AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ટેલિકોમ કંપની વોડાફોનની અપીલ પર આપ્યો, જેમાં કંપનીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને પડકાર્યો છે.

સેવામાં કોઈ સમસ્યા થવા પર મોબાઈલ ફોન યુઝર્સ કરી શકે છે કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:24 PM
Share

કોઈ પણ કંપની વિરુદ્ધ ટેલિકોમ સેવાઓમાં (Telecom Services) ખામીને લઈને ગ્રાહક સીધી કંઝ્યુમર ફોરમમા પોતાની ફરીયાદ લઈને જઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ વિક્રમ નાથની બેંચે અવલોકન કર્યું હતું કે ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ લવાદનો ઉપાય વૈધાનિક છે, આવી બાબતો ગ્રાહક ફોરમના કાર્યક્ષેત્રની બહાર રહેશે નહીં. ખંડપીઠે કહ્યું કે જો ગ્રાહક આર્બિટ્રેશનનો માર્ગ અપનાવવા માંગે છે, તો તે માન્ય છે પરંતુ કાયદા હેઠળ આવું કરવું ફરજિયાત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ આપવામાં આવેલ ઉપાયોનો ઉપયોગ કરી શકે છે. જેનું સ્થાન 2019ના કાયદા દ્વારા લેવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય ટેલિકોમ કંપની વોડાફોનની અપીલ પર આપ્યો, જેમાં કંપનીએ નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશનના આદેશને પડકાર્યો છે.

ક્યા મામલાની સુનાવણીમાં લેવાયો નિર્ણય ?

અજય કુમાર અગ્રવાલ નામના વ્યક્તિએ 25 મે, 2014ના રોજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, અમદાવાદ સમક્ષ વોડાફોનની સેવાઓમાં ઉણપનો આક્ષેપ કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદ અનુસાર, અગ્રવાલ પાસે પોસ્ટ-પેઇડ મોબાઇલ કનેક્શન હતું, જેની માસિક ફી 249 રૂપિયા હતી. વોડાફોન અગ્રવાલને મોબાઈલ સર્વિસ પૂરી પાડતી હતી.

અગ્રવાલે ક્રેડિટ કાર્ડ દ્વારા કંપનીના બિલ ચૂકવવા માટે ‘ઓટો પે’ સિસ્ટમ લીધી હતી. વોડાફોનને તેનું પેમેન્ટ છેલ્લી તારીખ પહેલા કરવામાં આવતું હતું. અગ્રવાલનો આરોપ છે કે 8 નવેમ્બર, 2013થી 7 ડિસેમ્બર, 2013 સુધી તેમનું સરેરાશ માસિક બિલ 555 રૂપિયા હતું. પરંતુ તેમની પાસેથી 24,609.51 રૂપિયાનું બિલ વસૂલવામાં આવ્યું હતું. અગ્રવાલે આ બાબતે જિલ્લા ગ્રાહક ફોરમમાં વ્યાજ સહિત 22,000 રૂપિયાનું વળતર ચૂકવવા અપીલ કરી હતી.

આ સિવાય જો તમે ઘરની છત પર કે તમારી જમીન પર મોબાઈલ ટાવર લગાવવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જાવ. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દૂરસંચાર વિભાગ મોબાઈલ ટાવર લગાવવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી રહ્યું છે. જો તમે પણ આ દાવામાં આવીને મોબાઈલ ટાવર લગાવવા માટે પૈસા ચૂકવી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. આ દાવો સંપૂર્ણપણે નકલી છે. PIB ફેક્ટ ચેક મુજબ, DoT આવા પ્રમાણપત્રો જાહેર કરતું નથી.

આ પણ વાચો :  ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">