમા દક્ષિણ ભારતના ચાર મુખ્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિનેમાનો સંદર્ભ આપે છે. આ પ્રદેશની ચાર મુખ્ય ભાષાઓ – તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં ફીચર ફિલ્મો બનાવે છે. અહી ક્લિક કરો
