AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“નેત્રંગની સભામાં જનમેદની જોઇને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ”: સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર

ભરૂચન નેત્રંગમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમીત્તે ચૈતર વસાવાએ વિશાળ જનસભા સંબોધી હતી. ત્યારે ભાજપના સાંસદે ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો અને અરાજક્તા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. જેના પર ચૈતર વસાવાએ પલટવાર કરતા કહ્યુ કે સભાની જનમેદની જોઈને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2025 | 8:49 PM
Share

ભરૂચના નેત્રંગમાં 15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલની હાજરીમાં ઉજવણી કરાઇ હતી. વિશાળ જન્મેદનનીને બન્ને આગેવાનોએ સંબોધન કર્યું હતુ. હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટ્યા હતા.

નેત્રંગમાં યોજાયેલી ચૈતર વસાવાની જનસભા પર સાંસદ ધવલ પટેલે નિશાન સાધ્યુ કે ચૈતર અને અનંત પટેલ અરાજક્તા ફેલાવે છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે. આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચૈતર અને અનંતના પ્રયાસો હાથ ધરાયા છે. આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય.

તો સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે. નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયુ છે. ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે. આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માગી રહ્યા છે.

નેત્રંગની જનસભામાં શું બોલ્યા ચૈતર વસાવા?

નેત્રંગની જનસભામાં ચૈતર વસાવાએ કહ્યુ કે હવે અમે આંદોલનો, આવેદનો-નિવેદન કે ધરણા કરવાના નથી. તેમણે કહ્યુ ડેડિયાપાડામાં મોદી આવે કે તેમના મિત્ર ટ્રમ્પ આવે , મને કે મારા આદિવાસીઓને કોઈ ફેર પડવાનો નથી. તેમણે કહ્યુ મોદીના આવવાથી મારુ પુરુ થવાનુ નથી.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">