કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 38 ના મોત, 200 ગુમ, 37 લોકો ગંભીર, જુઓ ફોટા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે ગુરૂવારે બપોરના સમયે અચાનક વાદળ ફાટ્યું. માચૈલ માતા મંદિરના યાત્રા માર્ગ પર આ દુર્ઘટના બની, જેમાં બે CISF જવાનો સહિત 38 લોકો મૃત્યુ પામ્યાહોવાના સમાચાર સામે આવ્યા છે. જયારે, 200 થી વધુ લોકો ગુમ છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ગુરૂવારે બપોરના સમયે અચાનક વાદળ ફાટ્યું હતું. માચૈલ માતા મંદિરના યાત્રા માર્ગ પરવાદળ ફાટવાની બનેલી ઘટનામાં 38 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 200 થી વધુ લોકો ગુમ છે.

આ ઘટના પછી, અચાનક પૂર આવ્યું અને મોટા પાયે વિનાશ થયો. 100 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 37 લોકોની હાલત ગંભીર છે. તેમને કિશ્તવાડની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પદ્દરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લગભગ 70 થી 80 લોકોની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસ-પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

વાદળ ફાટવાની દુર્ઘટના માચૈલ માતા મંદિર તરફ જતા માર્ગ પર ચાશોટી ગામમાં બની હતી. ઘટના બની તે સમયે ત્યાં મોટી સંખ્યામાં લોકો માચૈલ માતા યાત્રા માટે એકઠા થયા હતા.

9500 ફૂટની ઊંચાઈ પર સ્થિત માચૈલ માતા મંદિર સુધી પહોંચવા માટે, શ્રદ્ધાળુઓ ફક્ત મોટર વાહન દ્વારા ચાશોટી ગામ પહોંચી શકે છે. ત્યારબાદ તેમને 8.5 કિલોમીટર પગપાળા મુસાફરી કરવી પડે છે. જમ્મુ કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 200 લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે.

ચાશોટી ગામ કિશ્તવાર શહેરથી લગભગ 90 કિમી દૂર છે. અહીં શ્રદ્ધાળુઓ માટે રાખવામાં આવેલ લંગર (સમુદાયિક રસોડું) વાદળ ફાટવાથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું અને દુકાનો તેમજ સુરક્ષા ચોકી સહિત ઘણી ઇમારતો ધોવાઈ ગઈ. આ બનાવ બાદ, માચૈલ માતા મંદિરની ધાર્મિક યાત્રા મોકૂફ જાહેર કરવામાં આવી છે. NDRF- SDRFની બે ટીમ બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે. પોલીસ, સેના, NDRF અને SDRF અધિકારીઓ પણ બચાવ અને રાહત કાર્યમાં જોડાયા છે. ( તસવીર સૌજન્ય-PTI )
જમ્મુ અને કાશ્મીરને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.