Breaking News : અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ-વિદેશ નહી પરંતુ જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન
અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સેલિબ્રિટીઓ જામનગરમાં આવવા લાગ્યા છે. શાહરૂખ ખાનથી લઈને રણવીર સિંહ સુધી, બધા જ જામનગરમાં જોવા મળ્યા છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. અબજોપતિનો માલિક અનંત અંબાણી દેશ -વિદેશ નહી પરંતુ તેના ઘરે જામનગરમાં જ કરે છે બર્થ ડે સેલિબ્રેશન

અનંત અંબાણીનો જન્મદિવસનું ગ્રાન્ડ સેલિબ્રેશન માટે બોલિવુડ સ્ટાર પરિવાર સાથે જામનગર પહોંચી રહ્યા છે. અનંતના 31માં જન્મદિવસ પર બર્થ ડે પાર્ટીના મેન્યુ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અરબોપતિનો માલિક અનંત અંબાણી પરિવારમાં સૌથી નાનો દીકરો છે. અનંતનો બર્થ ડે ખુબ જ ગ્રાન્ડ હોય છે. અનંત અંબાણી માટે જામનગરનો વનતારા પ્રોજેક્ટ દિલની ખુબ નજીક અને ખાસ છે. પોતાનો મોટાભાગનો સમય અહી પસાર કરે છે.તેના બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન પણ વનતારા જામનગરમાં કરવામાં આવ્યું છે.

અનંત અંબાણીના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. તેમણે 12 જુલાઈ 2024 ના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની ઉજવણી માર્ચથી શરૂ થઈ હતી. માર્ચ મહિનામાં જામનગરમાં ત્રણ દિવસ સુધી પ્રી વેડિંગ ફંક્શનની ઉજવણી થઈ હતી. રેહાના જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે ત્યાં પર્ફોર્મ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમની જેમ, આ જન્મદિવસ પણ હાઇ-પ્રોફાઇલ અને યાદગાર હોવાને કારણે ચર્ચામાં છે.

અમિતાભ બચ્ચનના દીકરીનો દીકરો અને અભિનેતા અગસ્ત્ય નંદા પણ અનંત અંબાણીના જન્મદિવસને ખાસ બનાવતા જોવા મળશે. (all photo : PTI)
ધીરુભાઈ અંબાણીએ માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો, જીંદગીમાં ક્યારેય 10 કલાકથી વધારે કામ કર્યું નથી અહી ક્લિક કરો
