રાજકીય પીચ પર ભાઈ-ભાઈ આવી ચૂક્યા છે સામસામે, ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો
અંકલેશ્વર-હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો

ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલ એક રાજકારણી, સામાજિક કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારના વર્તમાન વિધાનસભા સભ્ય છે.

તેઓ વિજય રૂપાણી મંત્રીમંડળમાં 2017 થી 2022 સુધી ગુજરાત સરકારમાં પરિવહન, સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય મંત્રી હતા.

ઈશ્વરસિંહ ઠાકોરસિંહજીનો પરિવાર જુઓ

ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલનો જન્મ 25 જૂન 1965 (ઉંમર 60) રોજ કુડાદરા ગામમાં થયો છે. તેઓ ખેતી સાથે પણ સંકળાયેલા છે.

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી છે. તો ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલના પરિવાર વિશે જાણો

ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલે બી. એ., એલએલ. બીનો અભ્યાસ કર્યો છે. તેમને વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, વૃક્ષારોપણ, સમાજસેવામાં રુચિ છે. તેઓ બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, દુબઈ, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, શારજાહ, અબુધાબી, અમેરિકા, ઝાંબીયાની મુલાકાત લઈ ચૂક્યા છે.

ઈશ્વરસિંહ ઠાકોરસિંહજી પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારનું રાજ્ય સરકારમાં સતત પાંચમી વાર પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

વર્ષ 1989 થી પાર્ટીના પાયાના પથ્થર સમાન વડીલ આગેવાનોનુ માર્ગદર્શન અને કર્તવ્યનિષ્ઠ અનેક ઉત્સાહી યુવા કાર્યકરોના અથાક પરિશ્રમ, અવિરામ મહેનત તેમજ જનતા જનાર્દનનો અતૂટ ભરોસો અને અખંડ આર્શીવાદનું આ પરિણામ છે. હું આ સન્માન આપ સૌના ચરણોમાં નમ્રતાપૂર્વક સમર્પિત કરું છું.

તેમણે પોસ્ટમાં કહ્યું કે, મક્કમ નેતૃત્વમાં મારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભામાં સેવા, સુશાસન અને સમૃદ્ધિના પંથે આગળ વધતાં રાજ્યના દરેક નાગરિક માટે શુદ્ધ જળ તથા ખેતી માટે પાણી પુરવઠો પહોંચે તે માટે જળસંચયથી લઈને પુરવઠા સુધીની દરેક યોજનામાં પ્રગતિ, પારદર્શિતા, ગુણવત્તા અને જનહિતના મૂલ્યો સાથે કાર્ય કરવાનું મારો મુખ્ય ધ્યેય છે.

વિકસિત ગુજરાત ના સપનાને સાકાર કરવાના માર્ગે અવિરત પ્રયત્નશીલ છું અને રહીશ.

ઈશ્વરસિંહ પટેલે પ્રથમ વખત સંસદીય સચિવ તરીકે શપથ વર્ષ 2009માં લીધા હતા. ત્યારબાદ બીજી વખત રાજ્ય સરકારના મંત્રી તરીકે 2011માં શપથ લીધા હતા. ત્રીજી વખત રાજ્યસરકારના મંત્રી તરીકે વર્ષ 2016માં શપથ લીધા હતા.

ચોથી વખત રાજય સરકારના મંત્રી તરીકે શપથ વર્ષ 2017માં લીધા હતા. પાંચી વખત રાજ્ય સરકારના મંત્રી તરીકે શપથ વર્ષ 2025માં લીધા છે.

અંકલેશ્વર એ ભારતના ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી એક છે. તે ભરૂચ જિલ્લાનો એક ભાગ છે. એફિડેવિટ મુજબ શૈક્ષણિક લાયકાતની વાત આપણે કરીએ તો. 1994માં સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાંથી બીએ કર્યું છે. તેમજ એલએલબી , સેકન્ડ સેમેસ્ટર સુધીનો અભ્યાસ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે.

2022ની એફિડેવિટ મુજબ 10 તોલા સોનું. વ્યવસાયે ખેતી તેમજ આવકના સ્ત્રોત તરીકે ધારાસભ્ય તરીકે મળતો પગાર, ખેતીની આવક, બચત ખાતાની તેમજ થાપણનું વ્યાજ દર્શાવી છે. ઈશ્વરસિંહ પટેલ લોકોમાં પટેલ સાહેબના નામથી જાણીતા છે. ઈશ્વરસિંહ પટેલનો ભાઈ પણ રાજકારણમાં સક્રિય છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
