Navratri 2025
મંત્ર
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
દરેક જીવોમાં શક્તિના રૂપમાં વાસ કરનારી દેવીને વારંવાર નમસ્કાર છે. જે તમામ જીવોમાં શક્તિ તરીકે રહે છે. આ મંત્રમાં માતા દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. જે સમગ્ર સૃષ્ટિના દરેક જીવની અંદર શક્તિના રૂપમાં બિરાજે છે. શક્તિનો અર્થ માત્ર શારીરિક શક્તિ જ નથી, પરંતુ તેમાં માનસિક, આધ્યાત્મિક શક્તિનો પણ સમાવેશ થાય છે. મા દુર્ગાને આ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તે વિશ્વના તમામ જીવોને શક્તિ, હિંમત, ઊર્જા અને જીવનશક્તિ પ્રદાન કરે છે. આ મંત્ર દ્વારા આપણે દેવીને વારંવાર પ્રણામ કરીએ છીએ અને દેવી પોતાની શક્તિથી આપણને હંમેશા બચાવતા રહે એ માટે વારંવાર માતાને વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ.
આર્ટિકલ
વીડિયો
વેબ સ્ટોરી
View More
T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા ક્યારે અને કોની સામે ટકરાશે?
Stock Market: 1 શેર ઉપર '2 શેર' ફ્રી! ચોખાના બિઝનેસમાં જોડાયેલી અગ્રણી કંપનીએ રોકાણકારોને ભેટ આપી
ક્રિકેટ કરતા 10 ગણી વધુ છે ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની પ્રાઈઝ મની
ગીઝર ફાટતા પહેલા તમને દેખાશે આ 5 સંકેતો, જાણી લો
20 સેકન્ડમાં જ સીતાફળના બી થઈ જશે અલગ, ખાવાની આવશે મજા!
ગેલેરી
ભારતની આ 5 જગ્યા, જ્યાંથી નથી ઉડી શકતુ વિમાન, જાણો શું છે કારણ?
8 Images
તમારા ઘરમાં નેગેટિવ એનર્જી છે કે નહીં? વાસ્તુના આ ઉપાયથી કરી શકશો ચેક
10 Images
એન્ડ્રોઇડમાં Safe Mode શું હોય છે?ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો જાણો
9 Images
સમયસર ચુકવણી, છત્તા ક્રેડિટ સ્કોર નથી વધી રહ્યો? આ તો નથી થઈ રહીને ભૂલ
9 Images
નોરા ફતેહીની કારનો અકસ્માત, નશામાં ધૂત ડ્રાઈવરે મારી ટક્કર
8 Images
સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીમાં પણ થોડો ઘટાડો
8 Images
આવો છે ક્રિસ્ટલ ડિસોઝનો પરિવાર
19 Imagesસમાચાર
શારદીય નવરાત્રી 2025:
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે શક્તિની ભક્તિનો અનોખો ઉત્સવ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં બે નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો અનોખો માહોલ હોય છે, યુવાનોથી લઇને બાળકો, વૃદ્ધો તમામ લોકો ઉત્સાહ સાથે ગરબા-રાસમાં ભાગ લે છે અને માતાજીના ગરબા ભક્તિભાવપૂર્વક ગાય છે.