લગ્નના 4 વર્ષ બાદ લીધા છૂટાછેડા, બીજા લગ્ન 45 વર્ષની ઉંમરે 400 વર્ષ જૂના મંદિરમાં કર્યા, આવો છે પરિવાર
આજે આપણે સિદ્ધાર્થની પર્સનલ લાઈફ તેમજ તેમની લવ લાઈફ વિશે જાણીશું. સિદ્ધાર્થનું નામ કેટલાક વિવાદો સાથે પણ જોડાયેલું છે.સિદ્ધાર્થ સૂર્યનારાયણે અદિતિ રાવ હૈદરી સાથે લગ્ન કર્યા છે.

રંગ દે બસંતી અભિનેતા સિદ્ધાર્થ, સૂર્યનારાયણ સાઉથ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચેહરો છે.

સિદ્ધાર્થ પોતાના કામને લઈ ચર્ચામાં રહે છે.સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તો આજે આપણે અભિનેતાના પરિવાર વિશે જાણીએ.

સિદ્ધાર્થનું આખું નામ સિદ્ધાર્થ સૂર્યનારાયણ (સિદ્ધાર્થ તરીકે પણ ઓળખાય છે). સિદ્ધાર્થનો જન્મ 17 એપ્રિલ 1979ના રોજ ચેન્નાઈમાં થયો છે. તેમણે તમિલ,તેલુગુ અને બોલિવુડની ફિલ્મોમાં કામ કર્યું છે.

સિદ્ધાર્થ પોતાનું શિક્ષણ ડી.એ.વી. બોય્ઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ, મદ્રાસથી શરૂ કર્યું અને પછી સરદાર પટેલ વિદ્યાલય, દિલ્હીથી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે નવી દિલ્હીની કિરોરીમલ કોલેજમાંથી બેચલર ઓફ કોમર્સ (ઓનર્સ) ડિગ્રી મેળવી.

સિદ્ધાર્થે કોલેજ દરમિયાન કોલેજના ડિબેટિંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી અને વર્લ્ડ ડિબેટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.

ત્યારબાદ તેમણે મુંબઈની એસ.પી. જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાંથી એમબીએ પૂર્ણ કર્યું, અને સ્પીચિંગ સ્કિલ સ્પર્ધા પણ જીતી જેના કારણે તેમને 1999માં સીએનબીસી મેનેજર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો.

સિદ્ધાર્થનો ટીવી સાથેનો પહેલો પરિચય 1988માં આઠ અલગ અલગ ભાષાઓમાં બનિશ મચ્છર ભગાડનાર જાહેરાતના ડબિંગ દ્વારા થયો હતો, તે બાળપણથી જ ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માંગતો હતો,

અભિનેતા સિદ્ધાર્થ સૂર્યનારાયણના પુત્ર છે. તેને બે ભાઈ-બહેન છે, જયેન્દ્ર નામનો ભાઈ અને સંધ્યા નામની બહેન. સિદ્ધાર્થનો જન્મ ચેન્નાઈમાં તમિલ ભાષી પરિવારમાં થયો હતો. તેમણે અદિતિ રાવ હૈદરી સાથે લગ્ન કર્યા છે.

એક્ટિગ સિવાય સ્ક્રીનરાઈટર, પ્રોડ્યુસર અને પ્લેબેક સિંગર તરીકે પણ કામ કરી ચૂક્યો છે. અભિનેતા માત્ર લગ્ન નહી પરંતુ અફેરને લઈને પણ ચર્ચામાં રહી ચૂક્યો છે.

તમિલ અભિનેતા સિદ્ધાર્થ સૂર્યનારાયણે વર્ષ 2023માં ડેબ્યુ કર્યું હતુ અને આજ વર્ષે તેમણે મેધના નારાયણ સાથે લગ્ન કર્યા હતા. જે દિલ્હીમાં રહેતી હતી. તે તેની પાડોશી હતી સિદ્ધાર્થ અને મેધનાએ લવ મેરેજ કર્યા હતા.

પ્રથમ પત્ની મેધના સાથે લગ્ન બાદ બંન્ને વચ્ચે મતભેદ થવા લાગ્યા અને વર્ષ 2007માં સિદ્ધાર્થે મેધના સાથે છૂટાછેડા લીધા હતા.

બોલિવુડ સ્ટારના બીજા લગ્ન સાદાઈથી કર્યા છે. તેમના લગ્નમાં પરિવારના લોકો જ સામેલ થયા હતા.

નવેમ્બર 2003માં સિદ્ધાર્થે મેઘના સાથે લગ્ન કર્યા. જાન્યુઆરી 2007માં છૂટાછેડા લીધા. તેમણે 2021માં અદિતિ રાવ હૈદરી સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. તેમની સગાઈ 28 માર્ચ 2024ના રોજ થઈ અને 16 સપ્ટેમ્બર 2024 ના રોજ પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કર્યા.

અભિનેતા સિદ્ધાર્થના લગ્ન તેલંગાણાના વાનાપાર્થી જિલ્લામાં સ્થિત શ્રીરંગપુરમના ઐતિહાસિક શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા.

અદિતિ અને સિદ્ધાર્થે વાનપર્થીના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
































































