Ahmedabad : રજાઓમાં નહીં માણી શકો કાંકરિયા કાર્નિવલના કાર્યકમોની મજા, કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો સંપૂર્ણ રદ, જો કે એન્ટ્રી ફ્રી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે હવે નવા કોઇપણ સરકારી કાર્યક્રમો કરવામાં નહીં આવે. આ સાથે જ જે સરકારી કાર્યક્રમો અને જાહેરાત જે અગાઉથી થઇ ચુકી હતી તે પણ સંપૂર્ણ પણે રદ કરવામાં આવ્યા છે. જેમ કે અમદાવાદના કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને પગલે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે હવે નવા કોઇપણ સરકારી કાર્યક્રમો કરવામાં નહીં આવે. આ સાથે જ જે સરકારી કાર્યક્રમો અને જાહેરાત જે અગાઉથી થઇ ચુકી હતી તે પણ સંપૂર્ણ પણે રદ કરવામાં આવ્યા છે. જેમ કે અમદાવાદના કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. આ જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધનને પગલે કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમ સંપૂર્ણ પણે રદ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈ રાષ્ટ્રીય શોકની જાહેરાત થતા AMC તરફથી આ સત્તાવાર જાહેરાત કરાઈ છે.

ફ્લાવર શોની તારીખોમાં પણ બદલાવ આવશે. અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોનો પ્રારંભ થવાનો હતો. જો કે આ કાર્યક્રમના પ્રારંભ કરવાની તારીખ હવે નવેસરથી જાહેર કરવામાં આવશે.

હવે કાંકરિયા કાર્નિવલ દરમિયાન દરેક વ્યક્તિ માટે એન્ટ્રી સંપૂર્ણ ફ્રી કરી દેવાઇ છે.દર વર્ષે કાંકરિયા કાર્નિવલ દરમિયાન 25થી 31 ડિસેમ્બર દરમિયાન દરેક વ્યક્તિ માટે એન્ટ્રી ફ્રી જ રહે છે. જો કે આ વખતે એન્ટ્રી ફ્રી જ રહેશે, પરંતુ કાંકરિયા કાર્નિવલના કોઇ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.

31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલમાં કોઇપણ સ્ટેજ કાર્યક્રમ કે પર્ફોમન્સ કરવામાં આવશે નહીં.રાષ્ટ્રીય શોકનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે.કોર્પોરેશન દ્વારા તેની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના પગલે ફ્લાવર શોની શરુઆત કરાવવાનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે.