ચાલુ શૂટિંગ દરમિયાન સંજય દત્તે ડિરેક્ટર સાથે ગુસ્સે થઈ કરી બોલાચાલી, થયો ખુલાસો
સંજય દત્તે પોતાના કરિયરમાં ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો આપી છે. જેમાંથી એક ફિલ્મ 1988માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પહેલા સંજય દત્તે પોતાને વચન આપ્યું હતું કે, તે ફરી ક્યારેય આ ફિલ્મના ડિરેક્ટર સાથે કામ કરશે નહીં. જાણો શું હતું તેની પાછળનું કારણ?

1988માં રિલીઝ થયેલી આ ફિલ્મના અંતિમ શેડ્યૂલ દરમિયાન સંજય દત્ત અને માધુરી દીક્ષિત નજીક આવ્યા હતા. આ ફિલ્મ શૂટિંગ દરમિયાન સૌથી વધુ ચર્ચામાં રહી હતી, જ્યારે સંજય દત્ત ગુસ્સામાં સેટ છોડીને ચાલી ગયો હતો.

સંજય દત્તની ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મનું નામ 'ખતરોં કે ખિલાડી'હતું અને તેનું દિગ્દર્શન ટી. રામા રાવે કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તની સાથે ધર્મેન્દ્ર, ચંકી પાંડે, માધુરી દીક્ષિત અને નીલમે પણ કામ કર્યું હતું.

ધર્મેન્દ્રએ ફિલ્મમાં બળવંતનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે સંજય દત્તે રાજેશની ભૂમિકા ભજવી હતી અને ચંકી પાંડેએ મહેશની ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં ચંકી પાંડે અને ધર્મેન્દ્રએ સતત બીજી વખત પિતા અને પુત્રની ભૂમિકા ભજવી હતી. જોકે, ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ટી. રામા રાવ અને સંજય દત્ત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હકીકતમાં, દિગ્દર્શકે તેને ડાન્સ સ્ટેપ યોગ્ય રીતે ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

IMDB અનુસાર ટી. રામા રાવે સંજય સાથે દુર્વ્યવહાર કરીને કહ્યું હતું કે, તેની માતા નરગીસ ખૂબ જ સારી ડાન્સર છે પણ તેમના દીકરાને કોણે અભિનેતા બનાવ્યો? આવું કહેતા જ સંજય દત્ત ગુસ્સામાં સેટ છોડીને ચાલી ગયો હતો.

આ લડાઈ પછી સંજય દત્તે વચન આપ્યું હતું કે, તે ફરી ક્યારેય તેની સાથે કામ કરશે નહીં. આ ચર્ચામાં માતાનું નામ લેવામાં આવતા સંજય દત્ત ગુસ્સે થયા.

જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં આખા મુંબઈમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેના પર ચંકી પાંડેની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાનું લખ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, ચંકી પાંડેએ પોતે પબ્લિસિટી માટે આ કામ કર્યું હતું.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































