AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં 132ના મોત, પત્તાની માફક ઢળી પડેલી ઈમારતોનો ઠેર ઠેર કાટમાળ

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે, એક જ ક્ષણમાં સેંકડો ઈમારતોને તબાહ કરી દીધી છે. પત્તાના ઘરની માફક જ એક પછી એક ઈમારતો ઢળી હતી. જેના પગલે ભયાનક વિનાશનું દ્રશ્ય સામે આવ્યું છે. મૃત્યુઆંક 132 પર પહોંચી ગયો છે.

| Updated on: Aug 11, 2026 | 8:16 AM
Share
કોલંબિયામાં ગઈકાલ સોમવારે આવેલા 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અસંખ્ય ઇમારતો પતાના મહેલની માફક તુટી પડી છે. અત્યાર સુધીમાં 132 લોકો માર્યા ગયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જ્યારે આશરે 570 લોકો ઘાયલ થયા છે.

કોલંબિયામાં ગઈકાલ સોમવારે આવેલા 7.4 ની તીવ્રતાના ભૂકંપથી અસંખ્ય ઇમારતો પતાના મહેલની માફક તુટી પડી છે. અત્યાર સુધીમાં 132 લોકો માર્યા ગયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જ્યારે આશરે 570 લોકો ઘાયલ થયા છે.

1 / 6
યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.4 ની હતી અને તેનું ઉદગમ બિંદુ જમીનથી 115 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, કોલંબિયન ભૂસ્તરશાસ્ત્રીય સેવાએ આ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.7 ની હોવાની જાણ કરી હતી.

યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.4 ની હતી અને તેનું ઉદગમ બિંદુ જમીનથી 115 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, કોલંબિયન ભૂસ્તરશાસ્ત્રીય સેવાએ આ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 6.7 ની હોવાની જાણ કરી હતી.

2 / 6
ધરતીકંપથી તીવ્ર ધ્રુજારીને કારણે લોકોને તેમના ઘરો અને ઇમારતો ખાલી કરવાની ફરજ પડી હતી. કોલંબિયાની રાજધાની બોગોટા તેમજ પડોશી દેશ વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.

ધરતીકંપથી તીવ્ર ધ્રુજારીને કારણે લોકોને તેમના ઘરો અને ઇમારતો ખાલી કરવાની ફરજ પડી હતી. કોલંબિયાની રાજધાની બોગોટા તેમજ પડોશી દેશ વેનેઝુએલા અને ઇક્વાડોરમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.

3 / 6
કોલંબિયાના વિનાશક ભૂકંપનું કેન્દ્ર, બોગોટાથી આશરે 400 કિલોમીટર પશ્ચિમમાં સાન જોસ ડેલ પાલ્મર નજીક સ્થિત હતું. કોલંબિયાના રાષ્ટ્રીય આપત્તિ જોખમ વ્યવસ્થાપન એકમ ખાતે્ ભૂકંપની તીવ્રતા 7.4 ની નોંધાઈ હતી અને તેની ઊંડાઈ 79 કિલોમીટર જણાવી હતી.

કોલંબિયાના વિનાશક ભૂકંપનું કેન્દ્ર, બોગોટાથી આશરે 400 કિલોમીટર પશ્ચિમમાં સાન જોસ ડેલ પાલ્મર નજીક સ્થિત હતું. કોલંબિયાના રાષ્ટ્રીય આપત્તિ જોખમ વ્યવસ્થાપન એકમ ખાતે્ ભૂકંપની તીવ્રતા 7.4 ની નોંધાઈ હતી અને તેની ઊંડાઈ 79 કિલોમીટર જણાવી હતી.

4 / 6
ચોકોના ગવર્નર નુબિયા કેરોલિના કોર્ડોબા-ક્યુરીએ પ્રાંતીય રાજધાની ક્વિબ્ડોમાં ઘાયલો અને વ્યાપક માળખાકીય નુકસાનની જાણ કરી હતી, અને નોંધ્યું હતું કે અધિકારીઓ હાલમાં નુકસાનની સંપૂર્ણ હદનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

ચોકોના ગવર્નર નુબિયા કેરોલિના કોર્ડોબા-ક્યુરીએ પ્રાંતીય રાજધાની ક્વિબ્ડોમાં ઘાયલો અને વ્યાપક માળખાકીય નુકસાનની જાણ કરી હતી, અને નોંધ્યું હતું કે અધિકારીઓ હાલમાં નુકસાનની સંપૂર્ણ હદનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

5 / 6
કોલંબિયાને દક્ષિણ અમેરિકન દેશોમાંનો એક માનવામાં આવે છે જે ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ પ્રદેશની ટેક્ટોનિક પ્લેટોને કારણે છે. કોલંબિયા દેશ અનેક ટેક્ટોનિક પ્લેટ સીમાઓ અને મુખ્ય ફોલ્ટ સિસ્ટમ્સની નજીક આવેલો છે. કોલમ્બિયન ભૂસ્તરશાસ્ત્રીય સેવા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 100 થી વધુ વિનાશક ભૂકંપ આવ્યા છે. એન્ડિયન પ્રદેશ, પૂર્વીય કોર્ડિલેરાની પૂર્વ તળેટીઓ અને પેસિફિક કિનારા ખાસ કરીને જોખમમાં છે.

કોલંબિયાને દક્ષિણ અમેરિકન દેશોમાંનો એક માનવામાં આવે છે જે ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ છે. આ પ્રદેશની ટેક્ટોનિક પ્લેટોને કારણે છે. કોલંબિયા દેશ અનેક ટેક્ટોનિક પ્લેટ સીમાઓ અને મુખ્ય ફોલ્ટ સિસ્ટમ્સની નજીક આવેલો છે. કોલમ્બિયન ભૂસ્તરશાસ્ત્રીય સેવા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 100 થી વધુ વિનાશક ભૂકંપ આવ્યા છે. એન્ડિયન પ્રદેશ, પૂર્વીય કોર્ડિલેરાની પૂર્વ તળેટીઓ અને પેસિફિક કિનારા ખાસ કરીને જોખમમાં છે.

6 / 6

 

11 ઓગસ્ટના મહત્વના સમાચાર : ગુજરાતની સમીપ મહારાષ્ટ્રના પાલઘરમાં અનુભવાયા ભૂકંપના સતત બે આંચકા

Follow Us
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">