Navratri 2025
મંત્ર
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
દરેક જીવોમાં શક્તિના રૂપમાં વાસ કરનારી દેવીને વારંવાર નમસ્કાર છે. જે તમામ જીવોમાં શક્તિ તરીકે રહે છે. આ મંત્રમાં માતા દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે. જે સમગ્ર સૃષ્ટિના દરેક જીવની અંદર શક્તિના રૂપમાં બિરાજે છે. શક્તિનો અર્થ માત્ર શારીરિક શક્તિ જ નથી, પરંતુ તેમાં માનસિક, આધ્યાત્મિક શક્તિનો પણ સમાવેશ થાય છે. મા દુર્ગાને આ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તે વિશ્વના તમામ જીવોને શક્તિ, હિંમત, ઊર્જા અને જીવનશક્તિ પ્રદાન કરે છે. આ મંત્ર દ્વારા આપણે દેવીને વારંવાર પ્રણામ કરીએ છીએ અને દેવી પોતાની શક્તિથી આપણને હંમેશા બચાવતા રહે એ માટે વારંવાર માતાને વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ.
આર્ટિકલ
વીડિયો
ગેલેરી
શું પોલીસ તમારી પરવાનગી વગર તમારા ઘરમાં પ્રવેશી શકે?
8 Images
ગર્લફ્રેન્ડથી 4 વર્ષ નાનો છે રાહુલ મોદી ,જુઓ પરિવાર
11 Images
શું મેનોપોઝ લક્ષણો વિના શરૂ થઈ શકે છે?
8 Images
થાક અને તણાવમાંથી રાહત અનુભવશો, આર્થિક રીતે લાભ મેળવી શકો છો
13 Images
નોકરી બદલ્યા પછી PF ટ્રાન્સફરની ઝંઝટનો અંત, જાણો
7 Images
દેશના આ રાજ્યોમાં, દારૂ પીવો જ નહીં, પણ રાખવો પણ
8 Images
કડકડતી શિયાળાની ઠંડીમાં પણ ટાંકીમાંથી આવશે ગરમ પાણી
6 Imagesસમાચાર
શારદીય નવરાત્રી 2025:
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે. તે શક્તિની ભક્તિનો અનોખો ઉત્સવ છે. આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે. પણ ગુજરાતમાં નવરાત્રીમાં ગરબાનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં બે નવરાત્રીની ઉજવણી કરવામા આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. ગુજરાતમાં નવરાત્રીનો અનોખો માહોલ હોય છે, યુવાનોથી લઇને બાળકો, વૃદ્ધો તમામ લોકો ઉત્સાહ સાથે ગરબા-રાસમાં ભાગ લે છે અને માતાજીના ગરબા ભક્તિભાવપૂર્વક ગાય છે.