ધીરુભાઈ અંબાણીએ માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો, જીંદગીમાં ક્યારેય 10 કલાકથી વધારે કામ કર્યું નથી

માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં અંબાણી પરિવાર (Ambani Family )ને કોઈ પરિચયની જરૂર નથી. અંબાણી પરિવારની ગણતરી વિશ્વના ટોપ-10 ધનિકોમાં થાય છે. આ પરિવારની સ્ટોરી ત્યારે શરૂ થાય છે

ધીરુભાઈ અંબાણીએ માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો, જીંદગીમાં ક્યારેય 10 કલાકથી વધારે કામ કર્યું નથી
Follow Us:
| Updated on: Mar 10, 2024 | 6:18 PM
જ્યારે ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)એ રિલાયન્સ કંપની શરૂ કરી હતી. પછી ધીમે ધીમે અંબાણી પરિવાર (Ambani Family)વધતો ગયો. ચાલો ધીરુભાઈથી લઈને અત્યાર સુધીનું સંપૂર્ણ કુટુંબ વિશે જાણીએ. ધીરુભાઈ અંબાણીથી લઈને મુકેશ અંબાણી, અનિલ અંબાણી અને હવે આકાશ અંબાણી, ઈશા અંબાણીના બાળકો, પરિવારમાં કોણ કોણ છે? આવો જાણીએ.

ધીરુભાઈ અંબાણી અને કોકિલા બેન અંબાણી

ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1933ના રોજ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો. કહેવાય છે કે શરૂઆતમાં ધીરુભાઈ અંબાણીનો પરિવાર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો હતો, તેથી ધીરુભાઈ અંબાણી માત્ર હાઈસ્કૂલ સુધી જ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા અને ત્યાર બાદ તેમણે નાની મોટી નોકરીઓ કરવાનું શરૂ કર્યું.
ambani-family-tree-meet-all-the-ambani-members

ધીરુભાઈ અને કોકિલા બેનને ચાર બાળકો

જ્યારે તેઓ 16 વર્ષના હતા ત્યારે તે યમન ગયા હતા. અહીં તેણે પેટ્રોલ પંપ પર હેલ્પર તરીકે પહેલી નોકરી કરી. ત્યારે તેમનો પગાર મહિને માત્ર 300 રૂપિયા હતો. બે વર્ષ પછી તે શેલ માટે વિતરક બન્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો ધીરુભાઈ અંબાણીએ નાખ્યો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું. જ્યારે તેઓ બિઝનેસની દુનિયામાં આવ્યા ત્યારે તેમની પાસે ન તો પૈતૃક સંપત્તિ હતી કે ન તો બેંક બેલેન્સ. પરંતુ પોતાની મહેનત અને સમર્પણના આધારે તેણે આટલું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. તેમના લગ્ન કોકિલાબેન સાથે થયા હતા. 2002માં ધીરુભાઈનું અવસાન થયું.

ધીરુભાઈ અને કોકિલા બેનના ચાર બાળકો

  1. મુકેશ અંબાણી
  2. અનિલ અંબાણી
  3. નીતા કોઠારી
  4. દીપ્તિ સલોનકર

મુકેશ અને નીતા અંબાણી

દેશના સૌથી ધનાઢ્ય પરિવારોમાંથી એકની બાગડોર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના હાથમાં છે. મુકેશ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર છે. તેમનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ થયો હતો. મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી અને બે પુત્રો છે, જેઓ તેમના વ્યવસાયને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.

અનિલ અને ટીના અંબાણી

અનિલ અંબાણી ધીરુભાઈ અંબાણીના નાના પુત્ર છે. રિલાયન્સ કેપિટલના વડા અનિલ અંબાણીનો જન્મ 4 જૂન 1959ના રોજ થયો હતો. તેણે બોલીવુડ અભિનેત્રી ટીના મુનીમ સાથે લગ્ન કર્યા હતા. અનિલ અને ટીનાને બે પુત્રો છે.

ઈશા અંબાણી અને આનંદ પીરામલ

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો. તેણે યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને પછી મેકેન્ઝી એન્ડ કંપનીમાં કામ કર્યું. ઈશા 2014થી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં ડિરેક્ટર છે. ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.જોડિયા બાળકોમાં છોકરીનું નામ આદિયા અને છોકરાનું નામ કૃષ્ણા છે.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા

મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની વાત કરીએ તો તેનો જન્મ પણ 23 ઓક્ટોબર 1991ના રોજ થયો હતો અને આકાશ રિલાયન્સ જિયોમાં ડિરેક્ટર છે અને તેની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય પણ છે. તેઓ રિલાયન્સ જિયોના સ્ટ્રેટેજી હેડ પણ છે. IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ તેની મહત્વની ભૂમિકા છે. તેઓ ઈન્ડિયન સુપર લીગ ઓફ ફૂટબોલ સાથે પણ જોડાયેલા છે. આકાશે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે. શ્લોકા મહેતાને એક પુત્રી પણ છે.

અનંત અંબાણી

અનંત અંબાણી મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર છે. તેનો જન્મ 10 એપ્રિલ 1995ના રોજ થયો હતો. અનંતે બ્રાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને તેને રિલાયન્સ ગ્રુપમાં  મહત્વની ભૂમિકા ભજવી છે.   તે રિલાયન્સની ગ્રીન બિઝનેસ કંપનીઓ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જીના ડિરેક્ટર છે. તેની થનારી  પત્નીનું નામ રાધિકા મર્ચન્ટ છે. બંન્નેના લગ્ન થોડા સમયમાં જ થશે,

અનમોલ અંબાણી અને કૃશા શાહ

અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીનો જન્મ 12 ડિસેમ્બર 1991ના રોજ થયો હતો. તેને મોંઘી કાર પસંદ છે. અનમોલે કૃશા શાહ સાથે લગ્ન કર્યા છે.

જય અંશુલ અંબાણી

અનિલ અંબાણીના નાના પુત્રનું નામ જય અંશુલ અંબાણી છે. તેનો જન્મ 1996માં થયો હતો. અંશુલે વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી પોતાનું ઉચ્ચ શિક્ષણ પણ પૂરું કર્યું છે. પરિવારનો નાનો પુત્ર જય અંશુલ પણ સંગીતનો શોખીન છે. જય અંશુલ પાસે ઘણી લક્ઝરી કાર છે. તેના કલેક્શનમાં રોલ્સ રોયસ ફેન્ટમ, રેન્જ રોવર, મર્સિડીઝ સહિત ઘણી કાર છે.
દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">